________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
૨માલાશ પાઠક
વિસિ
–મહું f , or सेविता सादरं सदा । भावये कर्मणः पूर्व વાવ: પૂર્વ વિચારે છે
साधुता:-साधुताहं समायाता दर्शनाय दिवौकसाम् ।
श्रदधानां सतां सेवां विधातं वनितात्मना ।।
આખાયે નાટકની ભાષા આલંકારક હોઈ પરિણામે રચના દુધ બની ગઈ હોય એવું નથી. ભાષામાં સમાસ બહુ લાંબા નથી. જોડાક્ષર કે સંયુતાક્ષર પણ નહિવત્ છે. કઠોર કે કર્કશ વર્ગોને પ્રાય: અભાવ છે. આમ હોવાથી આ નાટક આશ્રમશાળામાં વિવિધ પ્રસંગોએ અભિનીત છે. વસ્તુ અને તેને વિન્યાસ ઉપર જણાવેલાં અન્ય નાટકમાં જેમ વસ્તુ પશુ પક્ષી, દેવદેવી કે રાજારાણીનું આવે છે તેમ અમે નથી. સ્થૂળ કથાપ્રધાન વસ્તુની જગ્યાએ માનવજીવનના અમૂર્તભા-સદ્ગુણોનું પ્રતીકાત્મક નિરૂપણ છે. વસ્તુનરૂપણ ત્ર) દમાં થયેલું છે. પ્રથમ દશ્યમાં પાંચ પુરુષોના વાર્તાલાપથી વસ્તુને ઉધાડ થાય છે. તેઓ પૃથ્વી ઉપર ઊભા રહીને સ્વર્ગ માં-સ્થાન પ્રત્યે જે ઈ સંવાદ કરે છે. બીજા દશ્યમાં આશ્ચર્યચકિત થયેલા આ પુરુષો વારાફરતી આવનારાં ભાવપાત્રોનો પરિચય મેળવીને તેમને સત્યસદનમાં જવા દે છે. અને તેઓ દાનવૃત્ર અને દયાળુતાને કહે છે કે તમારી જરૂર તે પૃથ્વી ઉપર વિશેષ છે તમે અહીં જ રહી જાઓ, તમને ઉપર નહિ જવા દઈએ. ત્યારે આ બન્ને જણ વ્યંગ્ય અને કટાક્ષથી મનુષ્યની અપાત્રતાને નિર્દેશ કરતાં જણાવે છે કે માણસમાં પાત્રતા જોઈ એ, સ્વાવલંબનને ભાવ હોવો જોઈએ. આ બધું પૃથવી પર ક્યાં છે? માટે અમે તે સત્યસદનમાં જઈશું જ. આ સાંભળીને દ્વારપાળે ચિડાઈ જઈને કહે છે: “મથ્થત કરિષ્યતિ | ' અમારું કશું નુકશાન થવાનું નથી. અમે તે પૃથ્વી પર રહીને આનંદભેગ કરીશું એમ કહીને તેમને જવા દે છે. ત્રીજા દશ્યમાં સત્યસદનના બે ધારપાળે અને બાકીનાં પાત્રો વચ્ચે સંવાદ છે. આ દશ્ય પહેલાં બે કરતાં ઘણાં લાંબાં છે. અને સર્વોપરી સદ્દગુણ “ રા' ને માનવવામાં આવ્યો છે. આખરે સત્યસદનમાં તેનું સ્વાગત કરતા વિવેકતા જણાવે છે –
त्वया बिनान्ये सुगुणा निरर्थकास्त्वया विना नोत्तमता प्रकाशते । तव प्रसादात् प्रभुता प्रसीदति कृतज्ञते! त्वं हि सतां शिरोमणिः ॥
નાટકતે પુe૫વૃષ્ટિ થાય છે.
For Private and Personal Use Only