SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાખંડ-ધર્મ-ખંડન-નાટક': એક અભ્યાસ આર. પી. મહેતા* “ પાખંડ-ધર્મ—ખંડન-નાટક ''ના કર્તા પિતાની આ રચનામાં પિતાની અને આ રચનાને લગતી કેટલીક વિગત આ રીતે આપે છે :-(૧) મહાઝુદ્ધિમાન, પરમકારુણિક, પરમહંસ, પરિવ્રાજકાચાર્ય, શ્રી દામોદર સન્યાસીએ આ નાટકની રચના કરી છે. (૨) તેમણે આ નાટકગ્રંથ સંવત ૧૬૯૩, કાર્તિક સુદ ૧૩ અને સેમવારે (ઈ. સ. ૧૬૩૬) એ છે. (૩) ગુજરાતમાં નર્મદાને કાંઠે એમને દામોદરાશ્રમ હતો. તેમાં આ નાટક રચાયું છે. (૪) કળિયુગથી દૂષિત થયેલા અને અધર્મને આશરે ગયેલા લોકોને જોઈને દયાથી પરવશ બનીને એમના કલ્યાણ માટે આ નાટકની રચના કરી છે અને તેથી તેમાં મિથ્યાજ્ઞાનથી ભરેલા અસત્ માર્ગોનું ખંડન કન ટાઇ આ દામોદર વિષે જણાવે છે. (૧) મારવાડમાં દામોદર પોતાના સંપ્રદાયમાં આચાર્ય હતા. (૨) તેઓ પ્રકૃતિથી અત્યંત ઉદાર અને નિષ્કલંક હતા, આ નાટકની સર્વપ્રથમ આવૃત્તિ શ્રી કરસનદાસ મૂળજીએ તા. ૭-૧-૧૮ ૬૯ ના રોજ છપાન (તી. તેની એક નકલ નેટવે જનરલ લાઈબ્રેરીમાં મૂકવામાં આવી હતી. આ લાઈબ્રેરીની સ્થાપના ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ અમદાવાદમાં ઈ. ૧૮૪૯ ના આરંભમાં કરી હતી. ઈ. ૧૯૦૧ માં આ નાટકની એક નકલ મુંબઈનાં ઈન્દ્રપ્રકાશ ટીમ પ્રેસની પાસે આવી હતી. તેણે ઈ. ૧૯૧૧માં આને પ્રકાશિત કરી. તેમાં બીજી તરફ સામે ટકું ગુજરાતી ભાષાન્તર હતું. અમદાવાદના સનાતન ધર્મોપદેશક સશુરુ બ્રહ્મષિ હરેરામ સુજ્ઞરામ પંડિતે આનું નવસંસ્કરણ કરી, આ નાટકને ૨-૧૦-૧૯૩૦ ના રોજ તૈયાર કર્યું. તેમાં મૂળની વ્યાકરણ અને દલક્ષી ક્ષતિઓનું પરિમાર્જન યથાશક્ય કર્યું. નીરસ અંશ ત્યજી દીધે. પાત્રોને સ્ટ “સ્થાપાય', પૃ. ૩૪ અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-એ ગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૨૯-૨૩૨, • વેદ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૩૮૦૦૧૫, ૧ બહાર્ષિ હરેરામ સુન્નરામ પરિડત-પાવર-ધ-વંદન-નાટક, કષિ આશ્રમ, તળિયાની પાળ, સારંગપુર, અમદાવાદ, ૧૯૩૧: પ્રથમ આવૃત્તિ-આધારસ્થાન, 2 Majumdar R. C.-The Mughul Empire : Bharatiya Vidyabhavan, Bombay-7, 1974; First published, p. 649 ૩ શાસ્ત્રી હરિપ્રસાદ ગંગાશંકર-બ્રટિશકાલ, એ. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૮૪, પ્રથમ સંક૨ણુ, પૃ. કંપક For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy