SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ. થાન ચાર્વાકના અનુયાયીઓમાં લગ્નસંસ્થાને હાસ્યાસ્પદ બનાવતી એક ધાર્મિક વિધ ભરવીચક્રને નામે પ્રચલિત થઈ હતી. અનેક સ્ત્રી પુરુષે ગુપ્ત રીતે તે વિધિમાં ભાગીદાર બની સ્વૈરવિહાર માણુતાં હતાં. “ૌરવયક્ર એ લેખમાં વામમાર્ગના એક ફાંટા કાંચળિયા પંથ અને તેની એક વિચિત્ર ધાર્મિક વિધિનો પરિચય આપ્યો છે. આ પ્રકારના વિધિ ના નામે સમાજનાં અમુક વર્તુળામાં આજે પણ ફેલાયેલા છે તે સ્મરણમાં ઝબકી જાય. રવીચક્ર એ મૂળ કોલ સંપ્રદાયની એક ધાર્મિક વિધિ મનાતી હતી. ધર્મને નામે થતી લીલાની પશ્ચાદ્ભૂમિકામાં એક પ્રકારનું સામાજિક કે આધ્યાત્મિક તક શાસ્ત્ર રહેલું હતું એમ જણાવી આ પરિસ્થિતિનાં પ્રેરકબળે તપાસ્યાં છે. ભક્તિમાં પુરુષ નાં પણ સ્ત્રીને ખાસ અધિકાર છે. સૂક્ષ્મ રીતે જોઈએ તે વામમાર્ગનું-રવીચક્રનું આ પરોક્ષ પ્રદાન ન ગણાય? એમ પ્રશ્ન મૂકે છે. લેખકને ઓથારને અનુભવ થાય છે. એના કારણરૂપ ચૌદશની અંધારી રાતે મોડે સુધી વગડામાં કરવાની ટેવને ગણાવી રૂઢિગત ખુલાસાની સાથે મનની-આંતરમનની અપાર શક્તિ અને સાધનાના પ્રભાવ અંગે હજી ઘણું સંશોધન થવું બાકી છે એમ " સ્વપ્નસૃષ્ટિના અનુભવ' એ લેખમાં નાં ધે છે. યોગશાસ્ત્રની એક સિદ્ધ તે પરકાયાપ્રવેશ. શુ આ શકય છે ? એવા પ્રશ્ન સાથે શંકરાચાર ના પરકાયાપ્રવેશ પ્રસંગ નિરૂપે છે. લેખકની પ્રસંગનિરૂપણની કલા જોઈ શકાય. એટલે લેખકે માંડ્યું છે કે “ આ રીતે મહાન યોગીઓ દ્વારા થયેલા પરકાયા પ્રવેશના પ્રસંગે જાવા મળે છે. એમાં અતિશયોકિનના અંશે તે હશે જ; છતાં યોગસાધના અને દેહ નથી આમાના વિજ્ઞાનની દષ્ટિએ આવા પ્રસંગોના મૂળમાં રહેલો ખ્યાલ કાળજીભરી તપાસ માગી લે છે. ” (પૃ. ૧૫૫) દેહ અને આત્માના વિજ્ઞાનના જ્ઞાન દ્વારા આવા પ્રસંગો સમજી-સ્વીકારી શકાય એમ કહેવું વધારે ય છે. “ કાયાકલ્પ” લેખમાં સુવર્ણ બનાવવા પ્રયોગ કરનાર પંજાબી કીમિયાગરની વાત પુનરુક્ત થાય છે. ચરક-સુશ્રુતે આ પ્રયોગને જે વિધિ બતાવેલ છે તે સંક્ષેપમાં જણાવવા સાથે શ્રી મદનમોહન માલવીયજીએ આ પ્રયોગ કરેલો અને દેશપરદેશમાં તે ખૂબ જાણીતા બન્યો હતો એની વિગત આપી છે. પં. સાતવલેકરજીએ પણ આ પ્રયોગ કરી ૧૦૪ વર્ષ સુધી આયુષ્ય લંબાવ્યું હતું એનું સ્મરણ થાય. “ કાયાકલ્પને અનુભવ માં શ્રી. માલવીયા તથા શ્રી હરદત્ત શાસ્ત્રીએ તપસી બાબા દ્વારા આ પ્રવેશ કરેલો એની વિગતે વાત કરી લેખકે ચેતવણી આપી છે કે દરેક માણસ આ બગ કરવા લાયક નથી. દરેક વૈદ્ય પણુ આ પ્રાગ માટે લાયક નથી. તૃષારગને અનુભવ’ આયુર્વેદ પદ્ધતિથી તૃષારોગ દૂર થયાની વાત કહી જાય છે. * ચંદ્રાદય સાથે તેનું ઉડ છે ? ' માં તેનું ચંદ્રાદય સાથે ઊડતું નથી એ વિજ્ઞાનની રીત સાબિત કર્યું છે. તૃષાશામક ફળ કરમદાની તથા ખાખરલ, ફગની માહિતી વગડા વર માં આપી છે અને ટકોર કરી છે-“ઘરની ને ખેતરની વનસ્પતિ ભુલાતી જાય છે, સસ્તાં ઓસડિયાં વિસારે પડતાં જાય છે. અને લોકો આંખ મીંચી પરદેશી પેટન્ટ દવાઓ-ઈજેકશને, ટેબ્લેટ વગેરે પાછળ દેટ મૂકી રહ્યા છે.” (પૃ. ૧૭૬). For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy