SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંસ્કૃત રૂપકા-ઉપરૂપકા અને ભવાઈ ભાનુપ્રસાદ આર ઉપાધ્યાય ગુજરાતના પાર‘પરિક લોકનાટ્યસ્વરૂપ ભવાઈનું રૂપકા અને ઉપરૂપકા સાથેનું અનુસંધાન જવા માટે ભવાઈના ઉદ્ભવકાળ અને તે પૂર્વેની સાહિત્ય તથા કલા પરપરાની ઘેાડી રાકાસણી કરીએ અસાઇતના સમયગાળા તેમણે લખેલા કાવ્ય હંસાઉલી 'ની હસ્તપ્રતમાં દર્શાવવામાં આવેલ સવતને આધારે શ્રી કે. કા. શાસ્ત્રી ઈ. સ. ૧૩૨૦થી ૧૩૯૦ સુધીને મૂકે છે. ચૌદમાં સૈકાની છેલ્લી ત્રણ પચીશી એ ભવાઇને સંગઠીત કરનાર અસાઇતના કાળ હતો ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir અસાઈત ઠાકર વ્યાસશૈલીના કથાકાર હતા, અને કહ્યુબી પટેલે નું ગેરપદું કરતા હતા. એમણે યજમાન કષ્ણુબી-પુત્રીને બચાવવા મુસ્લિમ શાસકની છાવણીમાં જઈ સુરીલા કંઠે ગીતા સંભળાવી સૂબાને પ્રભાવિત કર્યાં અને કહ્યુબીપુત્રીને પોતાની પુત્રી તરીકે ઓળખાવી. અસાઈતથી પ્રભાવિત થયેલ સૂખા જાડૅરમાં અશ્વિાસ પ્રગટ કરતાં ખચકાય છે, મૂળાનાં આધ્રહ- આમંત્રણૢને કારણ કúબીપુત્રી સાથે ભેજન લેવાને કારણે યજમાનપુત્રાનું શયળ તે ખચાવી શક્યા પર ંતુ બ્રહ્મસમાજમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા. પરિણામે તેમણે વ્યાસપીડ અને ગોરપદું ગુમાવ્યા. પછી જીવનને ટકાવી રાખવાના પ્રયત્નમાં તેઓએ ભવાઈને સુગ્રથિત કરી, સ`સ્કારી એવી લેાકશ્રુતિ છે. મધ્યકાલીન વ્યાસશૈલીની કથા પરપરાના કથાકારા કાવ્યસ્વરૂપમાં રચેલ કથા સાથે ખીજી અનેક કથાઓ-વૃત્તાંતા ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં જોડી દેતા હોય છે. આમ કથાનું સ્વયં પર્યાપ્ત રૂપ ઘડવાને બદલે કથકને ટેકારૂપ ટાંચણુ હોય એ રીતે તેનું નિરૂપણ થાય. જેના પરિણામે મૂળકથાનું પાત પાતળું પડી જાય. અસાઇત મૂળ વ્યાસશૈલીના કથાકાર હોવાને કારણે ભવાઈમાં વ્યાસશૈલીની કથા-પરપરાની પ્રબળ અસર છે. અસાઈત પૂર્વેના સાહિત્યમાં દુહા, રાસ, શૃંગારરસપૂર્ણ ફાગુ', પ્રાકૃતિક સુંદરતા વણું વતા ‘ બારમાસી ’, ધેાળ, ધવલ, ચરચરી વગેરે પ્રચલિત હતાં. અસાઈત પૂર્વે ગુજરાતમાં નાટકો ભજવાયાનાં ઉદાહરણા ડૉ. સુધાબેન દેસાઇ એ ટાંકયાં છે. જેમાં અગિયારમી સદીમાં રાા કણુ દેવના સમયમાં કાશ્મીરી કવિ બિલ્ગુની લખેલી ‘સ્વાધ્યાય’, પુ. ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસ’તપ ંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૪૩-૫૦. ૧ ર પૃ. ૮૦-૮૧. * ૨૯, શાંતિનગર, તરસાલી રોડ, વડેદરા-૯. જાદવ જોરાવરસિ’હું, ’ ભવચા ’, અખંડ આનંદ, જુન '૮૭, પૃ. ૬૬. યાજ્ઞિક (ડૉ.) હસુ, ‘મધ્યકાલીન કથા વિભાવના', ગુજરાત દીપેાત્સવી અ’ક, વિ. સં. ૨૦૪૬, For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy