SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિ૧૦ નિશીથ નટવર ધ્રુવ વર્ણોના બે મુખ્ય પ્રકાર છે : સ્વર અને વ્યંજન. = અવાજ કરવો એ ધાતુ પરથી સ્વર શબ્દ સધાયો છે. ફેફસાંમાંથી નીકળીને નાદતન્ત્રીઓમાં કશ્મન ઊપજાવી કોઈ પણ અંતરાય વગર નિર્ગત થતો વનિ તે સ્પે. -વર સ્વતન્ય છે, બીજા કોઈ પણ વનિની સહાય વગર પણ ઉચ્ચરિત થવા સમર્થ છે. માટે જ કહ્યું છે કે સ્વયમ રાખજે ત હયા: અ-આ-ઇ-ઉ વગેરે સવ છે. . ... :. * પણ અન્ય વર્ગોને પ્રકટ થવા બીજા ધ્વનિને આધાર લેવો પડે છે. દા. ત. “ફ” તે કઈ રીતે બેલા! અ + ફ = અકે ફ + અ = ક એ રીતે જ આ ધ્વનિ પ્રકટ થાય. વ્યક્ત થવા વિશેષ આજ જોઈએ એટલે જે વ વર્ણો વ્યંજન (fજ + સજ્જન) કહેવાય છે. ફ થી ળ સુધીના વર્ષે વ્યંજનો છે. . પિતાની મેળે ઉચ્ચરિત થઈ શકે એવી અલ્પતમ શ્રુતિ તે અક્ષર છે. (ઈગ્લિશમાં Syllable ). “અફ” કે “ક” માંથી “એ” કાઢી નાખે, તે શેષ રહેલો “ફ” એકલો બેલી શકાતો નથી, એને ક્ષર થાય છે, માટે જ એ અક્ષર નથી, કેવળ મૂળવણું છે. આમ અક્ષરમાં સ્વરનું હોવું અનિવાર્ય છે. દરેક સ્વર અખરડ મૂળ ધ્વનિ હોવાથી વર્ણ તો છે જ, પણ સ્વતંત્ર રીતે ઉચ્ચરિત થવાને સમર્થ હોવાથી અક્ષર પણ છે. અફ અને ક બને દ્વિવર્ણ અક્ષરે છે. અકએ હલન્ત કે વ્યજનાને અક્ષર છે, જેને ઈંગ્લિશમાં Closed syllable કહેવાય છે. ક એ એજન્મ કે સ્વરાન અક્ષર છે જેને ઈંગ્લિશમાં open syllable કહેવાય છે. . કે - છેક આરમ્ભથી જ આપણા તેજસ્વી પૂર્વજોએ લિપિમાં એક તર્કબદ્ધ વાકપ્રતિબિમ્બક વ્યવસ્થાનું નિર્માણ કરી લીધું હતું. દરેક વર્ણ માટે એક સ્વત– વિપિસત ફાળવવામાં આવ્યો. વ્યંજન ઉચ્ચારણમાં સ્વતન્ત્ર નથી, તેમજ આપણી લિપિમાં પણ સ્વત– બતાડાતે નથી. આપણી દરેક લિપિમાંની મુળાકૃતિ અ-કારયુક્ત જ હોય છે. “અ” આદ્ય વર્ણ છે. અને આદ્ય અક્ષર પડ્યું છે. માટે જ “ મૂળાક્ષર'માં “અ” નિહિત રાખીને જ લિપિસક્રેતાનું નિર્માણ થયું. , , , આટલી ભૂમિકાથી વર્ણમાળા અને મૂળાક્ષરો વચ્ચેને સૂકમ ભેદ સમજી શકાશે. વર્ણમાળા' બતાડીએ ત્યારે સ્વરોની આકૃતિઓ થયાવત્ રહે, પણ વ્યંજનોની આકૃતિઓ તે ખાતે જ બતાડવી જોઈએ. પણ મૂળાક્ષરો' બતાડીએ ત્યારે સ્વરની આકૃતિઓ યથાવત રહે જ; પણું વ્યંજનની આકૃતિઓ તે અ-કારયુક્ત જ બતાડવી જોઈએ. . "વર્ણ અને અક્ષર એ ઉચ્ચરિત વનિનાં એકમે છે, લિપિનાં નહિ. પણ પરિભાષા અંગેના ઢીલા ધેરણને લીધે લિપિમાં પ્રયુક્ત મૂળાકૃતિઓને પણ આપણે “અક્ષર' કહીએ છીએ. પરિણામે “ક”ને મૂળાક્ષર તરીકે વ્યાકરણનાં પુસ્તકોમાં પણ બતાડાય છે! બીજે જ શ્વાસે કત’ને એક જ અક્ષર પણ ગણીએ છીએ! આ પાર્શ્વભૂને આધારે આપણે સ્વરમાળા અને એનું લિપિસ્થીકરણ સમજીએ. કોઈ પણ જાતના પૂર્ણ કે આંશિક અન્તચય વગર ઉત્પન્ન થતો સ્વર તે એ છે. “અ” એ આદ્ય વર્ણ For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy