SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ શાશ્વની સેન સાત્વતી અને મારમટી વૃત્તિઓ પ્રત્યે જાય છે. આ જ કારણે કેશિકી વૃત્તિને વ્યાયેગમાં અભાવ જણાય છે. આમાં મુખ, પ્રમુખ અને નિર્વહણ નામની ત્રણ સંધિઓ જ મુખ્યત્વે વપરાય છે. નાટક શંખપરાભવ : શંખ પરાભવેન્યાયાગ એ ન્યાયેગ પ્રકારનું રૂપક છે. એની રચના પ્રખ્યાત કવિ હરિહર કરેલી છે. આ એતિહાસિક નાટકમાં વસ્તુપાલ અને શંખ વચ્ચેના યુદ્ધનું વર્ણન છે. જેમાં શંખને વસ્તુપાલ દ્વારા પરાભવ થાય છે. નાટકનું કથાવસ્તુ પ્રખ્યાત એતિહાસિક ધટના ઉપર આધારિત છે. નાટકને નાયક વસ્તુપાલ વાઘેલા રાજા વીરધવલને મુખ્ય માર્યો હતો. અમદાવાદ નજીકના હાલના ધોળકા (એ વખતનું ધવલક) ગામને રાજા હતા. ૧૩માં સૌકાની શરૂઆતમાં (૧૨૨૨ A, D. ) ચૌલુક્યો પછી વાઘેલા રાજગાદી પર આવ્યા. તેઓ કુશળ અમાત્ય હતા અને સાહિત્ય તથા કળાના સંરક્ષક હતા. એમના સાહિત્યિક મંડળમાં મહાન કવિ જેવા કે સેમેશ્વર, હરિહર, યશવીર, વિજયસેનસૂરી અને બીજા અનેક કવિઓને સમાવેશ થતો. શત્રુંજયના પ્રખ્યાત મંદિરોની રચના વરંતુ પાલ અને તેના નાનાભાઈ તેજપાલ દ્વારા અઢળક ધન ખચીને કરવામાં આવેલી. શંખપરાભવવ્યાયેગને પ્રતિનાયક જે શંખ છે તે લાટના રાજ સિંધુરાજને પુત્ર હતો થંભતીર્થ બંદર જે હાલ ખંભાત તરીકે ઓળખાય છે એને લીધે વેરતુપાલ અને શંખ વરચે મતભેદ થયેલે, પરિણામે એમની વચ્ચે યુદ્ધ થયું. પહેલા આ બંદર લાટકીગના તાબામાં હતું. જ્યારે દેવગિરિના યાદવરાજ સિહવન સાથે લડાઈ કરવામાં શંખ મશગુલ હતા ત્યારે આ તકને લાભ લઈને વિરધવલે બંદર તાબે કર્યું. સ્થંભતીર્થને પાછું મેળવવા માટે શંખે હુમલો કર્યો. વટકુપ અથવા વડળ નામની જગ્યાએ યુદ્ધ ખેલાયું, જ્યાં શંખને પરાભવ થયે અને એ ભાગી ગયો. * વરૂપાલની જત અને શંખને પરાભવ ' આ પ્રસંગને ધ્યાનમાં લઈને હરિહરે આ બાગની રચના કરી. શંખપરાભવધ્યાગ ના પ્રારંભમાં નાન્દીપ્લેકમાં ભગવાન શંકરની પૂજા કરવામાં આવી છે. પછી સ્થાપક અથવા સૂત્રધાર અથવા નેટ નટીની સાથે નાટકના મુખ્ય પાત્રોને ૧ સાંડેસરા બી. જે, શંખપરાસવવ્યાગ, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા, ૧૯૬૫, પ્રસ્તાવના, પૃ. ૨, ૨ કમીસરીયત એમ. એસ., અ હિસ્ટરી ઓફ ગુજરાત, વો. ૧, મુંબઈ, ૯૩૮, પૃ. ૭૭. ૬ સાંડેસરા બી. જે., લીટરરી સર્કલ એક મહામાત્ય વસ્તુપાળ એન્ડ ઈટસ કોન્ટ્રીબ્યુશન ટુ સંસ્કૃત લીટરેચર, ભા. વિ. ભવન, મુંબઈ, ૧૯૫૪. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy