SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૬ રસેશ જમીનદાર અયેાધ્યા નજીકના છપૈયા ગામમાં ૧૭૮૧માં જન્મેલા ધનશ્યામ નામના યુવકે સહજાનાઁદ સ્વામીના સ્વરૂપે (૧૮૦૦માં ગુજરાતમાં આગમન અને ૧૮૩૦માં શ્રીજીચરણે પધાર્યા ). નારાયણમુનિનું કાર્ય — અરાજકતા અંધાધૂંધી અને આચારલાખના ભયાનક બાહુપાશમાં સપડાયેલી ગુજરાતની પ્રજાના હાથ પકડીને ધર્મના પ્રચાર દ્વારા તેમણે નીતિપ્રચાર, આચારપ્રસ્થાપના, સમાજસુધારણા અને જ્ઞાતિભેદનિવારણનું અાકિક કાર્ય કર્યુ. વડતાલ, અમદાવાદ અને ગઢડામાં વૈવસ પ્રદાયનાં મદિરા સ્થાપીને તથા સમગ્ર ગુજરાતમાં ધર્મ યાત્રા દ્વારા નીતિઆચારના ઉપદેશા આપીને એક તરફ એમણે ધમ જીવનના સ્થગિત પ્રવાહોને નિર્મળ રીતે વહેતા કર્યા, તા ખીજીબાજુ ઊંચનીચના ભેદભાવનાં દૂષણને ડામીને ગુનેગાર અને અસ્પૃશ્ય ગણાતી વિવિધ જ્ઞાતિઓને ધર્મપિદેશ આપી જીવનસુધારણાંનાં અમૃત પાઇ તે સમાજસુધારણાનું આદ્રતીય કાર્ય કર્યું. ધ ગ્લાનિના આ સમયમાં તેમણે લોકોમાં એશ્વરવાદની ભાવના સુદઢ કરી. ધર્મના નામે પ્રજામાં ઘર કરી ગયેલાં દૂષણા દૂર કર્યાં. પોતાના સંપ્રદાયમાં મુસલમાન, પારસી, શુદ્ર સહુને પ્રેમથી આવકાર્યા—અપનાવ્યા. ઠાકરડા અને બારૈયા જેવી માથાભારે કામાને સન્માર્ગે વાળી. આમ, ધર્મ પ્રચારક નારાયણમુનિ જીવન સમર્પણૢ કરી ગયા લેાકાહારક તરીકેનું– સમાજસુધારક તરીકેનું.૭ ઘનશ્યામનુ' પ્રારંભિક જીવન : ઉત્તર પ્રદેશના વિખ્યાત યાત્રાધામ અયેાધ્યા પાસેના, સરયૂ નદીના કાંઠાળ વિસ્તારમાં આવેલા, છપૈયા ગામમાં બ્રાહ્મણુકુટુંબમાં ધનશ્યામના જન્મ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ નવમીને દિવસે ( ૨, ૪. ૧૭૮૧)-રામનવમીને દિવસે થયા હતા. એમના પિતા ધર્મદેવ વારષ્ઠ પંડિત હતા અને માતા ભક્તિદેવી પ્રેમના સાગરસમાં હતાં. નાનપણથી જ ધનશ્યામને ( અમર નામ હરિકૃષ્ણ ) મ`દિરની મુલાકાતે જવાનું, ધર્મગ્રંથાને વાંચવાનું, ધર્મસભાઓમાં ઉપસ્થિત રહેવાનું અને આધ્યાત્મિક બેઠકોમાં જોડાવાનુ સહજ રીતે ફાવી ગયું હતું. પણ આ બધી ક્રિયા પ્રક્રિયાથી તેમને આત્મસ તાષ ના થયા, એમની જ્ઞાનસંપ્રાપ્તિની ઇચ્છા પરિતૃપ્ત ના થઇ અને તેથી માત્ર અગિયારની વયે ૧૭૯૨માં માતાપિતાને વિશ્વાસ સપાદન કર્યા વિના જ ભગવાન મ્રુદ્ધની જેમ મહાિિનષ્ક્રમણુ સ્વરૂપે ગૃહત્યાગ કરી ગયા. સાધુ-સંતા-સાધકો-તપસ્વીઓના પ્રેરા– પ્રોષકસ્થાનસમા હિમાલયમાં સૌ પ્રથમ ધનશ્યામ પહેાંચ્યા. હવે તા નીલ કઠ નામથી ઓળખાવા લાગ્યા અને ત્યાંથા તપ, ત્યાગ, ધર્મ, જ્ઞાન અને યોગની પચમાર્ગી સાધના સારું પગપાળા સમગ્ર દેશમાં સાત વર્ષ સુધી ઘૂમ્યા અને જીવન જીવવાની કળાના પ્રત્યક્ષ અનુભવ મેળગ્યો. આ સપ્તવર્ષીય જ્ઞાનયાત્રા દ્વારા નીલકૐ વિવિધ સ ંપ્રદાયના આયાર્યા અને ઉપદેશકોને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વિશે પ્રશ્ન પૂછતા રહા, તેાય. અંતઃકરના અજપા દૂર થયો નિહ. * એન્જન, પૃ. ૪૪–૪૫. 4 સહાનદ સ્વામી વિશે વધુ માહિતી માટે જુએ : ( ૧ ) પારેખ, મણિલાલ જી., શ્રી. સ્વાસીનારાયણ, રાજકોટ, ૧૯૩૭, પ્રથમ આવૃત્તિ. (૨) વે, એચ. ટી., લાઈફ ઍન્ડ ક્લિાસાફી ઑફ શ્રી સ્વામીનારાયણુ, બાચાસણ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭. ( ૩ ) ચાજ્ઞિક, જયેન્દ્રકુમાર એ., ધી ક્લાસાફી ક્ શ્રી સ્વામીનારાયણ, અમદાવાદ, ૧૯૭૨, પ્રથમ આવૃત્તિ. ( ૪ ) વ્યાસ, રશ્મિ ત્રિભુવનદાસ, પીએચ ડી. ને મહાનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy