SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાસ પુસ્તક ૨૯ (દીપત્સવી અને વસંતપંચમી) વિ. સં. ૨૦૪૭-૪૮ નવેમ્બર ૧૯૯૨-ફેબુઆરી ૧૯૯૨ અંક ૧-૨ બ્રહ્મસૂત્રમાં નિરૂપિત વેદનું નિત્યત્વ" પુનિતા નાગરજી દેસાઈ અનેક ભારતીય વેદમર્મજ્ઞો, બાકીનશા તથા શાણો વેદનું નિત્યત્વ, અપો૨યત્વ અને સ્વતા પ્રામાણ્ય સ્વીકારે છે. જ્ઞાનપ્રાપ્તિના સર્વે પ્રમાણ તરીકે પ્રાચીન સમયથી વેદને સ્વીકાર કરવામાં આવ્યો છે. વેદ સ્વતઃ પ્રમાણ છે. જેમિનિમુનિ તથા શબર સ્વામીના મત પ્રમાણે વેદની નિત્યતાનું પ્રમાણ સ્વયં વેદ જ છે, જેમકે –ત જૂનમિતે યા જિનિયા ને જોતા સુત૬ ” વેદની આ અસામાં “નિયા યા ' પદે વેદમત્રો માટે જ થાય છે અને જેમિનિ આયા તે પિતાના સિદ્ધાંતના સમર્થન માટે એ અચાને જ ચરમહંત તરીકે સ્વીકાર કર્યો છે. વિદિક વાણીની નિત્યતાનું સ્પષ્ટ પ્રમાણ વેદના અનેક મંત્રોમાં પ્રાપ્ત થાય છે. વેદના પ્રામાશ્વને સ્વીકારવાથી સાંખ્યા ૫દર્શનેને આસ્તિક કહ્યાં છે, જ્યારે ચાર્વાક, બૌદ્ધ અને જૈન દર્શનમાં વેદનું પ્રામાણ્ય સ્વીકારાયું ન હોવાથી નાસ્તિક કહેવાય છે, આમ કેન્દ્રસ્થાને ઈશ્વરની માન્યતા નથી પરંતુ પ્રામાણ્યનું મહત્વ રહેલું છે. પૌરુષેય મતાનુસારી યાયિકો પણ વેદને સર્વજ્ઞ પરમેશ્વરની રચના જ માને છે અને વેદનું નિત્યત્વ સ્વીકારે છે. વેદ પરમાત્માની દિવ્યવાણી છે, જેનું શ્રવણ ઋષિઓએ પિતાના તપઃપૂત હદયમાં દીર્ધ તપસ્યા પછી કર્યું હતું. શ્રવણ કરવાને લીધે જ વેદનું “શ્રતિ’ નામ સાર્થક છે. પરબ્રહ્મ અનુભૂતિને વિષય છે અને તત્વદર્શી ઋષિઓની અનુભૂતિના ઉદગારો એ પથ પર પ્રસ્થાન કરવા ઈચ્છનાર આધ્યાત્મિક માર્ગના પ્રવાસી માટે ચોક્કસપણે ગમાણભૂત છે. આથી તેઓ માને છે કે એ અનુભવ મનુષ્યની પિતાની પ્રવૃત્તિને લીધે થતા નથી, પરંતુ તે અકર્તક છે, અપૌરુષેય છે. વેદ સ્વતઃ આવિર્ભત થનાર નિત્ય પદાર્થ છે. તેના કર્તા તરીકે કોઈ પણ પુરુષનું સ્મરણ કયાંય પણ સ્વાધ્યાય', યુ.. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર-૧૧ફેબ્રુઆરી-૧૯૯૨, પૃ. ૧-૬. , ગુજરાત રાજ્ય સંત અધ્યાપક મંડળના માર્ચ «ના શામળાજી મુકામે જાયેલ અધિવેશનમાં રજૂ થયેલ નિબંધ + શ્રીમતી જે. પી. બોલ બસ કૉલેજ, વલસાઠ. ૩૬ ••t 1 ગદ : ૮-૫-૧, ૨ : 8-૫-૧૨, -ક- ઈત્યાદિ For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy