SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નૈતિક મૂલ્યા અને સમાજ-સુધારણા અંગે Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામી સહજાનંદના પ્રયાસા' રસેશ જમીનદાર+ ઇતિહાસ એટલે શુ? ઇતિહાસ એ જ્ઞાનને વિષય છે. જ્ઞાન એ માનવીને ભૂતકાળમાં થયેલા અનુભવ છે. તેથી ભૂતકાળમાં બનેલી ઘટના જ્ઞેય છે. જ્ઞાતા એ ઘટનાને જાણવાની ઇચ્છા રાખનાર જિજ્ઞાસુ છે, આવી જિજ્ઞાસુ-વ્યક્તિ જે વિચારી–વષ્ણુના પ્રસ્તુત કરે છે તેમાં જ્ઞાન સમાયેલું છે. આમ જગતનું તમામ જ્ઞાન માનવીના ભૂતકાળના અનુભવે ના સ'ચયરૂપ છે. આ દૃષ્ટિએ તિહાસના અભ્યાસ એટલે જ્ઞાનની સાધના આ સાધના સ્થળ અને કાળની મર્યાદામાં રહીને વિશેષરૂપે અનુકૂળ રહે છે. ટ્રકમાં, ઇતિહાસનું કાર્ય માનવીએ કરેલા પુરુષાર્થની મીમાંસા કરી તેનું અર્થઘટન કરવાનું છે. આમ, ઇતિહાસ એ આખા સમાજનું ઇતિવૃત્ત ક સહાનંદ સ્વામીને થયેલા અનુભવો આજે આપણા માટે જ્ઞાન છે. એમના જીવન દરમ્યાન ઘટેલી ઘટનાએ તે તૈય છે અને આપણે સહુ જ્ઞાતા છીએ. જ્ઞાનની સાધના સ્થળ અને કાળની મર્યાદામાં વિશેષ શક્ય છે. તદનુસાર અહીં સ્થળ ગુજરાત છે, અને કાળ સ્વામી સહાન ની જીવનકાળ એટલે ૧૮મી-૧૯મી સદીને સધિકાળ છે. સહાનદ કરેલા પુરુષાર્થ ની મીમાંસા અને તેનું અર્થઘટન તે આપણા માટે ઇતિહાસ છે. સમાજનું પ્રતિવૃત્ત એટલે ઇતિહાસ આપણે જોયું કે ઇતિહાસ એ આખા સમાનું પ્રતિવૃત્ત છે, તે ધર્મ એ સમાજનું ધારક પરિબળ છે, તા શિક્ષણ એના વિકાસને વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે, અને અથ ભૌતિક સામગ્રો સ‘પ્રાપ્ત કરાવે છે. આમ, સમાજ ધર્માં શિક્ષણ અર્થે ઇતિહાસની ઘટનાઓને સમજવામાં સહાયભૂત થાય છે. આ બધાં તત્ત્વા સંયુક્તરૂપે સમાજની ઇમારતને સુદૃઢ બનાવે છે. આથી આ ક્ષેત્રોમાં થયેલાં પિરવત નાના અભ્યાસ ઋતિહાસનિરૂપણુ માટે જરૂરી છે. ‘ સ્વાધ્યાય’- પુ. ૩૦, અંક ૧૨, દીપેùત્સવી-વસંતપંચમી અંક, કટોબર, ૧૯૯-૨ જાન્યુઆરી ૧૯૯૬, પૃ. ૯-૧૦૮, * ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારા આયેાજિત દ્વિદિવસીય સ`ગોષ્ઠિ ૧૯મી અને ૨૦મી સદીના ગુજરાતમાં સમાજસુધારકે અને સમાજપરિવતનની દિશા ’(૭-૮, ૪-૯૪ )માં આઠમી એપ્રિલે વાંચેલા નિબંધ સુધારા-વધારા સાથે, આયોજકાના સૌજન્યથી + બી-૧૦, વસુ એપાટ મેન્ટસ, શ્રી પેલેસ સામે, નારણપુરા, અમદાવાદ ૬૮૦૦૧૩. આ મુદ્દાની વિગતવાર ચર્ચા માટે જુએ!: જમીનદાર રસેશ, ઇતિહાસઃ સ’પના અને સ'શાધનો, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯, પૃષ્ઠ ૭ થી ૯. ધુ માહિતી માટે જુએ : જમીનદાર, એજન, પૃ. ૭૧ અને ૭૫ For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy