SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત વાડ્મયમાં મૂળયથા અને ભાખ્યા કે ટીકાઓના સમ્બન્ધ આવે છે. શબ્દકોશોના નામ સહિત આધારો પશુ રજૂ કરે છે. કોઈ ઐતિહાસિક કે પૌરાણુિક સંદર્ભો હોય તે તે અંગેની કથાઓ પણ આપે છે. અને કયારેક સમાંતર શ્લેક કે વિધાતા પણ ઉષ્કૃત કરે છે. ૧૩૧ આ ટીકાઓ કોઈ વાર પાઠાંતરીને પણ ઉલ્લેખ કરે છે. અને જ્યારે કોઇ ગ્રન્થની એકથી વિશેષ ટીકાએ ઉપલબ્ધ હેાય ત્યારે પાઠાંતરો દ્વારા મૂળ પાઠની નજીક જવામાં પણ મદદ મળે છે. રામાયણુ, મહાભારત વગેરેની ટીકાઓના આધારે ક્ષેપકો નિશ્ચિત કરવામાં પણુ મદદ મળી છે તે આપણને તેમની પ્રકાશિત થયેલી સમીક્ષિત આવૃત્તિ પરથી જાણુવા મળે છે. કયારેક મૂળ ગ્રન્થની રચનાને સમય અનિશ્ચિત હોય પણ તેના પરની ટીકાનેા સમય જાણી શકાય હાય તા ત્યારે તે મૂળ ગ્રન્થના કર્તાના સમયની કોઈ એક પશ્ચાદ્રી સીમા પણ બાંધી શકાય છે. કેટલીક વાર મૂળ ગ્રન્થ ઉપલબ્ધ ન હેાય પરંતુ તેના પરની ટીકા મળી આવી હોય એવું પણુ બને છે. હવે જો એ ટીકામાં મૂળ કૃતિના પ્રતીકાને છૂટથી ઉપયેાગ થયા હાય તે ઘેાડા ધણુા અંશે મૂળ કૃતિના પુનઃનિર્માણની દિશામાં આગળ વધવાની એક તક ઉભી થાય છે. આ ઉપરાંત વિશેષ તે શાસ્ત્રગ્રન્થામાં મૂળકૃતિના ભાષ્ય કે ટીકા ઉપર પણ ઉપટીકાએ રચાઈ હોય ત્યારે વિભિન્ન સમયના સાંસ્કૃતિક કે વૈચારિક પ્રવાડી અને તેમાં થઈ રહેલા વિકાસના અથ્રુસાર પશુ મળી આવે છે. ખામ આ ભાષ્ય/ટીકા સાહિત્ય મુખ્ય રૂપે અની સ્પષ્ટતા સિદ્ધ કરે છે, અને આનુષંગિક રૂપે કોઈ ઐતિહાસિક કે વૈચારિક પૃષ્ઠભૂમિને પણ પરિચય કરાવી જાય છે. અને એ રીતે એ એક સ્વતંત્ર કૃતિના દરને પણ પ્રાપ્ત કરે છે. આ રીતે મૂળ ગ્રન્થ અને તેની ટીકાઓ વચ્ચેના અનુધ અનેક રીતે ઉપકારક નીવડે છે. આમ હોવા છતાં પણ ભાષ્ય/ટીકાસાહિત્યનું અધ્યયન કરવામાં વિવેક જાળવવેા આવશ્યક છે. કારણ કે તેના લાભ ખુા છે તેમ તેની મર્યાદાએ પશુ છે. ભાષ્યકાર કે ટીકાકાર છેવટે તે એક મનુષ્ય છે, અને પોતાના યુગનું સંતાન છે. તે સમયના પરિબળોએ તેના મન–દ્ધિને પ્રભાવિત કર્યા હોય છે. તેની પેાતાની પશુ અમુક {નશ્ચિત માન્યતાઓ બધાઈ હોય છે. કયારેક વિષયની પાકી સમજણ પશુ તેને ન હોય એવું પણ બની શકે. તેથી તેણે કરેલું અર્થઘટન કયારેક મૂળ ગ્રન્થકર્તાને અભિપ્રેત ન હોય એમ પણ બને. તે કોઇ વાર સમકાલીન સાંસ્કૃતિક પરિવેશથી રંજિત થયેલી દૃષ્ટિ, ટીકાકારને અપેક્ષિત એવું તાટસ્થ્ય જાળવવાનું પણ ચૂકી જાય છે. એમાં પણુ મૂળ ગ્રન્થની રચનાના સમય અને ભાષ્ય/ટીકાની રચનાના સમય વચ્ચે જ્યારે ધણું માટું અંતર પડી ગયું હોય ત્યારે પ્રાચીન કૃતિનું અંઘટન અર્વાચીન માપદંડથી થવાની શકયતા પણ નકારી શકાય નહીં. આ બધું જોતાં એવા પ્રશ્ન સ્વાભાવિક જ ઉઠે કે શું ભાષ્ય કે ટીકામાં આપેલે મત કે અર્થ મૂળને વફાદાર રહ્યો હશે ? પ્રાય: આ પ્રશ્નનો ઉત્તર નિર્ણયાત્મક હકારમાં આપવે કફિન થઈ પડે છે. "ટલાંક ઉદાહરણાને માત્ર નિર્દેશ કરીએ. For Private and Personal Use Only વેદનાં સૂકતા તા ધણા પ્રાચીન છે. હવે તેમનાં પરનું જૂનામાં જૂનું ઉપલબ્ધ ભાષ્ય પ બહુ મેડેથી લખાયેલું છે. તેની અને વેદની વચ્ચે સદીઓનું અંતર પડયું છે. પરિણામે આવા ભાગ્યેશ પરથી કદાચ સપાટી પરના સરળ અર્થાં તો પામી શકાય પણ્ તે સંપૂર્ણ સ ંતાષકારક તા ભાગ્યે જ લાગે. વાસ્તવમાં અહીં વેદમત્રોના અર્થ નહીં પણ તેમનું અર્થધટન જ હોય છે. અને
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy