SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કવિ યશ:પાલનું મેહરાજપરાજય–એક Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપકાત્મક નાટક મુ લાલજી વાડેકરે પ્રદાન છે. પ્રાસ્તાવિક સ ંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ગુજરાતના વિદ્વાનોનું અનેક શાસ્ત્રોમાં કાવ્યું અને રૂપકોના સંદર્ભ માં પણું ધણું જ પ્રદાન છે. અગબારમી સદીથી માંડી અત્યાર સુધી અનેક કવિ-નાટકકારોએ રૂપકના જુદાજુદા પ્રકારોમાં કૃતિએ લખી સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એમાં હુંમચંદ્રાચાય તે સમય તે સસ્કૃત સાહિત્યના-સંસ્કૃત-પ્રાકૃત ભાષા સુવણૢ કાળ માનવા જોઇએ. બારમી-તેરમી સદીમાં લખાયેલાં સંસ્કૃતરૂપકોની સંખ્યા ઘણી જ છે. એ જ સમલમાં થયેલા ગુજરાતના એક કવિ-નાટકકાર યશઃપાલની એક માત્ર કૃતિ • માહુરાજપરાજય' નામક રૂપકાત્મક (Allegorical) નાટક રા કુમારપાલના કૃપાસુંદરી સાથેના વિવાહ દ્વારા માહુરાજાને પરાજય અર્થાત્ કુમારપાલ જૈનધર્મ સ્વીકાર એ આ નાટકનું મુખ્ય કથાવસ્તુ છે. કવિના જ પોતાના શબ્દોમાં કહીએ તા- पद्माकुमारपालनृपतिर्जशे स चन्द्रान्वयी जैन धर्ममवाप्य पापशमनं श्रीहेमचन्द्राद्गुरोः । निर्वीराधनमुज्झता विदधता द्यूतादिनिर्वासनं येनैकेन भटेन मोहनृपतिजिग्ये जगत्कण्टकः ॥ प्रस्तावना श्लोक ४, पू. ३. કવિ યશ પાલ-સમય અને સ્થાન સદ્દભાગ્યે નાટકકાર કવિ યશઃપાલ વિશે ખૂબ જ પ્રમાણભૂત એવી માહિતી એમના જ નાટકમાંથી મળે છે. નાટકની પ્રસ્તાવનામાં જ સૂત્રધાર અને નટીનાં સાઁવાદમાં નાટકકારના સરસ પરિચય મળે છે. કવિ મેઢ જાતિમાં જન્મેલા ગુજરાતી નાટકકાર છે. એમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ રુક્મિણી છે. પિતા મ`ત્રી હતા. ચક્રવતી' રાજા અજયદેવના આશ્રિત હોવાથી, અનેકવિધ પ્રતિભાથી સૌંપન્ન, પ્રખર રાજનીતિજ્ઞ, વેપાર-વ્યવહારમાં કુશળ, તેમ છતાં સરસ, સુકુમાર કાવ્યના કર્તા, પરમાન અર્થાત્ જૈનધર્મમાં દીક્ષિત એવા કવિ હતા. सूत्रधार :- आयें i अस्त्येव श्रीमोढावतंसेन श्रीअजयदेवचक्रवर्ति चरण राजीवराजहंसेन मन्त्रिधनदेवतन जन्मना रुक्मिणीकुक्षिललितेन सर्वतोमुख निस्तुषशेमुषी विलासवासभवनेन निर्व्याजराज ‘ સ્વાધ્યાય ', પુ. ૬૪, અંક ૧-૪, દીપેાત્સલી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગષ્ટ, ૧૯૯૭, પૃ. ૧૧૧-૧૨૦. * પ્રાચ્યવિદ્યામ દિંર, મ. સ. યુનિસિટી, વાદા For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy