________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇધિસાદનાટક ભાવનગરના રાજવીની પ્રશસ્તનુ નાટક
૨૦ ૭
અસ્વસ્થવૃક્ષ મલય પર્વત ઉપર ચન્દનતએની જોડે રહીને પણ ચંદનની, સુગંધ પ્રાપ્ત કરી શકયું નહીં. એનાથી ઉત્તમ પુરુષે આશ્ચર્ય પામ્યા અને દુ હસ્યા પણ હે રાજા એને ઉપાય શું ?૧૪
તે પછી જીવ હેતુ બતાવે છે.
દુનિયામાં નિશ્ચલપણાએ કરીને પ્રસિદ્ધ થયેલા આપ લતાને જેમ મેધ, કુમુદને જેમ ચંદ્ર, કમળને જેમ સૂર્ય તેની માફક હું બ્રાહ્મણ સમગ્ર દાન દેનારાને ત્યાગ કરીને તમારા શરણે આવ્યો છું માટે જેમ રેગ્ય લાગે તેમ કરો.
એટલું કહીને જીવ રાજાને આશીર્વાદ આપે છે. ૧૫ અહીં નાટકની સમાપ્તિ થાય છે. પરંતુ આ સમાપ્તિમાં એક તુટી લાગે છે તે એ કે રાજાને આના ઉપર પ્રત્યુત્તર શું હતું તે કહ્યું નથી. તેની નેટકકારને આવશ્યકતા લાગી ન હોય. રાજાની કીતિ ગાયેલી છે તેથી રાજાએ અનુ કુળ જ કહેલું હોય. એટલું જ કે તેવું કઈ દિગ્દર્શન નથી અથવા ભરતવાક્ય આમાં નથી પણ આશીર્વાદના કલેકાથી ભરતવાકયની પૂર્તિ કરેલી હોય એવું જણાય છે.
નાટકની વિશેષતા –
આ નાટકની બે વિશેષતા છે. એક તો એ એતિહાસિક છે અને બીજું રૂપકાત્મક છે. ઐતિહાસિક માહિતી રૂપક દ્વારા આપીને ભાવનગરના રાજવીની પ્રશસ્તિ પણ કરેલી છે. આવી રાજસ્તુતિની કૃતિઓમાં તે સમયની સામાજિક અને ઐતિહાસિક પરિસ્થિતિનું પણ દર્શન થાય છે. આવી બીજી પણ કૃતિઓ છે. ગદાસપ્રતાપવિલાસનાટક આવા જ પ્રકારનું
१४ एकोऽश्वत्थमहीरुहो गुरुतरः प्राचीनपुण्योदयात्
पुण्येद्रो मलये सुचन्दनतरोः पार्वे प्रजातोऽपि सः । नाप्तोऽद्यावधिचन्दनत्वमिह तं वीक्ष्योत्तमा विस्मिता दुष्टास्तूपहसन्त्यहो नरपते कस्तत्र कार्यों विधिः॥ अ. ४, श्लो. २० लक्ष्मीनाथपदारविन्दयुगलं संसेवयन्नथिनामाशा संपरिपूरयन् द्विजवरानापालयन्नित्यशः । शत्रूनादलयन्स्वपुत्रसहितो हयुत्पादयन्निर्मला कीर्ति श्रीविजयादिसिंहनुपते जीवत्वमव्या चिरम् ।। જે – गेहे श्रीरचला सुकान्तिरमला देहे जयश्री रणे भक्तिश्चेतसि प्राप ते दृढतरां पृथ्व्यां प्रतापोदयः । भूपश्रीविजयादिसिंह भवतो भूयात् स्वदियद्विषो
गेहान्येत्य सुदुःखजालसहिता भितिः सदा तिष्ठतु ॥ अं. ४. श्लो. २३-२४ ૧૬ સાંડેસરા ભો. જે. અને ભોજક અમૃતલાલ-જવાતાવરવાલનાટક GOs No. 156, પ્રાચ્યવિદ્યામન્દિર, વડોદરા ૯૭૩.
For Private and Personal Use Only