SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org કહાવિભાવનામાં સ્વાયત્તતા! સુસાન લેમર હતું. મને પણ કયાંથી સંદિગ્ધતાઓની સૃષ્ટિ ઊભી થઈ હોય ત્યાં? અર્થાત લેંગર એવી બેટી આશાઓ બંધાવતાં નથી જ. સૂખાળવા સમાધનની તે વાત જ કયાં રહી? લેંગરની તલના બઝાંકટ સાથે કરી શકાય ? બને માને છે કે (૧) કલ્પકૃતિ આભાસરૂપ છે (૨) ક૬૫કૃતિના સંદર્ભમાં અસ્તિત્વમાં રહેલી વસ્તુઓને વ્યવહારુ ઉપયોગ કરવો અમેગ્ય અને અનુચિત છે. લેગર જહાં કયાં પડે છેઃ કલ્પસ્વાદ એ લેંગરના મતે જ્ઞાનને અનુભવ છે. જ્ઞાનની વાત આવે એટલે કે તરત યાદ આવે? બન્ને માને છે કે (૧) કલ્પકૃતિ વસ્તુના વિશિષ્ટ જ્ઞાનમાંથી જન્મે છે. (૨) એમાં રહેલું જ્ઞાન શાસ્ત્રના કે ઇતિહાસના જ્ઞાન કરતાં વિશિષ્ટ છે. લેગરને મહત્વને ઉમેરે એ છે કે, કલાને અનુભવ જ અલૌકિક છે. કળાના સિદ્ધાન્તની સાચી પરીક્ષા સાહિત્યના ક્ષેત્રમાં થાય છે. ઉદાહરણરૂપે ટ્રેજેડીની ચર્ચા આગળ થઈ ગઈ. તેથી જ હર્બર્ટ રીડ અભિપ્રાય આપે છે કે, “For the first time we have a Theory which accounts satisfactory for all forms of art and all art forms”—અર્થાત કળાના ક્ષેત્રમાં પહેલી વાર એવો સિદ્ધાન્ત મળે છે, જેમાં કળાના રૂપવિશેષો વિશે અને કળાનાં રૂપ વિશે સંતોષજનક હિસાબ મળે છે. આ હિસાબ તરીકે પુરાકલ્પન અને પ્રતીકને મુદ્દા લઇ શકાય. પુરાકલ્પન (Myth)ની વ્યાખ્યા વિશ્વકોશમાં મળે છે : મનુષ્યને કે દેવી મનુષ્યને તાકતી Gડા રહસ્યવાળી વાર્તા રે વાર્તાનું સંકુલ. પશ્ચિમી જગતમાં આના આધુનિક અભ્યાસીઓ કાસિરેટ, મેસિનેવિસ્કી તથા લંગર પ્રખ્યાત છે. માનવચેતનના સ્વાયત્ત રૂપ તરીકે પુરાકલ્પનને આ વિધાને ધટાવે છે. આ આદિમતા એક શક્તિ છે, એક શ્રદ્ધા છે અને માનવસંસ્કૃતિનું પહેલું પગલું છે. આ દરને લૅગર જ્ઞાન +તત્ત્વજ્ઞાન ભણી લંબાવે છે. સમાજ અને સામાજિક ચેતના તરફ પુરાકલપનને સાંકળવામાં સેંગર મલિક સાહસ દાખવે છે એ ધ્યાનાર્હ છે. એ કહે છે કે, દેવ, માનવ આદિમાનવ સાથે સંકળાયેલ ક્રિયાકાષ્ઠો કે ઉત્સવ દ્વારા કાંઈક “જ્ઞાન” પુરે છે અને એને ઉપયોગ સર્જક વિશિષ્ટ કરે છે. એમના શબ્દોમાં વાંચીએ : “What the special mode of expression is and how serviceable expression it is for saying what the author warrts to say... –અર્થાત સર્જક સ્વયં શું કહે છે, કહેવા માંગે છે, એ સમજવામાં કામ આવે એવું આ અભિવ્યક્તિનું રૂ૫ (પુરાક૯૫ન) છે, કહે કે, કંઈક વિશિષ્ટ વળાંક પણ છે. આ વિશિષ્ટ વળાંકને ઉદગમ છે ભાષા અને સુસાન લેંગર ભાષાના પ્રખર પુરસ્કર્તા છે. એ આગળ કહે છે: 'In poetic events (like mythology) the element of brute fact is illusory, tho stamp of language makes the whole thing... ---અર્થાત ( પુરાકલ્પન જેવાં) કવિગત આયુધ પરત્વે ખીચટ હકીકત છે કે એ (પ્રદેશ) ભ્રામક અને ધૂંધળા જ છે, આખી ચીજ જે બનાવે છે તે તે છે કવિની ભાષા, કવિભાવાની મુદ્રા. આ મુદ્રા શેમાં રહી છે. ધુમ્મસને વાચા આપે, અંધકારને મહેકતે બનાવે, પવનને મખમલી પિત અપાવે, ઈત્યાદિ. પછી જમાને જમાને કે કવિએ પસંદગીઓ તે બદલાયા કરે, દા.ત. અજગરને બદલે થિયેટર આ. સુસાન લેંગર આ થિયેટરને ખુશી ખુશીથી “ The stamp of language' કહેવાનું પસંદ કરે : અલબત્ત આ અનુમાન છે, For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy