SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. ઠકરાલ કવિ સ-રસ કાવ્યાત્મક વાણીમાં રૂપકાત્મક રીતે સંસારસાગર અથવા માથાસગરાનું આલેખન કરે છે અને તેમાંથી પોતાને ઉગારી લેવા પ્રાર્થે છેઃ मायाब्धौ पतितोऽविवेकपवनैरास्फाल्यमानो महः कामक्रोधभयप्रमादमकरैः संदृश्यमानोऽनिशम् । चिन्तावीचिविचालितोऽस्मि भगवन् मोहान्धकारावृतः त्वं रक्षेति पुनः पुनः पुनरिति प्रोच्य प्रबोधोऽस्तु मे ॥ ९९ ॥ અહીં માયારૂપી સાગર, અવિવેકરૂપી પવનોથી અફળા જીવાત્મા, કામ-ક્રોધ-ભયપ્રમાદરૂપી મગરના સતત દેશો, ચિત્તારૂપી મજા, મોહરૂપી અંધકાર-આ બધું સંસારની પ્રકૃતિનું સુંદર આલેખન પ્રસ્તુત કરી જાય છે. * આવા સંસારમાંથી ઉદ્ધાર બક્ષનારી વેદાન્તવિદ્યા જ છે,” એવી દઢ પ્રતીતિ કવિ નીચેના કલેકમાં પ્રકટ કરે છે : या विद्याविमलीकरोति कुमति दूरीकरोत्यज्ञताम् रागद्वेषभयप्रमादरिपवो नश्यन्ति यद्दर्शनात् । नित्यानित्यविवेकतो जगदिदम् नि.सारतां चाश्नुते संपूर्ण कलहात्मकं जयतु सा वेदान्तविद्या सदा ॥१०० ॥ વિવેકને જન્મ આપનારી વેદાન્તવિદ્યાની પ્રભાવશીલતા વિષે મળી આવતાં પરંપરાગત વર્ણનોમાં આ કવિનું ઉપર્યુક્ત વર્ણન એક જુદી જ મોલિક ભાત પાડે છે, અન્તમાં આ શતકની સમાપ્તિ કરતાં કવિ ફલશ્રુતિ ઉચ્ચારે છેઃ आराधनाशतकमेतदपारशान्तिसौख्यप्रदायकमनन्तगणेन युक्तम् । धन्याः पठन्तु कृतिनो विगतान्यचिन्ताः तेषां भविष्यति हरिभगवान्सहायः ॥ १०२ ॥ આ શતકના પરિશિષ્ટરૂપે હોય તે પ્રકારની એક આરતી કવિ પ્રસ્તુત કરે છે : जय जय जय ब्रह्माण्डपते, जय जय जय कारुण्यनिधे। जय जय तर्कातीतमते, जय जय નય માયાધરે | આદિ. અહીં કોઈ વિશિષ્ટ દેવને લક્ષમાં રાખ્યા વિના જ વેદાન્તવિદ્યાને અનુરૂપ એવાં જણાઇeત્તે, શાહષ્યનિષે, તતતમતે, મા દિવસે આદિ સંબંધને પરબ્રહ્મ, પરમતત્ત્વ તરફ આંગળી ચીંધે છે. એ પરમ તત્ત્વને લીધે જ કુદરતનાં તની લીલા ચાલતી રહે છે અને વૃક્ષો નવપલિત થતાં રહે છે. પશુપક્ષીઓનું ભરણપોષણ થાય છે. આવા પરમ તત્વને કવિ અસરકાર, નિમસ. સૂરજ, મવમયતરા આદિ વિશેષણે જ ભગવાનના ચરનું મુક્તિદાયક તરીકે વર્ણન કરે છે. - પ્રસ્તુત શતકમાં કવિએ અલ્પપરિચિત પંચચામર, ભુજગપ્રયાત વગેરે છોને પ્રયોગ કર્યો છે અને સાથે સાથે એનુડુમ્ , માલિની. ઇદ્રવજા વગેરે પરિચિત છન્દોને પ્રયોગ પણ કર્યો છે. આથી કવિની છંદવિષયક હથેટીને પરિચય મળી રહે છે. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy