SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ રસ: www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નલિની દેસાઈ નાટકના ઉધાડ કુતૂહલપ્રેરક અને રસ પડે એવા છે. વીરરસના ક્રમિક વિકાસ થયા છે. સમગ્ર નાટકમાં ક્યાંય રસક્ષતિ થતી અનુભવાતી નથી. મુખ, પ્રતિમુખ અને નિહણુંસાધ દ્વારા કથાનક લાગમ પ્રતિ ગતિ કરે છે. બ્રાહ્મણુની રક્ષાના નિ ય અને બકાસુરના વધ વચ્ચે સમયને વ્યય નથી, પ્રસ`ગેા એક જ દિવસમાં આવરી લેવામાં આવ્યા છે અને પ્રસંગાનું સ્થાન પણ એક જ છે. મુખ્યરસ વીરરસ છે. વષ્યપુરુષની પત્ની અને માતાના સંવાદમાં કરુણરસનુ સુંદર આલેખન છે. શેલી : નાટકના સવાદ અને ભાષા સરળ અને પ્રવાહી છે. શૈલી આબરરહિત અને રસને અનુરૂપ છે. સંવાદ ટૂંકા અને હૃદયંગમ છે; સમાસપ્રચૂર નથી. ૧૪મા શ્લોક સાસસ્ય મમ......... | સૌંવાદાત્મક પદ્ય છે, છતાં ખૂબ સુંદર છે, કથાનકનું સ્થાન પર્વત પાસે અને વનપ્રદેશ હેાવાથી વનરાજી, પર્વત, યુદ્ધ વગેરેના વર્ણના સ્વાભાવિક જ આલ કારિક શૈલીમાં થયા છે. યુદ્ધ અને રાક્ષસનું વન અતિભયાનક કે બિભત્સ જશુાતું નથી. દ્રૌપદીની ઉક્તિ દ્વારા કરાવેલું રાક્ષસનું શબ્દચિત્ર યથાર્થ છે. બકાસુરવધનું વૃત્તાંત ભીમના મુખે ઉચ્ચારાયેલા એ જ લેાક દ્વારા ખૂબ જ કુશળતાથી કર્યું છે. અનુષ્ટુપ, મ`દાક્રાંતા, સ્ત્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત જેવા છ દેશના ગિત ઉપયોગ કર્યા છે. રૂપક, શ્લેષ, ઉત્પ્રેક્ષા જેવા અલકારા પ્રત્યેાજ્યા છે. વણું નશૈલીમાં રૂપક્રકારના ભાષા પરના સયમ અને પ્રભુત્વ દૃષ્ટિગોચર થાય છે ક્ષતિ નિર્ભયભીમવ્યાયોગનું અવલેાકન કરતાં કેટલીક ક્ષતિઓ દૃષ્ટિપથમાં આવી છે. નાટ્યકારે દ્રૌપદીના પાત્રનું નિરૂપણ કર્યું તે મૌલિક નાટકીય ફેરફાર કહી શકાય પર ંતુ મહાભારતની સ્વાભિમાની, જુસ્સાવાળી દ્રૌપદીને આત્મહત્યાના પ્રયાસ કરતી અને કાયર બતાવી * તે ઉચિત નથી લાગતું વષ્યપુરુષને ભીમને જોઈ ને રાક્ષસને ભ્રમ થાય છે તે દ્વારા નાટયકારે ભીમ અને રાક્ષસ વચ્ચે દર્શાવેલા અભેદ ભીમના પાત્રની ઉદાત્તતાને અનુરૂપ ન કહી શકાય. 3 અરે વરાળ ! માં મર ! મમ શરનું વો । ઇત્યાદિ ઉક્તિએમાં બ્રાહ્મણુને નિરાધાર અને અસહાય બતાવવાને પ્રયાસ જણાય છે. વળી પ્રાળમી પાપાત્ર વરાળો દ્વિજ્ઞાતિરણિ ? । જેવાં પ્રશ્નમાં બ્રાહ્મણની અવહેલના કરવાની પ્રક્રિયા જણાય છે. ૪ વષ્યપુરુષની માતા અને પત્નીના સાદેદ્યમાં કરુણરસનું વિસ્તૃત આલેખન છે જે મુખ્યરસ વીરરસને પોષક જણાતુ નથી; પરંતુ મુખ્ય વીરરસ બ્રાહ્મણ પ્રત્યેની કરુણામાંથી ઉદ્દભવેલા અનુભવાય છે. For Private and Personal Use Only ૫ વષ્યપુરુષની માતાની સાત પુત્રો અને પતિ ગુમાવવાની વાત કઇક અશે અતિશયે ક્તિ ભરેલી લાગે છે.
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy