SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘વિરતાળુનીય'માં પાઠભેદ એ. એમ. પ્રજાપતિ કાલિદાસના અનુયાયીઓમાં મહાકાવ્યની રચના કરનારા મહાકવિઓમાં ભારવિ કદાચ સૌથી પહેલું અને નિશ્ચિતપણે સૌથી મહત્ત્વનું છે. ભારવિના મહાકાવ્ય પર પ્રકાશવર્ષ, જેનરાજ, એકનાથ, ધર્મવિજય, વિનયસુંદર, નરહર, મલ્લિનાથ વગેરેએ લખેલી આઠ જેટલી ટીકાઓ પ્રાપ્ત થાય છે. ટીકાકારોમાં પ્રકાશવર્ષ અને જેનરાજ કાશ્મીરી, ધર્મવિજય અને વિનયસુંદર જૈન અને એકનાથ, નરહરિ અને મહિલનાથ દક્ષિણના છે. તેમની ટીકાઓમાં મલ્લિનાથની “ઘટાઇ' નામની ટીકા સર્વગુણસંપન્ન અને સર્વત્ર પ્રચાર પામેલી છે, જે દેવવિજયના શિષ્ય ધર્મવિજયે પ્રસ્તુત મહાકાવ્ય પર “ઘણીfr' નામની ટીકા લખેલી છે જેની બે હસ્તપ્રત–એલ. ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડોલોજી-અમદાવાદ અને બી. એ. આર. આઈ– પુના ખાતે પ્રાપ્ત છે. આ બે હસ્તપ્રતોને આધારે પ્રસ્તુત લેખના કર્તાએ ડૉ. તપસ્વી નાદીના માર્ગદર્શન નીચે “ fr’ની એક સમીક્ષિત આવૃત્તિ તૌયાર કરેલ છે. પ્રસ્તુત લેખમાં જે પાઠભેદની યાદી આપવામાં આવી છે તે મહિલનાથની ટીકાયુક્ત કિરાતાજનીય મહાકાવ્યની નિર્ણયસાગર પ્રેસની ૧૯૫૪ મુંબઈ–રની આવૃત્તિ અને એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રાપ્ત ધર્મવિજ્યગણુિની “વીપિકા “ ટીકાની હસ્તપ્રત પર આધારિત છે. સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૧-૨, દીપોત્સવી–વસંતપંચમી અંક, ઑકટોબર ૧૯૯૨બન્યુઆરી ૧૯૯૬, પૃ. ૫૫-૬૦, • આહંસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, પિલવાઈ (ઉ. ગુ.) 1 "Of the composers of the Mahākāvyas who succeeded Kālidāsa, Bhāravi is perhaps the oarliest and certainly the foremost." S. N. Dasgupta and S. K. De-History of Sanskrit Literature, V. I, P. 77, University of Calcutta, 1947. २ किरातार्जुनीयस्य तु प्रकाशवर्ष-जोनराज-धर्मविजय-विनयसुन्दर-नरहर-मल्लिनाथादिभिः प्रणीताष्टीकास्तत्तद्देशेषु समुपलभ्यन्ते किरातार्जुनीयम् (भूमिका)-नि. सा. प्रेस, मुंबई-२, चतुर्दशम् संस्करणम् -१९५४, ३ " इति महोपाध्यायश्रीदेवविजयगणिपादपयोजचंचरिकपंडितधर्मविजयगणिविरचितायां भद्रश्रीभारविकृतस्य किरातार्जुनीयनाम्नो महाकाव्यस्य प्रदीपिकाभिधानायां वृत्ती व्यवसायदीपनों નામ પ્રથમ: સોનમત ” “કીપિકા'- વિનયff–સર્ગને અંતે આપેલી પુષ્પિકા.. yoll “Critical edition of Pradipikā, a commentary by Dharmvijayagani on Kirātārjuniya of Bhäravi.” -Dr. A. M. Prajapati (પીએચ.ડી.ને ધમબંધ) For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy