SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્યને અધ અને શ્રી અરવિંદ ૧૫૭ તેથી શ્રી અરવિંદ રાજપને કોઈ તક કે ચારિત્ર્યના ગુણે વિધેયક્ત કરવા ઇરછ નથી. એ કહે છે કે “રાજપને આત્મા નથી અને હોય તે પણ એ અત્યંત પ્રાથમિક છે, રાજ્ય એ સૈનિક, રાજકીય અને આર્થિક શક્તિને સંબંધિત રહે છે. એ કદાચ ગોણુ રીતે બૌદ્ધિક અને નૈતિક તવ છે અને કદાચ એ અવિકસિત બુદ્ધિને ઉપયોગ કરે તે એ કલ્પના, સૂત્રો અને વિકતપણે નતિક પ્રેરક તવને ઉપગ કરે છે.” આમ સૈદ્ધાંતિક રીતે રાજકીય દાવાઓ દેશમાં જ્ઞાન અને ડહાપણુ દ્વારા વ્યક્ત થાય છે, તેમ છતાં જે ક્રિયાઓ બની રહી છે તેમાં ગજગ્રાહ, હિંસા, અદેખાઈ અને તિરસ્કાર રહ્યા છે. એ સાચું છે કે રાજ્યમાં અમુક વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી હોય છે તેમ છતાં ઉતમ વ્યક્તિએ પોતાના નતિક ગુણોને વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે. સામૂહિક રીતે તેને અહમ અત્યંત નિમ્ન કક્ષાએ ક્રિયાશીલ રહે છે. રાજય અન્ય રાજપને હડપ કરવા ઉત્સુક હોય છે અને તે પોતાનું ક્ષેત્ર વિસ્તારવા ઈચ્છે છે. શ્રી અરવિંદ એમ વિચારે છે કે આધુનિક જગતમાં રાજ્ય એ ભૌતિક અને તિક ગુને વિકાસ દર્શાવે છે. પરંતુ વ્યક્તિને સંપૂર્ણપણે પિતાના સ્વરૂપની અંદર સમાવી લેવાનું રાજ્ય માટે શક્ય નથી. સવિશેષ વ્યક્તિની સ્વતંત્રતા તેની વ્યક્તિ પરક પ્રવૃત્તિઓ તેના આદર્શને સંપૂર્ણ પણે વિકસાવવા રાજય માટે શક્ય નથી. રાજ્ય એ માનવપ્રગતિ માટે વિદનરૂપ બને એ સંભવિત છે. રોમન સામ્રાજ્ય વ્યક્તિને આ રીતે પોતાના વિશાળ સામ્રાજ્યમાં સમાવી લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં એ નિષ્ફળ ગયું હતું. રાજ્ય અને સેન્દ્રિય એકમ: સમાજના સંદર્ભમાં શ્રી અરવિંદ સેન્દ્રિય એકમની ઉપમાને ઉપયોગ કરે છે. રાજ્ય જટિલ રચના હોવાને લીધે રાજ્યને એ સેન્દ્રિય એકમ તરીકે લેખતા નથી. રાજય એ સ્વતંત્ર, સંવાદિત અને બુદ્ધિલક્ષી કાર્યને તેમજ વ્યક્તિને યોગ્ય ન્યાય આપી શકે એમ નથી. રાજ્ય એ યંત્ર છે. તેથી કોઈ યુક્તિ, પરિવર્તનશીલતા કે અંતઃસ્કૂરણુથીતે કામ કરી શકે એમ નથી તેનું જવલંત ઉદાહરણ એ શિક્ષણ છે. રાજ્ય શિક્ષણ આપવા માટે ઉપયુક્ત નથી. શ્રી અરવિંદ એમ માને છે કે રાજ્ય દ્વારા શિક્ષણને પ્રબંધ ન થવો જોઈએ. શિક્ષણને અર્થ વ્ય વ્યક્તિત્વને વિકસાવવું, તેની શક્તિ અને તેની બુદ્ધિને કેળવણી આપવી. પરંતુ રાજ્ય કોઈ એ ક્કસ સિદ્ધાંતને વરેલું હોવાથી એ પિતાને સિદ્ધાંતનું જ જ્ઞાન લેકેને આપશે. રાજ્ય અન્ય સિદ્ધાંત પર કાપ મૂકશે. રાજ્ય એ પ્રચારનું માધ્યમ છે. તેથી તેને જે અનુકુળ હોય છે તેની તે છૂટ આપે છે અને જે અનુકૂળ નથી તેના પર તે નિયંત્રણ મુકે છે, કેટલાક કાસીર, દેશમાં રાજકીય સંપ્રદાય અને શાસનકર્તાઓના સિદ્ધાંતનું લેકોને શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર રાજયમાં આવા સિદ્ધાંતોની બોલબાલા હોય છે. તેના અમુક પ્રવકતાએ “રાજ્યનું વિજ્ઞાન ” “રાજયના તત્ત્વજ્ઞાન” વિશે પણ ચોક્કસ રીતે વિચારતા હોય છે. આને તેઓ રાષ્ટ્રવાદ કહે છે. આમ રાજય એક યંત્ર બની જાય છે. બૌદ્ધિક અરાજકતાવાદ & શ્રી અરવિંદ: આઈડીઅલ ઑફ હ્યુમન યુનિટી , ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજયુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પોંદિચેરી, ૧૯૬૨, ૫ ૩૯૦-૩૯૧, For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy