SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ હ “ ફરિયાદની દશા માં અન્યાયને અતિકાર, સમાજ નું બેદરકાર વલણુ, ગેરવહીવટ, ગેરરીતિ એ વાસ્તવિકતાનું ચિત્ર રેવેતંત્રના માધ્યમ દ્વારા આપ્યું છે. ૮ ચંપાને શાપ –અંતરના ઊંડાણમાંથી નીકળેલા શાપ પ્રમાણે બને છે એ વાત એક આદર્શ ડોકટરના પાત્ર દ્વારા પુરવાર કરી છે. ડોકટરનું વ્યક્તિત્વ નિરાળુ છે. “ સારા ડૉકટરની બાબતમાં બને છે તેમ તેને ધંધે બહુ સારે ચાલતો ન હતો.” (પૃ. ૧૭૪) વિધાન ચિત્ય છે. જીવનમાં આકસિમક્તાનું મહત્ત્વ અહીં પણ સમજાવ્યું છે. ૯ લેખક આકસ્મિક રીતે અંબાજી દર્શને ગયા અને અંબાજીદર્શનની ઇચ્છા ફળ્યાની વાત “અંતઃસફુરણાની વિલક્ષણ સાકારતા ”માં છે. - ૧૦ ૧૦૮ જેટલા શુભસંકોની યાદી “લામાની સંકલ્પમાળા”માં છે. 11 વિદ્યાર્થીઓના વાંકે શિક્ષકને કેવું સહન કરવું પડે છે તે ' શિક્ષકને શિષ્યની સતામણું માં છે. વિવિધ ક્ષેત્રોમાં લેખકનું અવલોકન તલસ્પર્શી છે. અહીં વકીલાતના ક્ષેત્ર વિષે લેખક પિતાનું અવલોકન અને સમાજ પ્રગટ કરે છે. ન બનવું જોઈએ તેવું બન્યાની ઘટના અહીં છે પણ અન્ય પ્રસંગોમાં વર્ણવાયેલ અદષ્ટની મદદ અહીં નથી. ૧૨ નિદ્રાસંચાર લોકોનું મનોવિજ્ઞાનિક અધ્યયન અને નિદ્રાધીન સ્થિતિમાં થતી સર્જનાત્મક પ્રવૃત્તિઓને આલેખ “નિદ્રાસંચારીમાં છે. પુસ્તક ત્રીજુ-“ઝલક અને ઝાંખી –Reminiscences ને શ્રી. એચ. સી. શાહે કરેલે ભાવાનુવાદ ૧ મુસાફરીની ફલશ્રુતિમાં પર્યટનોનું મહત્વ સમજાવી, પર્યટન દરમ્યાન કેટલાક રમૂજ પેદા કરે તેવા અનુભવોની આડબાજઓ રજુ કરી પિતાને વિશે લોકોમાં ફેલાયેલી જાતની ગેરસમજે અને અહોભાવનાની વિગત દર્શાવી છે. ર ‘સધી સંત ”-જીવનઘડતરમાં અમૂલ્ય પ્રદાન કરનાર બે સંત–મસ્તરામજી અને મકરાણાસાહેબના સાનિધ્યમાં એકત્રિત થયેલ અનુભવસામગ્રી સાથે વિચારસંક્રમણના પ્રયોગની અસરકારકતા સમજાવી છે. ૩ શાંતિનાથ - અરેબિયન નાઇટ્સની અજાયબીભરી દુનિયાના માણસ જેવા શાંતિનાથના વ્યક્તિચિત્રણ સાથે ચમત્કારિક શક્તિના સંક્રમણની વિગત આપી છે, મેલી વિદ્યાના ઉપાસકોને બૂરો અંજામ આવે છે એ પુરવાર કર્યું છે. સાથે વેદસૂચિત પંથ પર લેખકની અતૂટ શ્રદ્ધા જોઈ શકાય છે. ૪ *ગનીદેવી માં સિદ્ધગિનીદેવીનાં દર્શન અને સિદ્ધિઓની પ્રાપ્તિની વાત સાથે પરષના અપેક્ષારો સ્ત્રીઓ પોતાની માનસિક ચેતના ઉપર વધુ જલદી પ્રભુત્વ મેળવી શકે છે એવી માન્યતા પ્રગટ કરી છે, “ આરહાદ ઉત્ક્રાન્તિની નૈસર્ગિક પ્રક્રિયામાંથી આપણે બધાંને પસાર For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy