________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરકૃત-જ્યાના સનદ પાઠમીક્ષાશાને પ્રવૃત્તિવિકલ્પ મહત્વની ગણાય છે. કારણ કે એમાં મૂળ પાઠમાં ઓછામાં ઓછું વિચલન થયું હશે, તેમાંથી મોટા ભાગે મૌલિક પાઠ મળવાની આશા રાખી શકાય.
પરંતુ જે કોઈ પાધ્યમન્થની જૂનામાં જૂની ગણાતી હસ્તપ્રતને પેળી કાઢવામાં આવે, પણ જે પાછી તે કતિના મૂળ કર્તાના સમય કરતાં તે ધણી પાછળની જ હેય. તે આવી કહેવાતી પ્રાચીનતમ હસ્તપ્રતનું મૂલ્ય બહુ ના આંકી શકાય. અથવા આવી હસ્તપ્રત માંના પાકને બીજા પુરાવાઓનું સમર્થન મળતું હોય તે જ તેને વધુ શ્રદ્ધય ગણી શકાય. અલબત્ત, આ પ્રાચીન ગણાતી હસ્તપ્રતનું મૂલ્ય અન્ય પરવર્તીકાળની હસ્તપ્રત-કરતાં તે થોડુંક વધારે જ ગણાય એમાં પણ કશી શકી નથી.
આ ત્રણેય પ્રકારના સાદામાં સત્યાંશ-હા, સત્યાંશ જહાવા છતાંય તે પ્રકમાં એક પ્રકારની મર્યાદા નિહિત હોવાને કારણે સર્વથા અનુસરણીવ નથી. આના વિક, પાછળના સમયના યુરોપીય ભાષાશાસ્ત્રીઓએ જે ચાર તબક્કા; ૧. અનુસધાન (Heuristics). ૨. સંશોધન (Recensio). 3. સંસ્કરણ (Emendatio ) અને ૪. ઉચ્ચતર સમીક્ષા ( Higher Criticism)એ વાળી પાઠસમીક્ષાની પદ્ધતિ વિકસાવી છે, તે વધુ ગ્રાહ્ય જણાય છે.
પ્રશિષ્ટ કૃતિની સમીક્ષિત આવૃત્તિ તેયાર કરવા માટે પ્રશિષ્ટ ભાષાશાસ્ત્રીઓએ (Classical philologist) ચતુર્વિધ તબકકાએવાળી પાડસમીક્ષાની જે પ્રક્રિયા વિકસાવી છે, તેને ટ્રકમાં આમ સમજાવી શકાય :
(૧) જેમકે,
અનુસન્ધાન: ( Heuristics) જેમાં ચતુર્વિધ પેટાપ્રવૃત્તિઓ કરવામાં આવે
છે.
(૧) જુદી જુદી સંસ્થાઓ અને યુનિ. એ પ્રકાશિત કરેલા Descriptive Catalogue of sanskrit Manuscripts ( હસ્તલિખિત પ્રતની વિવરણાત્મક ગ્રંથ સૂચિઓ) તથા અવાર લાઇબ્રેરી, મદ્રાસથી પ્રકાશિત થતાં New Catalogus Catalogorumની મદદથી જે તે પાધ્યમથની કઈ કઈ હસ્તપ્રતે કયાંથી કયાંથી ઉપલબ્ધ થાય છે?—એની માહિતી એકઠી કરી, એ માહિતીને આધારે પ્રાપ્ય હસ્તપ્રતોને-કે તેની પ્રતિકૃતિઓને-એકત્રિત કરવી.
(૪) પાધ્યમન્યને લગતી સહાયક સામગ્રી ' (testimonia) પણ એકઠી કરવી;
(T) સંતુલન-પત્રિકા (Collation sheet)માં પ્રાપ્ત હસ્તપ્રતોના પાડનું સંતુલન કરવું,
અને.
૭ આ ચારેય તબકકાઓની વિસ્તૃત ચર્ચા અમે અમારા “સંસ્કૃત પાણડુલિપિઓ અને સમક્ષિત ; પાકસંપાદન વિજ્ઞાન ” (સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, ૧૯૯૪) ગ્રન્થમાં કરી છે.
For Private and Personal Use Only