SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ નરેન્દ્રકુમાર પી. મહેતા ૭ હરસ કે મસાના નાશ માટે તા (છાશ, કે મઠાના સેવનને પ્રયોગ : નવમા કલેકમાં હરસ કે મસાના રોગને નાશ કરવા માટે છાશ અને મઠાના સેવનને ઉપચાર બતાવવામાં આવ્યો છે. જેમ છાશ અને મઠાના સેવનથી ગુદજ એટલે કે મસા કે હરસ માટે છે તેમ જો જન્માંગમાં ચંદ્ર પૂર્ણકળાએથી યુક્ત થઈને શુભ ગ્રહના દ્વાદશાંશમાં હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં ગુજ એટલે હરસ, મસા, મરડો વગેરે રોગોમાં છાશ અને મઠાને પ્રયોગ લાભકારક મનાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્માંગ સિવાય હેરા, દ્રયકાણુ, સપ્તમાંશ, નવમાંશ, દ્વાદશાંશ અને ત્રિશાંશને ષડ્રવર્ગીય કુંડળીઓ કહેવામાં આવે છે. તેવી જ રીતે દશાંશ, ષોડશાંશ ષડ્યશ વગેરે કુંડળીઓ દશવગીર્ય, વીસવગીય એમ વિવિધ પ્રકારની કુંડળીઓ બને છે અને તેમનું વિશિષ્ટ બાબતમાં વિશિષ્ટ મહત્વ જોવા મળે છે. અહીં દ્વાદશાંશને ઉલ્લેખ થયેલું છે. માતાપિતાના સુખ બાબત પણ દ્વાદશાંશ કુંડળીનું મહત્ત્વ માનવામાં આવે છે. (સ્ તારા વિના સૌહથમ્). ૮ આંખમાં ફેલાના નાશ માટે કાળાં મરી અને વાંસના ઉપરના કમળ ભાગના ઘસારાને પ્રયોગ - આંખમાં સલાને દૂર કરવા માટે કાળા મરી અને વાંસના ઉપરના કેમળ ભાગના ધસારાને પ્રયોગ તેરમા લોકમાં જોવા મળે છે. જેમ કાળાં મરી અને વાંસને ઉપરને કેમળ ભાગ ધસીને દરરોજ આંખમાં આંજવામાં આવે તે આંખનું ફૂલું નષ્ટ થાય છે તેવી રીતે જે જન્મને અધિપતિ લનમાં સમસ્ત ગ્રહોથી દષ્ટ હોય તે બાલારિષ્ટને નાશ થાય છે, અહીં જન્મને અધિપતિ અર્થાત રાશીને સ્વામી લગ્નમાંસ્થિત રહીને સમસ્ત મહેથી દષ્ટહોય તે અરિષ્ટને નાશ કરે છે તેમાં જન્મના અધિપતિના સ્થાનનું મહત્વ દર્શાવાયું છે. સાથે સાથે બધા ગ્રહો (સાતમે હોવાથી અથવા વિશિષ્ટ દષ્ટિ કરતા હોવાથી) જેતા હોવાથી તેને વિશેષ બળ મળે છે. ૯ ઉગ્રક્વરના નાશ માટે મુનિપુષ્પ (અગત્યપુષ્પ)ના રસને સૂંઘવાને પ્રગ પંદરમા શ્લોકમાં લેખકે ઉમ જ્વરના નાશ માટે મુનિપુષ્પના રસને પ્રાગ સૂચવ્યું છે. ચોથે દિવસે આવતે (ચોથિય) તાવ અગપુ૫ના રસને સૂંધવાથી ઊતરી જાય છે, શાંત થઈ જાય છે. તેમ જે ચંદ્રથી બારમા ભાવમાં બુધ કે શુક હોય અને અગિયારમા ભાવમાં પાપગ્રહ હોય તેમ જ દશમા ભાવમાં ગુરુ &ાય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં વિશિષ્ટ પ્રહનું વિશિષ્ટ સ્થાને સૂચવાયું છે. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy