SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનવાસવત્તમાં ભાસનું પ્રણયવિષયક | મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ભટ જેએ. ભાસ ભારતીય સંસ્કૃતિને પ્રખર હિમાયતી છે અને એનાં દરેક લક્ષણને વ્યક્તિગત મને મંથનના સંદર્ભમાં તેના પિતાનું કાન્ત દૃષ્ટિબિંદુ સૂચિત કરે છે. તેને હેતુ સંસ્કૃતિની વિકાસશીલતા તરફને માનવીય અભિગમ સૂચવવાને પણ છે. કોઈ પણ સંસ્કૃતિને સંબંધ વ્યક્તિગત અને સમષ્ટિગત માનસ અથવા મન સાથે હોય છે. ભાસનાં નાટકોમાં વ્યક્તિગત માનસ અને કોઈ વખત સમષ્ટિગત માનસનું વિશ્લેષણ આપણને જોવા મળે છે. એ દષ્ટિએ પાત્રો ભલે રૂઢ હોય તે પણ તેમાં મુખ્યત્વે વ્યક્તિ અને ગૌણ રીતે સમાજના જીવન પ્રત્યેના માનસિક અભિગમનું દર્શન થાય છે. આ દૃષ્ટિએ ભાસ એક ક્રાન્તદષ્ટ છે અને તેનાં નાટકો જેટલાં પ્રાચીન છે તેટલાં આધુનિક કવચિત ભાસે છે. કેટલાંક રૂઢ થઈ ગયેલાં સંસ્કૃત નાટકનાં લક્ષણોને અવગણીને તેણે નવું દિશાસૂચન પણ કર્યું છે. પ્રણય જેવા વૈશ્વિક વિષયનું સૂક્ષ્મ મને વૈજ્ઞાનિક વિશ્લેષણ ભાસના નવાવવત્તમાં જોવા મળે છે. તેથી જ કદાય પ્રાચીન વિવેચકોના મંતવ્યમાં રહેલો ભાવક તેને લાવી નહિ શક્ય હેય. સ્વર.માં રહેલ ભાસના એ પ્રકારના વિલેષણને ક્રમશ જોઈએ. ભાસ પ્રાચીન નાટકકાર છે અને એનાં નાટકોમાં ખાસ કરીને નાન્દી પછી તરત જ આવતા લેકમાં કઈ બ્રાહ્મણ-ગ્રંથમાં જોઈ શકાય તેવી પ્રતીકાત્મકતા હોય છે. તે દ્વારા થતું તેનું સૂચન નાટકના કથાવસ્તુ સાથે સંબંધ ધરાવતું હોય છે. સ્વપ્ન. નાટકને આરંભને લેક જોઈએ. નાન્દી પૂરી થયા પછી પ્રવેશતા સૂત્રધાર દ્વારા રજૂ થતા આ શ્લેકમાં મુદ્રા અલંકારથી નાટકનાં અગત્યનાં પાત્રોને સમાવેશ કરાવે છે. આ ઉપરાંત તેમાં બલરામના બે હાથ તમારું રક્ષણ કરે તેવું આશીર્વચન છે, પરંતુ તે ઉપરાંત તેમાં એક પ્રણય કરતી વ્યક્તિના મનભાવના બે પ્રકારે સુચવવા માટે સંકત પણ છે અને તે માટે તેમાં વપરાયેલ પ્રતીકાત્મક ભાષા જોઈએ. એ શ્લેકમાં વનસ્ય અગૌ રવાન્ પાતા એ વાક્યમાં વર શબ્દ રેતસ અથવા જીવનના બળનું પ્રતીક છે. જેમ પતય શા. ૩૩/૧ (ૌન: શાસ્થાનમ)ના આરંભમાં કિં મત્ત લીfનનં વિકુ ઉમભૂળ દિ તપઃ | ઇત્યાદિના સાયણરચિત માધવીય દાર્થપ્રકાશ ભાષ્યમાં સત્ર मद्भाजिनश्मश्रुतप:शब्दैः आश्रमचतुष्टयं विवक्षितम् मल रुपाभ्यां शुकशोणिताभ्यां संयोगात् मल સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક, ૩-૪, અક્ષયતૃતીયા- જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૭૧-૨૭૬ * * શામળદાસ આર્ટસ કૉલેજ, ભાવનગ૨. વા ૧૦ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy