________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં
આધુનિકતાવાદી વલણા
અજિત ઠાકોર
૧૯મી સદીના મધ્યભાગે યુરોપ—અમેરિકામાં આધુનિક સર્વેદના તત્ત્વચિંતન અને સાહિત્યમાં પ્રકટવા લાગી. એના મૂળમાં પરપરાવિચ્છેદ રહેલે છે. આધુનિક સર્વેદના યાંત્રિકરણુ અને શહેરીકરણુની સમસ્યાઓમાંથી ઉદ્ભવી અને યુદ્દો-વિશ્વયુદ્ધોથી અણિયાળી બનતી ગ′. Virginia Woolf કહે છે કે On or about December 1910 human nature changed.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
યાંત્રિકરણ, શહેરીકરણ, વિશ્વયુદ્ધો અને અકલ્પ્ય માનવસંહારને પરિણામે માનનિયત (Human Condition )ના પ્રશ્નો ઊભા થયા. પરંપરાગત સામાજિક-ધાર્મિક મૂલ્યો પાસેથી એનાં ક્રાઇ સમાધાના કે ઉકેલે ન મળ્યા. પર પરાગત મૂલ્યવ્યવસ્થાની અપ્રસ્તુતતાનેા અનુભવ થતાં આધુનિકોએ તેને નકારી કાઢી. બધા જ રેડીમેઈડ સરળ સમીકરણોને છેદ ઊડી ગયા. એટલે માનવઅસ્તિત્વને અથ ખેાજવાની જવાબદારી વ્યક્તિ પર આવી પડી. આ મથામણમાંથી આધુનિક ચેતનાના ઉદ્ભવ થયો. નિત્સેએ God is dead કહી ઈશ્વરમૃત્યુની ધાણા કરી એ એનું પ્રતીક છે.
પરંપરાની નિસ્બત નૈતિક સમસ્યા સાથે છે તા આધુનિક વૈદનાની નિસ્બત અધ્યાત્મિક સમસ્યા સાથે છે. કામુ કહે છે તેમ What distinguishes modern sensibility from classical sensibility is that the latter thrives on moral problems and the
former on metaphysical problems. ( Literary Modernism P. 18. ) આધુનિક દષ્ટિબિંદુના પાયામાં the human lot is inescapably problematic—માનનિયંતિ અનિવાર્ય તયા સમસ્યાયુક્ત છે—એ ગૃહીત રહેલું છે. આધુનિક સંવેદનાના ઉદ્ભવ—વિકાસની પ્રક્રિયા કંઈક આવા આલેખ દ્વારા દર્શાવી શકાય :
#
‘સ્વાધ્યાય' પુ. ૨૯, અંક ૧-૨, દીપેોત્સવી-વસ'તપ'ચમી અંક, નવેમ્બર, ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૧૦૧-૧૧૦.
સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ૩૮૮ ૧૨૦,
For Private and Personal Use Only