SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નારદ સીધીસાદી ભાષામાં ભક્તિનું ખૂબ જ સંવેદનશીલ અને વ્યાવહારિક સ્વરૂ૫ રજૂ કરે છે. તેની શૈલીમાં કયાંય કાઠિન્ય નથી. Practical approach ને તે મહત્વ આપે છે. જ્યારે શાંડિલનું ભક્તિસૂત્ર દાર્શનિક પદ્ધતિથી વિષયવસ્તુની છણાવટ કરે છે. અવતો માગવા (શાં. ભ. સૂ. ૧)થી શરૂઆત કરે છે. પ્રથમ તે વ્યક્તિતત્વને જાણવાની ઈચ્છા અને ત્યાર બાદ ભક્તિની વ્યાખ્યા કરતાં શાંડિલ્ય કહે છે, ઈશ્વરમાં અતિશય પ્રેમ એ જ ભક્તિ છે.'' શાં. ભ. સુત્રમાં ૩ અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયનાં બે આહિકો છે. આમ ત્રણ અધ્યાયનાં કુલ છ આહ્નિકોમાં ૧૦૦ સુત્રોમાં ભક્તિની અપર્વ દર્શન તરીકેની છાપ ઉપસાવવામાં શાંઠિયા અનેડ છે શાંડિલ્યભક્તિસુત્ર પ્રમાણ, પ્રમેય, સાધ્ય અને મુક્તિની ચર્ચા દાર્શનિક પદ્ધતિએ કરે છે. તેમની શૈલી શાસ્ત્રીય અને દાર્શનિક છે. તેમનું તત્ત્વજ્ઞાન અતદાન્તને મળતું આવે છે. યદ્યપિ વેદાન્ત છ પ્રમાણ સ્વીકારે છે જ્યારે શાંડિલ્ય ત્રણ પ્રમાણ (પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ)જ સ્વીકારે છે તેમ છતાં ભક્તિથી છવનું શિવત્વ તેઓ દર્શન પદ્ધતિથી ચર્ચે છે. શાંડિલ્યના મતે પ્રત્યક્ષ બે રીતે થાય છે. વિષયને ઈક્તિ સાથે સંબંધ થતાં પ્રથમ તો અજ્ઞાન દૂર થાય છે અને પછી મૈતન્યના પ્રકાશથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઈશ્વર, જીવ અને જગત ત્રણ ત પ્રમેય છે. ઈશ્વરને “ભજનીય” અને “પવિત’ કહે છે? જ્ઞાન એ સત્તા છે, જતિ નથી. માયા કે પ્રકૃતિથી ઇશ્વર આવૃત છે. માવા મિયા નથી. શંકરાચાર્યની માફક શાંડિલ્ય “માયા ને મિયા ન સમજતાં ઇશ્વરની શક્તિ તરીકે વર્ણવે છે.૧૪ ભક્તિથી માયાને તરી શકાય છે. ૫ શાંડિય મુનિ શબ્દપ્રમાણને બહુ જ મહત્વ આપે છે. શબ્દથી જ ઈવરત્નસિદ્ધિને તેઓ સ્વીકારે છે. સાધન –ભક્તિ મોક્ષને એક અપૂર્વ સાધન છે. ભક્તિ જ્ઞાનાત્મક નથી કારણ કે દેશને વિરોધી શબ્દ જ્ઞાન નથી પણ પ્રેમ છે. બીજ પ્રેમને ઉદય થનાં જ્ઞાન તિરહિત થાય છે. વળી ‘રસ' શબ્દથી “રાગ” કે “પ્રેમ” જ લઈ શકાય, જ્ઞાન નહિ. અતિ પણ “સ હૈ : 'થી રસરૂપ પરમાત્માને મેળવીને આનંદ પામવાની વાત કરે છે. યોગ, જ્ઞાન વગેરે શાંડિલ્યના મતે ચિત્તશુદ્ધિનાં સાધને છે, પરંતુ ભક્તિ સિવાય ઈશ્વરને પામી શકાતું નથી. ૧૭ ११ सा पराऽनुरक्तिरीश्वरे । शां... सूत्र २ ૨૨ (૧) બી રોમાનિ જામે તુ (જ. મ. સૂ. 53) (૨) રંતિદેવાના નાના / લિ . (સ. મ. . ૧૮) १३ भजनीयेनाद्वितीयमिदं कृत्स्वस्वतत्स्वरूपत्वात्। (शां. भ. सू. ८५) ૧૪ તાતિવા જગામાતા (શ. મ. પૂ. ૮૬) १५ तदैक्यनानात्वैकत्वमुपापिहानादापित्यवत्। (शां. भ. सू. ९१). १६ प्रतिपक्षमावासरूपत्वाय रागः। (पां. भ. सू. ६) १७ तद्वतः प्रपत्तिशब्दाचन शानमितपत्तिवत्। (शां. भ. सू. १) For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy