SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાઠિાસમાં મયદા સંસારને સંબત કરે છે. તે પિતાની આકાંક્ષા વધારે છે અને શકર પર આક્રમણ કરે છે. જગતનું કલ્યાણ, આત્યંતિક મંગલ એટલે જ “શિવ ”. વિશ્વકલ્યાણ મદનની ઉપાસનામાં નથી પણ તેના ધ વિરોધી સ્વરૂપને દબાવવામાં છે. કામ પિતાની પ્રભુતા રહે છે અને વિશ્વકલ્યાણ પર પિતાનું સંમેહના બાણ છોડે છે. શંકર પિતાનું ત્રોજ નેત્ર ખોલે છે. ત્રીજ નેત્ર “જ્ઞાનનેત્ર' છે જે પ્રત્યેક મનુષ્યના મધ્યમાં છે. પણ સુષુપ્ત હોવાથી તેના અસ્તિત્વનું ભાન થતું નથી. શંકરનું તે નેત્ર જાગૃત છે. તે જ્ઞાનની જવાળામાં મદનનું દહન થાય છે. ધર્મને વિરોધી કામ ભસ્મને ઢગ બની જાય છે. ૧૦ પિતાની જ સામે કામદેવને ભસ્માવશે જોઈને, પિતાના ભૌતિક સૌદર્યથી શિવને જીતવાની ઈચ્છાવાળી પાર્વતી ભગ્નમનેરથા બની જાય છે.૧૧ તપ દ્વારા તે કામને ધર્મને અનુકુળ બનાવી લે છે ત્યારે શિવ સ્વયં ઉપસ્થિત થાય છે અને કહે છે “ તપથી ખરીદાયેલે હું તારે દાસ છું, ” પ્રસ્તુત પ્રસંગની સમાલોચના કરતાં શ્રી બળદેવ ઉપાધ્યાયે કહ્યું છે, “પિતાનું શરીર તપાવ્યા સિવાય તથા હૃદયમાં રહેલી દુર્વાસનાને ભસ્મીભૂત કર્યા સિવાય ધર્મની ભાવના જાગૃત થતી નથી. કાલિદાસે કામદહન દર્શાવીને આ ચિરંતન તને પ્રગટ કર્યું છે. આ રીતે કાલિદાસની દૃષ્ટિમાં કામ તથા ધર્મના પરસ્પર સંધર્ષમાં આપણે કામને દબાવીને ધર્મને અનુકુળ બનાવવો જ પડશે. જગતનું કલ્યાણ આ સાધનામાં જ સિદ્ધ છે. ૧૩ જેવું કામના અનુશાસનનું ચિત્ર “કુમારસંભવ'માં મળે છે તેવું અર્થના અનુશાસનનું ચિત્ર “રઘુવંશ'માં મળે છે. અર્થ કે ધનની ગતિ ત્રણ પ્રકારે થાય છે. ધનને ભેગ, દાન અથવા વિનાશ થાય છે. (યાને મોજ નાતો તો મારિત વિરૂધ્ધ નીતિરાત5) કાલિદાસે રધુવંશમાં ધનના ભેગની નહિ પરંતુ તેના ત્યાગ કે દાનને ઉપદેશ આપે છે. (હ્યTTય હંમતાથનાં ૬૦ ૨૭) ધનને માત્ર ઉપભોગ કરનાર રાજા રોગગ્રસ્ત બની જાય છે અને તેની પ્રજા દરિદ્ર થઈને અનેક પ્રકારે પીડાય છે, આ ધર્મથી વિરુદ્ધ છે. રાજા અગ્નિવર્ણનું ચરિત્ર તેનું પ્રમાણ છે, જે રધુકુલના પતનનું કારણ બન્ય, ભેગમાં તે એટલે ડૂબેલું હતું કે પ્રજાને દર્શન આપવાને તેને અવકાશ ન હતો. મંત્રીઓની વિનંતીથી જ્યારે કોઈકવાર દર્શન આપતા તે બારીમાંથી લટકાવેલ પિતાના ચરણનું ! પ્રા પિતાના રાજાનું મુખદર્શન કરવા આવતી હતી પરંતુ તેના ચરણોનું દર્શન કરીને પાછી કરતી હતી ૧૪ ९ संमोहनं नाम च पुष्पधन्वा धनुष्यमोघं समधत्त बाणम् । (कुमार० ३/६६) ૨૦ માડવો મદ |રા (કુમાર૦ ૩/૨ ) ११ तथा समक्षं दहता मनोभवं, નામના માનમનોરથા હતી . ( કુમાર ૧/) १२ अद्यप्रभूत्यवनतानि तवास्मि दासः, कीतस्तपोभिरिति वादिनि चन्द्रमौली। (कुमार० ५/८६) उपाध्याय बलदेव, संस्कृत साहित्यका इतिहास : पृ० १९४. १४ गौरवाद्यदपि जातु मन्त्रिणां, दर्शनं प्रकृतिकांक्षितं ददौं । तदा गवाक्षविवरावलम्बिना જેવા નોન સ્વિતન્. (ધુ/) १३ उपा For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy