SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાવલોકન સાથે આખી કથની સાંભળી, વાદ રાખી તેનું નિરૂપણ કરનાર લેખકની સ્મરણશક્તિ માન પજાવે છે. પરઠણવિરોધી વિચારે અહીં પણ રજૂ થયા છે. “જે સ્ત્રીએ દુઃખને દરિયે ડહોળ્યું હોય તે જ સ્ત્રી, પુર્વ દેહ દ્વારા, સ્ત્રી જનોની સેવા કરી તેમના પુનરુદ્ધાર માટે પ્રયત્નશીલ રહી શકે. " (પૃ. ૧૦૧-૨ ) અહીં “ પુરુષ દેહ દ્વારા ' શબ્દો ગૂંચવાડે ઊભે કરે છે, ૨૫ ઋણાનુબંધ-આપણાં કર્મ અનુસાર પૂર્વજન્મનાં બંધને નિઃશંક રીતે કાર્ય કરે છે તે સત્ય સ્પષ્ટ કરતો અદ્દભુત રસપ્રદ સ્વાનુભવ વર્ણવ્યા છે. અહીં વચમાં ૧૯૪૬માં મધ્યપ્રદેશમાં એક મહાત્માએ સ્વામીજીના બે પૂર્વજન્મની હકીકત કહેલી તે ટાંકી છે. પુસ્તક બીજ:-પથિકના અનુભવે? – Episodes and experiences - શ્રી શાંતિલાલ ઠાકરે કરેલ ભાવાનુવાદ ૧ ભયમાંથી મુક્તિ-ભયનું સ્વરૂપ સ્પષ્ટ કરી લેખકે સ્વાનુભવ આલેખી પોતે ભયની પકડમાંથી કેવી રીતે મુક્ત બન્યા, માધ્યામિક સોપાન શી રીતે સિદ્ધ કર્યું તે જણાવી પિતાની મર્યાદાની નિખાલસ કબૂલાત કરી છે. મસ્તરામજીનું વ્યક્તિચિત્ર આપ્યું છે. ૨ પ્રેતસૃષ્ટિને પરિચય આપી લેખકે પોતાને પ્રેતાત્મા સાથે સંવાદ કે પ્રેતાત્મા બોલે * છે ”માં આલેખ્યો છે. 3 નસીબની બેધારી રમત 'માં આપણા જીવનની ઘણીખરી ધટનાએ અફરપણે પૂર્વનિશ્ચિત થઈ ગયેલી જ હોય છે. એ પુરવાર કરતી ઘટના છે. ચીંથરેહાલ છોકરાની માણસાઈ જોઈ શેઠ તેને પોતાને ઘેર લઈ આવે છે. તે પવિત્રકુમાર અને શેઠના દીકરા પ્રમદના જીવનને તફાવત બતાવી પૂર્વજન્મ, ઋણાનુબંધ, સંસ્કાર અને પ્રારબ્ધ પુરવાર કરતી, આ પાત્રોની વિગતે સૂર્યસંહિતાને આધારે આપી છે. ૪ શિવના વીંછી-સ્થાનનું વિશિષ્ટ વાતાવરણ અને ત્યાં બનતી અકલિત ધટનાની વાત, ગલતગાના સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની આસપાસ દુકૃત્ય કરનારને વીંછી કરડ્યાનો ઉદાહરણ સાથે કરી છે. અન્યાયી કૃત્ય કરનારને ઈરાદાને વીંછી જેવાં ક્ષુદ્ર જંતુઓ કેવી રીતે કળી જાય છે એ એક કોયડો છે એમ કહ્યા પછી ગુનેગારોને અને રાષ્ટ્રદ્રોહી લોકોને નિયમનમાં રાખવા ભગવાન શિવ પૂરતી સંખ્યામાં આવા વછી મોકલી આપે તે ? એવો ભાવનાત્મક તુક્કો પણ રજૂ કર્યો છે. વીંછીના દર્દને દૂર કરવા માટેનું યંત્ર પણ બતાવ્યો છે, ૫ “ મૃત્યુનું વિનાશકારી તાંડવ ' મૃત્યુ અંગે ચિંતન અને ઉપકારનો બદલો વાળ્યાની સુદરયાની હકીકત સાથે ઉપરાઉપરી મરછુની ઘટનાઓ અને એમાંથી સર્જાતી કરુણતાને લાભ ઉઠાવતા રાજભૂષણની દુષ્ટતાને પરિચય છે. ૬ વહેમી માનસને દૂર પગ કરી પૈસા કમાતા મકાનમાલિકની ચાલાકી પર્દાફાશ કેવી રીતે કરવામાં આવ્યું તે સાથે શેઠના હદયપરિવર્તન અને ધર્મ પરિવર્તનની વાત શેરને માથે સવાશેર' કહી જાય છે, For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy