SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય ાહિત્યના ભાવના ભીતર રહૅલ અનુભૂતિભૂલક પ્રતિક્રિયાનું પ્રાતિશાર્ષિક ચિત્ર ઉપસાવે છે. અર્નાવલ દિષ્ટ વડે થયેલું આવું સમ્યક નિરૂપણુ એની ખરી વિશેષતા છે. ૧૫ ભારતીય સૌંદ દષ્ટિ વિશ્વની અન્ય પ્રાઆથી ભિન્ન છે. અન્ય પ્રજાએ જ્યારે વસ્તુ અને તેના ઉપાદાનમાં સૌ જુવે છે ત્યારે ભારતીય પ્રજા મનુષ્યદષ્ટિમાં સૌંદર્ય હાવાનું માને છે. ભારતીય પ્રજા પાસે સુંદરતા માટે બે સત્તાએ છે. લાવણ્ય અને રમણીયતા. સપ્રમાણુ અંગેઅંગના સામંજસ્યમાંથી સ્ફુરતી સંવાદિતા અને સમગ્રતામાંથી ઉપસતી કાંતિ તે લાવણ્ય અને ક્ષણે ક્ષણે નવતા નિપજાવતી રૂપાલિ એટલે રમણીયતા, એવા એના આગવા ખ્યાલે છે. આ કારણે ભારતીય સૌંદ એ ધમાં આધ્યાત્મિકતા, સાત્ત્વિકતા અને નૈતિકતાના ભાવ છે. પશ્ચિમની પ્રજાએ નિમેલાં શિલ્પો-મૂર્તિએ અને ભારતીય પ્રજાએ ઘડેલાં શિલ્પા અને દેવ-દેવીએની મૂર્તિઓ નિહાળવાથી પણ ભારતીય પ્રજાને જે સૌદ મેધ છે તેને ખ્યાલ આવશે. ભારતીય સર્જક પાસે અનુભવનું ખળ અને અભિવ્યક્તિનું સૌંદર્ય કેવું છે એને અનુભવ કરવા ઇચ્છનારે ‘રામાયણુ 'ના સુંદરકાંડમાંથી, કાલિદાસના ‘મેશ્ર્વદૂત' અને 'ઋતુસંહાર 'માંથી, ટાગોરની ગીતાંજલી ', અને ‘ ચિત્રાંગદા 'માંથી, જયશંકર પ્રસાદછના મહાકાવ્ય કામાયની 'માંથી, રામધારી સહ દિનકરજીની ' ઉર્વશી 'માંથી, ચૈત્રયાદેવીની ‘ ન હન્યતે 'માંથી અને ભારતીય ભાષાએની રંગદર્શી (romantic ) કાવ્યધારામાંની પ્રકૃતિ અને પ્રણયકાવ્યોની પરંપરામાંથી પસાર થવું જોઈએ. ભારતીય સર્જકના સો દ ખાધમાં વિષયવસાના અને ભાલપ્સા કરતાં તનમનની સ્વસ્થતા અને શુચિતા, કુદરતનાં સÕાની અને મનુષ્યનાં શરીર સ્વભાવની અનુપમતા અને વિમલતાનાં ગુણલક્ષણા મુખ્ય છે. For Private and Personal Use Only ભારતીય પ્રજાની મૂલ્યદૃષ્ટિ પણ વિશિષ્ટ છે. મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા જેવાં જીવનમૂલ્યો વડે ધર્મ, અર્થ, કામ અને માક્ષ જેવા ચાર જીવન પુરુષાર્થા સંસિદ્ધ કરવાની ધારણા રાખતી આ પ્રજાના મૂલ્યમાધ અનન્ય છે. એની દૃષ્ટિએ જીવનમાં પ્રેમ, મમતા, વત્સલતા, દયા, ક્ષમા, ઉદારતા, શોર્ય, શૈવ, જ, તપ, નિતિક્ષા અભીપ્સા, જેવાં ભાવમૂલ્યેાને ઘણા મહિમા છે, જીવન જીવતાં અને જોગવતાં જે અર્થા, રહસ્ય કે દર્શન સ`પ્રાપ્ત થયાં. તે ભારતીય સર્જકોએ એમની રચનાએમાં પ્રગટ કર્યા છે. માગણીસમા શતકમાં આપણા દેશમાં પ્રાચીનપૂર્વ, અર્વાચીનપૂર્વ અને અર્વાચીન પશ્ચિમની ત્રણ સાંસ્કૃતિક ભાવધારાનેા સ`ગમ થયેા ત્યારે દેશની અને વિશેષ કરીને ગુજરાતની પ્રજાની સામાજિક-સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી, એનાં બલાબલ કેવાં હતાં, ભારતીય પ્રજાએ યન, કર્મ અને પ્રીતિવિષયક પેાતાની પુરાણી મીમાંસાનું નવસંસ્કરણુ કેવી રીતે અને કેવું કરવું પડશે, નિવૃત્તિમૂલક નિષ્કર્મ નહીં, પણ પ્રવૃત્તિમય સન્યાસનું મૂલ્ય શું છે એ બધું દર્શાવવા ગવનરામ ત્રિપાઠીએ ચાર ખંડમાં લખેલી બૃહન્નવલ‘ સરસ્વતીચંદ્ર ’માં પ્રગટતું સ કનુ દČન એનું એક ઉદાહરણુ છે. તે રવીન્દ્રનાથ ટાગારની ‘ ગારા ’માં આ સદીના આરંભે રાષ્ટ્રના પ્રગતિશીલ વના જીવનમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ, હિંદુધ અને હિંદુસમાજ, ભારતીય સાધના અને સસ્કૃતિ વિશે જે વિચારવિક્ષાભ જાગ્યા હતા એમાં જે વમળેા રચાયાં હતાં તેનુ સમાકલન રજૂ થયું છે. ભારત શું છે? એ કોઇ અભારતીયને શુ' આપી શકે ? કહેવાતી
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy