SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७४ જેમ મને તે વહાલા છે ( આર્યપુત્ર ) એટલા જ સત્તાને વહાલા હશે ?-તેના જવાબમાં વાસવત્તા કહે છે અsafધKા વગેરે શુદ્ધ પ્રેમની વ્યાખ્યા કરવા માટે પર્યાપ્ત છે. તે શુદ્ધ પ્રેમ પ્રેમપાત્રના મૃત્યુ પછી પણ ટકી રહે છે તેમ ભાસે સ્વપ્ન નાટકમાં દર્શાવ્યું અને બાણભટ્ટ કાદમ્બરીમાં તે સાબિત કરવા માટે પ્રયત્ન કર્યો છે. બાણભટ્ટે જે કાદમ્બરીમાં જન્મજન્માન્તરના પ્રેમનું પ્રતિપાદન કર્યું છે તેનું બીજ આ માં પણ છે, જે કે અહીં નાયક કે નાયિકાનું મૃત્યુ થતું નથી. પણ વાસવદત્તાના મૃત્યુને આભાસ તે ઉદયનના મનમાં ઊભું કરવામાં આવ્યા છે ! “ ઉત્તરરામચરિતમ'માં પણ ભવભૂતિએ વિશુદ્ધ પ્રેમનું નિરૂપણ કર્યું છે. જો કે ભાસને તે એ દર્શાવવું છે કે માનવમાં તે સમર્પણાત્મક અને ભેગાત્મક બન્ને પ્રકારના પ્રેમ સાથે જ રહે છે. તેના સંઘર્ષમાં જે ઉત્કૃષ્ટ પ્રેમના મનેભાવ સાથે ટકી રહે છે તે જ માનવ વ્યક્તિત્વની મહત્તા છે. સ્વપ્ન. માં રાજનીતિજ્ઞ યૌગધરાય શુદ્ધ પ્રણયને પિતાની યોજનાનું એક સાધન બનાવ્યા છે, તેથી ઉદયન અને વાસવદત્તાને પ્રેમ વધારે દીપી ઊઠે છે. પાંચમાં અંકમાં પદ્માવતીની શીર્ષ વેદનાને પ્રસંગ છે, તેમાં, ચેથા અંકમાં ઉદયનને વિશુદ્ધ પ્રેમ વાસવદત્તા પર છે તે જાણી ગયેલી પદ્માવતી કાઈને પોતાનું મુખ પણ બતાવતી નથી, નહી તે એ પણ વાસવદત્તાને મૃત્યુ પામેલી જ માને છે. સ્વપ્નદશ્યમાં ઉદયનના અાગ્રત મન સાથે વાસવદત્તાના જાગ્રત મનનું ભાવમિલન દર્શાવ્યું છે અને તેમાં છેલ્લે જ્યારે વાસવદત્તા ઉદયનને કહે છે-- અહિં જ Fરવા -ત્યારે ઉદયનના અજાગ્રત મનમાં પણ દિધાવિભક્ત માનસને નિર્દેશ થાય છે. સ્વપ્નમાં સીધી રીતે શુદ્ધ પ્રેમની અને આડકતરી રીતે ગાધવંલગ્નની ઉત્કૃષ્ટતા દર્શાવવામાં આવી છે. તેથી એવું અનુમાન કરી શકાય કે ગાંધર્વ લગ્ન બીજા પ્રકારનાં લગ્ન કરતાં વધારે પ્રાચીન પ્રકાર છે. રામાયણની જેના પર અસર છે તેવા ભાસ રામ અને સીતાના શુદ્ધ પ્રેમનું ઊલટું પ્રતિબિંબ સ્વપ્નમાં દર્શાવે છે. રામાયણમાં આદર્શ રાજા રામરાજ્ય કે રાજ્યની પ્રજા માટે પત્નીત્યાગ કરી પિતાને વિશુદ્ધ પ્રેમ પુરવાર કરે છે, તેમ સ્વપ્નમાં આદર્શ રાણી વાસવદત્તા રાજ્ય માટે પતિને છિક ત્યાગ કરી ભોગાત્મક પ્રેમ કરતાં સમપણાત્મક પ્રેમને ઊંચે સાબિત કરી બતાવે છે. ભાસની માનસિક પાર્શ્વભૂમિકામાં એકપત્નીવ્રત અને શુદ્ધ પ્રેમનું પ્રતિપાદન રહેલું છે. સ્વપન ના છઠ્ઠા અંકમાં અંતમાં પદ્માવતીને તેના અવિનય માટે માફ કરી દેતાં વાસવદત્તા કહે છે- અરવલ્વે ના શરીરમાગતા તેમાં, અથી અથવા સંસારીનું શરીર જ અપરાધી છે. એટલે કે માનવનું જીવન જ શરીર સાથેના સંબંધને કારણે અપરાધી બની જાય છે એવું સૂચન થાય છે અને શરીરથી પર એવા વિશુદ્ધ પ્રેમને એમાં કાંઈ ગુમાવવાનું હોતું નથી તેવું સ્પષ્ટ થાય છે. આ રીતે “સ્વપન-વાસવદત્તમ’માં ભાસે આરંભથી અંત સુધી પ્રણયનાં બે પાસાંઓનું વિશ્લેષણ કરી બતાવ્યું છે. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy