SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૧ માનનારને “નાસ્તિક' કહીએ છીએ. પરંતુ દર્શનની બાબતમાં આ શબ્દોને વિશિષ્ટ અર્થ છે. જે “વેદ” કે “શ્રુતિ” ને પ્રમાણ તરીકે સ્વીકારે છે તે દર્શને “આસ્તિક' દર્શનો છે અને જે “વેદ'ના પ્રામાયને ગણુતાં નથી તે નાસ્તિક દર્શને છે. છેલ્લાં છ દર્શને- સાંખ્ય ', “ગ', ન્યાય', “વૈશેષિક ', “મીમાંસા' અને “વેદાન્ત'-વેદના પ્રામાયમાં માનતાં હોવાથી “આસ્તિક” દર્શને મનાય છે અને બાકીનાં બધાં “વેદ”ના પ્રામાણ્યને ન માનતાં હોવાથી “નાસ્તિક ” દર્શને ગણાય છે. “આસ્તિક” દર્શનેની સંખ્યા ૬ હોવાથી તે “પદર્શન ” એ નામથી પ્રસિદ્ધ છે. તેમાં ક્રમાનુસાર બે-બે દર્શનેનાં ત્રણ જોડકાં છે; ૧ “સાંખ્ય’–‘યોગ'; ૨ “ન્યાય’–‘વૈશેષિક” અને ૩ મીમાંસા-“વેદાન્ત'. આમાંનું “મીમાંસા દર્શન', ‘પૂર્વમીમાંસા ', “ધર્મ–મીમાંસા' અને “કમીમાંસા' એ નામથી પણ ઓળખાય છે; જ્યારે વેદાન્તદર્શન'નાં બીજાં નામ છે ઉત્તરમીમાંસા” તથા “બ્રહ્મમીમાંસા'. આ છ યે દર્શનની અજોડ તાકિકતા, તેનું ઊંડાણ અને સૂક્ષમ વિવેચન ખરેખર અદ્ભુત છે. જયાં શ્રતિને આધારે મતની સ્થાપના કરવામાં આવતી હોય, ત્યાં પણ રજૂઆત તર્કબદ્ધ રીતે જ કરાય છે. ચિન્તનની મૌલિકતા પણ ધ્યાન ખેંચ્યા વગર રહેતી નથી. મનોવિજ્ઞાનની ઊંડી ચર્ચા પણ તેમાં કરવામાં આવી છે. દરેક દર્શનની પિતાની તત્ત્વમીમાંસા કે પ્રમેયમીમાંસા, જ્ઞાનમીમાંસા કે પ્રમાણુમીમાંસા અને આચારમીમાંસા હેય છે. કોઈક દર્શન એમાંના અમુકને વિશેષ મહત્વ આપે અને બીજુ બીજાને પ્રાધાન્ય આપે એવો ભેદ છે, જે સ્વાભાવિક જ ગણાય. આ દર્શનકારે કેવળ તર્ક ઉપર આધાર ન રાખતાં પોતાના સિદ્ધાંતોને શ્રુતિની કસોટીએ ચઢાવે છે, કેમ કે શુતિ એ તે સાક્ષાત્કૃતધર્મા ઋષિઓનાં પ્રજ્ઞાચક્ષુ દ્વારા જોવાયેલાં તને સમૂહ છે. આ અન્ધશ્રદ્ધા ન કહેવાય, કારણ કે આ રીતે તેઓ પ્રતિભાસંપન્ન ઋષિઓએ અનુભવેલ અપરોક્ષ જ્ઞાનની મદદ લે છે. જીવ, જગત અને ઈશ્વર જેવા અતિ ગહન વિષયો ઉપર આ દાર્શનિકોએ ભિન્નભિન્ન દષ્ટિએ વિવેચન કર્યું છે. આ વિષયની પરમ ગહનતા આ દાર્શનિક વિવેચનને નાવીન્ય અપે છે. વળી આ દિશામાં મૌલિકતા પણ છે. સુત્ર ઉપરના ટીકાકારોએ પણ મૂળના સિદ્ધાન્તો સમજાવવામાં પિતાના સ્વતંત્ર વિચારો પણ કોઈ પ્રકારના ભય વિના વ્યક્ત કર્યા છે. ૧ દર્શન-સાહિત્ય : આ આસ્તિક દર્શનેનું સાહિત્ય અતિવિપુલ છે, જેની શરૂઆત સૂત્રગ્રન્થથી થાય છે. સત્રન્થ એ જે તે દર્શનને પ્રથમ પ્રન્થ હોવા છતાં સૂત્રોના કર્તાને દર્શનેના પ્રણેતા ગણવા એ ખોટ છે. ઉપર નેધ્યું છે તેમ, અતિ પ્રાચીન કાળથી આ ચિન્તન પરમ્પરા ચાલી આવી છે, વૈદિક સંહિતાઓમાં પણ તેને સ્પષ્ટ નિર્દેશ મળે છે. આથી સમજાય છે કે “વેદ”ના કાળ પૂર્વે પણ આવા વિચારે ચાલતા હશે, જે સંહિતાઓમાં પ્રકટ થયા છે અને વેદના જ્ઞાનકાંડ એવા For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy