SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલકન ૨ “ અમર-ય-સંવાદમાં સમગ્ર ધાર્મિક આધ્યાત્મિક પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર અને વ્યવહારજીવનના ઘણા પ્રશ્નોની ચર્ચા છે. 3 “વારસનું અનુમોદન પલકમાંથી'-ભક્તિબાના પાત્ર દ્વારા એકાગ્રભાવે પાઠવેલા વિચારો કેટલા શક્તિશાળી હોય છે તે કહી જાય છે? પ્રેતાવાહનના પ્રયોગની માહિતી લેખકે આપી છે. આ પણ જાણવા મળે છે કે સ્વપ્નમાં જે દશ્ય દેખાય છે તે વાસ્તવિકતામાં પણ હોય છે. એ આખી મને વૈજ્ઞાનિક પ્રક્રિયાનું અહીં દષ્ટાંત મળે છે છતાં સ્વપ્ન અંગે અનિર્ણાયક મનઃ સ્થિતિ રહે છે તેવો લેખકે પોતાને અનુભવ કહ્યો છે. વ્યક્તિચિત્રણ સાથે મરણોત્તર અવસ્થા અને મૃતાત્માના બળાબળ સંબંધી વિગતિ અને એ અંગેના સંશોધનની માહિતીથી સભર આ કિસ્સે છે. ૪ “શંખ, રુદ્રાક્ષ, વીશ ટિકિટ” રેપ્રવાસમાં થતી છેતરપીંડીને કિસ્સો વર્ણવાયો છે. આપણી ધાર્મિક માન્યતાઓના ફરેબી માણસે કે લાભ લેતા હોય છે તેની વિગતે વાત કરતી વખતે વીશ ટિકિટ લેનાર માણૂસ વિશે પૃથકકરણ કરે છે ત્યારે લેખકનું સામુહિકશાસ્ત્રનું જ્ઞાન પ્રગટ થાય છે. ૫ “ તમારે તમને ફરીથી મળે છે તેજબહાદુર નામે બદ્રીકેદારના મજરની પ્રમાણિકતા વર્ણવાઈ છે સાથે લેખકે એનું માનસ પૃથકકરણ પણ કર્યું છે. * દ્રાવડી પ્રાણાયામ દેવત્વનાં '-આશ્રમમાં રાત્રે એટલા ઉપર એક ભગવાંધારીને નિદ્રાવસ્થામાં બડબડાટ કરતે લેખક જ છે. કમળા અને જયરામ સંબંધે એ બડબડાટ છે. નિદ્રાવસ્થામાં, નશામાં માંતરમનમાં દબાઈને પડેલા વિચારે, લાગણીઓ અનૈચ્છિક રીતે વાચા પામીને બહાર આવે છે. ગુનેગારો, મનોરણ માણસો પર એ પ્રક્રિયાના વિનિયોગની વાત કરી છે. લેખક ભગવાંધારી ચતુરાનંદ પાસે જઈ માનસિક સંદેશ પાઠવે છે, માનસિક સંદેશાની પ્રક્રિયાનું મહત્વ વર્ણવી ડોક્ટર, ન્યાયાધીશ, શિક્ષક વગેરે વ્યવસાયના માણસોને માનસિક સુચનપ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું છે. સવારમાં ચતુરાનંદ પિતાની હકીકત કહે છે. ધર્મ એક વ્યવસાય તરીકે સ્વીકાર્યો હોય એવી વ્યક્તિનું વ્યક્તિચિત્ર સ્વામી ચતુરાનંદના મિત્ર, ઈશ્વર સાયકલ સ્ટોરવાળામાંથી બની બેઠેલા સ્વામી ઇશ્વરાનંદમાં જોવા મળે છે. જે દંભને એક મૂલ્ય તરીકે સ્થાપે છે. તે ચતુરાનંદને આ ધંધામાં ઝંપલાવવા કહીં એ અંગે માર્ગદર્શન આપે છે. એનું અઠંગ ઉસ્તાદ તરીકેનું વ્યક્તિત્વ લેખક આબાદ ઉપસાવી શકાય છે. ચતુરાનંદ એ ધંધામાં ઝંપલાવ્યા પછી શું કરે છે તેની વિગતે વાત કરી છે. - ગુર–ચેલા બનેને કર્મનું ફળ મળતુ' બતાવ્યું છે. બન્નેની બરબાદી દર્શાવી છે. ચતુરાનંદ પશ્ચાતાપ પછી ફરીથી દૂધવાળા તરીકે જીવન શરૂ કરે છે. ઈશ્વરાનંદ પાપની શિક્ષા ભોગવ્યાની કબૂલાત કરે છે. લેખકે પંચતંત્ર અને આર્થર ગુટમેનની પંક્તિઓ ટાંકી છે. શેકસપિઅરની ભાવ અંગેની માન્યતા ચતુરાનંદની માન્યતારૂપે દર્શાવી છે. For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy