SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરીશ પંડિત વિલિયમ સેમ્પસન, ફીલીપ વહીબરાઈટ, મિલ્ટન મરે તથા સુસાન લેંગર; આ સૌ ભાષા શક્તિ પર પુરાકલ્પનને ભારપૂર્વક તપાસે છે અને સ્વીકારે છે. આ સૌને પુરાણોમાં રસ છે, અવનવા અનુભવોસંવેદન/વિચારે એમાં વેરવિખેર પડયાં છે તે કારણે સર્જક શું કરે છે ? લંગર કહે છે, એ સાદો ઊભાં કરે છે, સંદિધતા જન્માવે છે, સાહચર્યો પ્રગટાવે છે ને એ રીતે જગતનું રહસ્ય ઊભુ કરે છે, કહો કે રહસ્યનું જગત ઊભું કરે છે ને એમાં એનું હથિયાર છે મેટાફર. આપણું વૈદિક વારસાને યાદ કરીએ તે મેટાફરનું જવલંત ઉદાહરણ મળશેઃ उत त्वः पश्यन् न ददर्श वाचम् उत त्वः शृण्वन् न शृणोत्येनाम् । उती तु अस्मै तन्वं वि संस्त्रे ગાયેય વય ૩૨ાતી સુવાસ: . (ઋગવેદ, ૧૦/૭૧/૪ ) –(આ એ દિવ્ય વાણી છે, જેને કેટલાકે જોઈ પરતુ જાણી નહિ, કેટલાકે એને સાંભળી પરન્તુ સમજ્યા નહિ, (પરિણામે) એ એવી નવવધૂ બની રહી, જે પસંદ કરેલા પુરુષ ( = પતિ) આગળ જ પ્રગટ થાય.) અહીં વાફ માટે કવિએ વધુને મૅટાફર : સંભવ છે ઝોક જગતમાં આ કક્ષાને સર્જક Muse નામની દેવીને એ જ પ્રેરકઉજક અંશ પણ પસંદ કરે. કહેવું છે કવિને આ—“ ઊષા આકાશમાં દેખાઈ', કવિની ભાષામુદ્રા લાક્ષણિક શબ્દ વૈભવને આવા અલૌકિક દશ્ય માટે ખર્ચી ના કાઢે તે એ કવિ શાને ? લંગર અભિવ્યક્તિને જે “Special mode '– આપવાની વાત કરે છે તે આ. લેંગરના આ મુદ્દાને તે સુરેશ જોશી એટલી હદે લંબાવે છે કે, * ......... જો તમે આ રીતે તમારી ચેતનાને પોષણ નહીં આપે, એનાં પરિમાણને નહિ વિસ્તારે તે ધીમે ધીમે વિધાઉટ યોર નોલેજ યુ વિલ સ્લિપ ઈન-એસિસ્ટન્સ....” (આત્મપદી, સુરેશ જોશી, પૃ. 105)–ચેતનાને મુદ્દો સુરેશીય હેઈ શકે. * લેંગરની બીજી સ્થાપના છે કે, આપણને કોરો અનુભવ થતો જ નથી, રંગાયેલે કે સંસ્કાર પામેલો અનુભવ થાય છે. સંસ્કાર પામવાની પ્રક્રિયાનું એક પરિમાણ છે એમની દૃષ્ટિએ પ્રતીક. આ વાત તેઓ “An introduction to symbolic logic' (p. 23–24)માં કરે છે અન્ય પુસ્તકમાં પણ વેરવિખેર મળશે– It is sucked in to the stream of symbols which constitutes a human mind. R Ritual is essentially the active termination of a symbolic transformation of experience. 3 Symbols are not proxy for their objects but the vehicles for tho conception of objects. X " In the fundamental notion of symbolism. we have the keynote of all human problems," For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy