SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર ગે. કાંટાવાળા T? જેવાં તેને માટે ગુણદર્શક વિશેષણે અર્થપૂર્ણ છે. તે તીક્ષ્ણ બુદ્ધિવાળે તેમજ કુશળ છે. તે શકુના માં માને છે. તે વફાદાર, સ્થિર અને પ્રેમાળ પ્રેમી છે. તે જે કાર્ય કે ફરજ સ્વીકારે છે, તે તે સફળતાપૂર્વક પાર પાડે છે. “બાહુક” નામ નીચે સ્વીકારેલી ફરજ તે સફળતા પૂર્વક પાર પાડે છે. કેટલીકવાર તે લાગણીશીલ બની જતું લાગે છે. નિદ્રાધીન પત્નીને ત્વજો પછી આત્મનિંદક વચને ખરેખર દુઃખદાયક છે; તેના દુઃખના તે પ્રતિબિંબ સમા છે. કાપાલક ઘોરણની પર લમ્બસ્તની પાસે પિતાના પ્રેમની સફળતા માટે કામ સફળતાપૂર્વક પાર ૫ડાવવું તેની કુશાગ્ર કુશળતા સૂચવે છે; પણ આ વૃત્તિ તેના રાજવી મેભાને હીણપત લગાડે છે; વળી આ વૃત્તિમાં એક પ્રકારની લુચ્ચી પ્રવીણતાના દર્શન થાય છે. અહીં બે પ્રેમીઓની પ્રેમની વસ્તુ માટે ખેંચતાણું છે; કહેવાયું છે ને કે “ Every thing is fair in love and war'. ગૌણ પાત્રોનું આલેખન યાચિત છે; દા. ત. ઘરધણુ કાપાલિક, લબસ્તની વગેરે. કાપાલિકોને દેખાવ ભીતકર અને અસખ્ય હોય છે. કાપાલક ઘેરણના શિષ્ય લંબેદરને, લબનીને અને મુખને, દેખાવ અને વર્તન પ્રસન્ન નથી; તે છેડા ઘણા અંશે સુરજનક છે. વિદૂષકના નામાભિધાનથી તેને વિચિત્ર દેખાવ સૂચિત થાય છે. તેને સ્વભાવ રમુજી લાગે છે. કાલિદાસ વિદૂષકને જાવા તરીકે વર્ણવે છે. ( નવાવાસરિતસાહામુ: | વિક્રમોર્વશીયમ એજન, અંક ૨, પૃ ૪૧૫). તે બીકણુ તેમજ “બ્રાહ્મણભક્ત ” (1. પૃ. ૭) છે. ગોંપાત્રોનું ચિત્રણ ડરેલાં બીબાં પ્રમાણે છે. કોઈ નાવીન્ય કે વિશિષ્ટતા દેખાતી નથી, પાત્રાલેખન કેટલાંક સ્થળે નબળું લાગે છે. નાટકકાર જૈનમુનિ હોવાને કારણે કેટલીક મર્યાદાઓ તેમને નડતી હોય એમ લાગે છે. કાપાલિકાનાં પાત્રોના નિરૂપણથી તે સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં દષ્ટિ નાંખી શકાય છે. અન્ય ધર્મો અને સંપ્રદાયે ઉપરાંત કાપાલિક સપ્રદાયને પ્રચાર પણ જોવા મળે છે. વળી કોપાલક જાસુસ તરીકે આ નાટકમાં ભાગ ભજવે છે, તેથી સૂચિત થાય છે કે જાસુસ પિતાના કાર્યની સફળતા માટે આવા વેશધારણ કરતા હતા. ધાર્મિક પહેરવેશથી તેઓ રાજનેનિક કાર્યોની ફરજ બજાવતા હતા, એમ સહેજે અનુમાન કરી શકાય, વિશાખદત્તના “ મુદ્રારાક્ષસ ” નામક રૂપકમાં ચર હિતુ ડિકને વેશ ધારણ કરી પિતાને સાંપલું કાર્ય સકળતા પૂર્વક પાર કરતા દેખાય છે. માલતીમાધવમાં કાપાલિકસપ્રદાયની કેટલીક બાબતોનાં દર્શન થાય છે. અટો રજૂ થયેલા સંવાદ સામાન્ય રીતે ટૂંકા છે; પરંતુ તે અસરહીન છે, એમ કહી શકાય નહ; પ્રસંગનુસાર રોમચંદ્રસૂરિ લાંબા સંવાદો પણ રચી શકે છે. અંક માં નલની એકડોક્ત પુરૂરવાની ( વિક્રમોર્વશીયમ અંક ૪) એક્તિની યાદ આપે છે. કામદેવતાયતન પ્રસંગ માલતીમાધવાન્તર્ગત આવા જ પ્રસંગની યાદ આપે છે. વાક્યરચનામાં કોઈ કઈ સ્થળે ભવ તિની અસર દેખાય છે; દા. ત. વાર્થ ઘટયત: (૧. ૭. પૃ. ૨): તુલનીય–વાનનું ઘટયતિ ( માલતીમાધવમ ૧. ૧૪). દમયન્તીસ્વયંવર કાલિદાસના રઘુવંશાન્તર્ગત કહુમલીવયંવરની યાદ આપે છે. વિવાહ પ્રકારોમાં ““સ્વયંવર ” પ્રથાને સ્થાન હતું, એ નોંધવું જોઈ એ. ભટ્ટનારાયણના વેણીરસંહારમાં રાક્ષસ દ્વારા ભીમના નિધનના સમાચાર પ્રસારની અસર અત્રે For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy