SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org હુની ગુપ્તાહીન વિણ અને અનુગુપ્તકાલીન મહિમદિનની પ્રતિમા ૨૧ હાથે અર્ધમાનવ શરીર ધારણ કરેલ દાનવ-મહિષની જટા પકડેલ છે. કેણીથી નીચેને તથા પહેાંચીથી ઉપર હાથ ખંડિત છે. ત્રિભંગમાં મહારમદ્રામાં સ્થિત દેવીએ પિતાને જમણે પગ મહિષના શરીરના પૃષ્ઠ ભાગે રાખી દબાવેલ છે. જ્યારે આ યુદ્ધ અંધ માનવશરીર ધારણ કરેલ રાક્ષસના બન્ને હાથમાંનાં આયુધ ખંડિત છે. તેની ભયભીત મુખમુદ્રા છતાં શરીરને આવેગ મરણિયા પ્રયાસ કરતા દાનવને દર્શાવે છે. મહિષે પણ ગળામાં એકાવલિ ઉપરાંત બાજુબંધ, હસ્તવલય, કુંડલ વગેરે ધારણ કરેલ છે. શિલ્પમાં દેવીના વાહનનું આલેખન વાસ્તવિક છે જે વચ્ચેના ભાગેથી પાછળથી મહિષ પર પિતાના નહેર મારી જોધપૂર્ણ મુખમુદ્રાથી મહિષને ફાડી નાખતે દર્શાવે છે. સિંહની કેશવાળી તેના આવેગપૂર્ણ પ્રહારને કારણે વિરુદ્ધ દિશામાં દર્શાવેલ છે અને શરીરને બાકીને ભાગ, મહિષની પૂછડીને શરીરને ચીપકેલ ભાગ ભયભીત પ્રાણુની મનેદશા વ્યક્ત કરે છે. આ શિલ્પ અહીંની અન્ય માતકાશિલ્પાની પરિપીને જ અનુસરતું હોઈ, તેને પણ ઈ.સ.ની છઠ્ઠી સદીમાં મૂકી શકાય તેમ છે. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy