SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ. પી. કાકડિયા એક રીતે જોઈએ તે ભરત નાયકના ચાર પ્રકારોમાં કરેલા વર્ગીકરણ અંગે આધુનિક વિદ્વાનમાં પણ મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. ડે. કે. એચ. ત્રિવેદી નોધે છે કે નાટયશાસ્ત્રમાં મળતું નાયકનું વર્ગીકરણુ–દેવ ધીરેહત્ત, રાજા ધીરલલિત વગેરે વાસ્તવિક જાતું નથી. કેમકે બ્રાહ્મણ કે વણિક સેનાપતિ અથવા અમાત્ય હોઈ શકે છે અને આમ થવાથી તેઓની પરિણિત ધીરપ્રશાન્ત કોટિને બદલે તેને ધીરદાર ગણવા પડશે. આ સાથે ડે. વિશ્વનાથ ભટ્ટાચાર્ય એક નવો જ અભિગમ રજૂ કરે છે. તેમના મતે ભરત વડે અપાયેલ વર્ગીકરણને સંદર્ભ વર્ણ કે જાતિપરક માનવા કરતાં ગુણલક્ષી લેવાનું છે અને એ રીતે મિજાજ પ્રમાણે એકની એક વ્યક્તિ ઉત્ત, ઉદાત્ત વગેરે કોઈ પણ વર્ગની હોઈ શકે છે. ગમે તેમ, પણ ભરત વડે કહેવાયેલ ઉદાર શબ્દને લીધે વિસંવાદ જન્મતા હોવાનું પ્રથમ નજરે જણાઈ આવે છે. અલબત્ત, આ વિસંવાદનું સમાધાન મેળવવા સંસ્કૃત નાટ્યશાસ્ત્રની જૈન પરંપરા અવશ્ય ઉપયોગી થઈ પડે છે. આ સંદર્ભમાં આચાર્ય હેમચંદ્રને પ્રયત્ન ઉલ્લેખનીય રહ્યો છે. તેઓ નેધે છે કે ઉદાત્તને વીરરસ એગ્ય કહેલ છે અને તેનાથી ધીરલલિત, ધીરશાંત, ધીરત અને ધીરદાત્ત એમ ચારેય કોટિના નાયકોનું પ્રહણ કરવાનું છે. નાદપણુકાર વધુ સ્પષ્ટતા સાથે કહે છે કે રાજા ધીરલલિત કે ધીરદાર હોય છે પરંતુ તે ધીરોદ્ધત્ત કે ધીરશાંત પણ હોઈ શકે છે. એ ખરું છે કે નાટકને નાયક ઉદાત્તગુણસંપન હવે જોઈએ પરંતુ એ ઉપરાંત અન્ય કોઈ પણ ગુણવાળો હોય છે. સંભવતઃ ઉદાત્તનું વિધાન કરવા પાછળ ભરતને પણ આ જ આશય રહ્યો હશે, કેમ કે નાટ્યશાસ્ત્રમાં એવો કઈ સ્પષ્ટ ઉલેખ નથી કે નાયક ધીરલલિત કે ધીરાદાત્ત જ હોય, પરંતુ તે ધીરેત અને ધીરશાંત પણ હોઈ શકે છે. ભરતને તે માત્ર નાયકમાં ઔદાત્ય ગુણ જ અપેક્ષિત હતો. એ નોંધવા યોગ્ય હકીકત છે કે સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નાટકના નાયક સંબંધી પ્રવર્તતા વિસંવાદનું પ્રતિબિંબ નાટકૅમાં ઝીલાયું નથી. સંસ્કૃત નાટકકારોએ તે નાયકને મર્યાટિને નિરૂપવા સાથે પરિણિત ચારમાંની કોઈપણ પ્રકૃતિથી સંબદ્ધ હવામાં વિશ્વાસ મૂકયો છે. ખરેખર તે લક્ષણગ્રંથની માન્યતાનું પરીક્ષણ વ્યાવહારિક ભૂમિકાએ થવું જોઈએ. આ માપદંડથી વિચારતાં લક્ષણુગ્ર માં પ્રવર્તતે વિસંવાદ નિર્મળ થઈ જાય છે. 1 The Natyadarpana-A critical Study. L. D. Institute of Indology. Ahmedabad, 1966, P. 21. 2 Sanskrit Drama and Dramaturgy, Bharat Manisha,' 1974, P. 158. ३ उदात्त इति वीररसयोग्य उक्तः । तेन धीरललितधीरप्रशान्तधीरोद्धतधीरोदात्तश्चत्वाએડપિ 7ઇત્તે | પૃ. ૪૩૩, હેમચંદ્ર-જગ્યાનુરારાન-સં'. આર. સી. પરીખ, પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૬૪, ૩ રામચંદ્ર-ગુણચંદ્ર-નાટયયન-સં. હા, નગેન્દ્ર વગેરે, પ્ર. દિલ્હી વિશ્વવિદ્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧, પૃ. ૨૬. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy