SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨મણલાલ પાઠક વિનોદ કરે છે. એટલામાં જુદી જુદી જગ્યાએથી વારાફરતી અને મોટી સંખ્યામાં માંકણુ નીકળી નીકળીને તેમને અટકાવે છે પરિણામે ઊઠબેસ અને ઊંચા નીચા થઈ જવાનું વાતાવરણું સર્જાય છે. માંકણુનું આ પાંચમું દશ્ય ધણું મનરંજન કરાવે છે. વિમલા નામની એક બાલિકા કહે છે કે આ માંકણ નામના રકતબીજ અસુરના વિનાશ માટે આપણે ચંડીનું આવાહન કરવું જોઈએ. નાટકતે સર્વે મસ્ત બાળકે નીચે પ્રખ્યાત લોક ગાતાં ગાતાં મિલિન્દનું ઘર છેડીને ઉદ્યાનમાં નિરાંતને દમ લેવા જાય છે. "हरो हिमालय शेते हरिः शेते महोदधौं। कमला कमले शेते सत्यं मत्कुणशङ्कया।" ૬ વાના નવા –તા. ૭-૮-૬૪ના રોજ નિર્મિત પ્રસ્તુત બાળનાટક ત્રણ દશ્યોમાં ગ્રથિત છે. શીર્ષકથી ફલિત થાય છે કે નાટકનું વસ્તુ એક વાનર અને બે બિલાડીઓની બાળપ્રચલિત વાર્તા છે. નાટકને મનોરંજક પ્રારંભ બિલાડીના માંઉ મ્યાંઉથી થાય છે, બે ભૂખી બિલાડીઓ કોઈ બાળકના હાથમાંથી યુક્તિપૂર્વક પૂરી ઝૂંટવી લઇ ને ભાગી જાય છે. બને પિતા પોતાના ભાગ માટે લડે છે. ચતુર વાંદરો આ દશ્ય જોઈને તેમની પાસે આવીને પોતાને હનુમાનને વંશજ ગણાવીને ન્યાયનું આશ્વાસન આપે છે. પરિણામે તે બને છેતરાઈ જાય છે ને વાંદરો પૂરી લઈને દૂપાદુ કરી ભાગી જાય છે. અત્રે બાળભોગ્ય વસ્તુને વર્ણનકલાથી વધુ આકર્ષક બનાવવામાં આવી છે. કલહની જગ્યાએ સંપ અને સદભાવને બોધ મળે છે. ૭ વર્ષિ૪ વરં તા: –રચનાકાળ નિર્દેશ વગરનું આ નાટક ૬ દૃશ્યોમાં સુગ્રથિત છે. નાટકનાં પાત્રો માનવેતર ગ; , જિ: વરાઃ મgિs: રાશક: વાનરઃ fસ વગેરે છે. પ્રથમ દૃશ્યમાં વનમાં હાથીની અધ્યક્ષતામાં વનપ્રાણીઓની મહાસભા ભરાય છે. અને તેઓ ભયંકર સિંહને વિનાશ કરવાનું યુક્તિપુરસઃ આજન કરે છે. બીજા દશ્યમાં બધાં પ્રાણીઓ ભેગાં મળીને વનરાજને પ્રાર્થના કરે છે કે તમારા ભોજન માટે અમે દરરોજ એક એક પશુ આપીશું પરિણામે તમને ઘણા દિવસ સુધી વગર પ્રયતને ભેજ મળ્યા કરશે અને વન ઉજજડ થતાં બચી જશે. સિંહ દરખાસ્ત સ્વીકારી લે છે ને પરિણામે પાંચમા દશ્યમાં સસલાની ચતુરાઈથી છેતરાઈને કુવામાં પિતાનું જ પ્રતિબિંબને જોઈ સિંહ તેમાં કુદી પડવાથી તેને વિનાશ થઈ જાય છે. છઠ્ઠા દશ્યમાં સર્વે વનપ્રાણુઓ નાચીકૂદીને આનંદ વ્યક્ત કરે છે અને અંતે જેની બુદ્ધિ નેનું બળ એ ઉપદેશભાવ સરળતાથી વ્યક્ત થાય છે. ૮ કોમન –તા. ૨૭-૨-૬૪ના રચનાકાળનો નિર્દેશ કરતું પરંતુ એક પણ દશ્ય વગરના આ લાંબા સંભાવનું વસ્તુ બાળપ્રસિદ્ધ એક વાર્તા છે. પાંચ માનવ પાત્રો, એક ઘરડે વ્યાધ્ર અને એક ચતુર શૃંગાલ એમ મળીને સાત પાત્રોને આ સંવાદ નાનું બાળનાટક છે. તેને પ્રારંભ થાય છે વૃદ્ધ વ્યાધ્રના સ્વગતમથી. કેટલાક દિવસથી ભૂખ્યા વાઘ પાસે એક ચતુર શિયાળ આવીને ઉપાય બતાવે છે કે તમે ધાર્મિક વૈષ્ણવને વેષ ધારણ કરીને કાદવી આ સરોવર કિનારે પોતાની પાસે સોના ઝવેરાતનાં ધરેણુને ઢગલે કરીને બેસે, જે કોઈ યાત્રી આવે તેને તમારી અહિ સાવૃત્તિ અને ધાર્મિકતાની જાણ કરજો, સુવર્ણકંકણ બનાવી લલચાવજે. અને પાસે For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy