SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંદશ નમાં પ્રકૃતિ અને પુરુષ જાણ્યાથીએ ધર્મ વૈશેષિક દન બતાવે છે. એ ધર્મો નવા માટે અનુમાનને ઉપયોગ કરવા જોઈએ. તે પદ્ધતિસર બતાવનાર દર્શન ન્યાય છે. વળી યાગદર્શન ઇશ્વરનું ધ્યાન કરવાનું કહે છે. તે પણ ઈશ્વર ન હોય તે ન “તે માટે ઈશ્વરનું અસ્તિત્વ અનુમાનથી બતાવવું જોઇએ. તે પણ્ ન્યાયદર્શન બતાવે છે. પણ આત્મા, પરમાત્મા, સ્વર્ગ, મેક્ષ એવા ગંભીર વિષયમાં અનુમાનના પ્રયોગ સતાષકારક ન લાગે, અને શ્રુતિ માટે આગ્રહ થાય એ સ્વાભાવિક છે. તે માટે ધમ ( કમ ) મીમાંસા બ્રાહ્મણભાગનું તાત્પ શોધે છે અને બ્રાહ્મણભાગના કર્મ થી અસ ંતાય પામી બ્રહ્મમીમાંસા વિશ્વના પરમતત્ત્વ બ્રહ્મનું સ્વરૂપ સમાવે છે.” ૧૩ સાંખ્ય દર્શન: ભારતનાં પ્રસિદ્ધ ષડ્કામાં સાંખ્યનનું સ્થાન ઘણું મહત્ત્વનું છે એટલું જ નહિ પણ બધાં જ દશનામાં એ સૌથી પ્રાચીન છે એમ વિદ્વાને માને છે. સેન્ટ હીલેર્ માને છે કે ‘ સાંખ્ય' શબ્દના ચોક્કસ શે। અર્થ છે એ વિષયમાં વિદ્વાનોએ જુદા જુદા વિચારો વ્યક્ત કર્યા છે. હાલ માને છે કે સાંખ્ય શબ્દ સંખ્યા ' પરથી આવેલા છે. સંખ્યા શબ્દ એક, બે, વગેરે સંણતની સ’ખ્યાના અર્થમાં પ્રસિદ્ધ ઢુવા ઉપરાંત ‘નિષ્ણુય'ના અર્થમાં પશુ જાણીતા છે. રાર ( Roer )ને મતે સાંખ્યના બે અર્થા થાય છે—સખ્યા અને તપાસ. અહીં સંખ્યા શબ્દ ગણનની સખ્યાના અર્થમાં જ છે. એ પછી એના અથ ગતરી, તક, નિશ્ચય વગેરે થાય છે. આમ મેટા ભાગના અભિપ્રાયા અનુસાર સાંખ્ય શબ્દ સંખ્યા પરથી આવેલા છે. મા શાસ્ત્રમાં ૨૫ તત્ત્વની ગણના કરવામાં આવી છે. અને પ્રત્યેક સના ૫૦ પ્રભેદ્ય ગણાવેલા છે. એટલે ગણતરીનું પર`તુ એટલું જ માત્ર આ શબ્દના મૂળમાં હોય એમ લાગતું નથી. અર્થ ચર્યા, વિચારણા, ચિંતન વગેરે કરે છે.પ For Private and Personal Use Only આ ઉપરાંત શ્રુદ્ધિનાં ૮રૂપે મહત્ત્વ આ શાસ્ત્રમાં ધણું છે, આથી જ વિદ્રાના સંખ્યાને સાંખ્ય સાહિત્ય —સાંખ્ય સૂત્રોના મૂળ રચિયતા તરીકે કપિલ મુર્માને માનવામાં આવે છે. સાંપ્રવચનસૂત્રને રચનાકાળ ઇ. સ. પૂ. ઠ્ઠી સદીના મનાય છે. ડૉ. રાધાકૃષ્ણનના મતે યુદ્ધ પહેલાં સે। એક વર્ષ અગાઉ કપિલ થયા હશે. શ્વેતાશ્વતર ઉપનિષદ ( ૧-૨ )માં પણ કંપલના નામને! ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક વિદ્વાનાના એવા મત છે કે કપિલે કાંઇ લખ્યું જ નથી. તેમણે તેમના શિષ્ય આસુરિતે વિદ્યાદાન કર્યું અને આસુરિએ પચશીખને વિદ્યાદાન કર્યું. એમ ઉત્તરોત્તર જ્ઞાનનું વિતરણ થતું રહ્યું. (સ ્ કારિકા-૭૦ ) અને પરિચુમે સાંખ્યસૂત્રો રચાયાં. આ સૂત્રો છ પ્રકરણામાં વહેંચાયેલાં છે. ઇશ્વર કૃષ્ણ ( લગભગ ચોથી સદી )ની સાંખ્યકારિકા ( કુલ ૭૨ શ્લોક ) સાંખ્ય પરનું એક પ્રાચીન અને વિદ્વત્તાપૂર્ણ વિવેચન છે. ૮મી સદીમાં થયેલ ગૌડપાદનું સાંખ્યકારિકા ભાષ્ય છે. ૯મી સદીમાં થયેલ વાચસ્પતિમિશ્રની ‘સાંખ્ય તત્ત્વકૌમુદી' પણુ સાંખ્યદર્શન પરની અતિવિશ્વસનીય રચના મનાય છે. આ ઉપરાંત ઇ. સ.ની ૧૬મી સદીમાં થઈ ગયેલ વિજ્ઞાનભિન્નુનું સાંખ્યપ્રવચનભાષ્ય અને સાંખ્યસાર વગેરે પણ ઉલ્લેખનીય છે. ૪ આચાર્ય ૧ આ. ખા, હિન્દુ વેધમ, મ. ડૉ. ભેા. જે. સાંડેસરા, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડાદરા, ૧૯૬૦ ૫ શાસ્ત્રી ( તા. ) એ. ડી., સાંખ્યકારિકા, પ્ર. જયંત પાઠક, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, આ. ૧, ૧૯૬૯, પ્રસ્તાવના પૃ. ૨
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy