SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કયામત સાવલીના માપણામાં ઝીય વિચાર ૩ મહાતિસાર રેગમાં જાયફળ કે દાડમના છોતરાના ફવાથને પ્રયોગ - છઠ્ઠા લેકમાં મહા અતિસાર (સતત ઝાડા થવા તે) રેગમાં જાયફળ કે (પાઠભેદ મુજબ) દાડમના છોતરાને ફવાથ અકસીર છે તેમ જણાવ્યું છે. આ કવાથના પ્રયોગથી ગમે તેવા ઝાડા થયા હોય તે પણ તે મટી જાય છે. આવી જ રીતે જન્મસમયે ચંદ્ર ગમે તેટલે ક્ષીણ હોય તે પણ જે ચંદ્ર શુભગ્રહના વર્ગમાં શુભ ગ્રહથી દુષ્ટ હોય તે બાલારિષ્ટને નાશ થાય છે. અહીં જ્યોતિષવિષયક વિવિધ ગ્રહના વર્ગ અને શુભ ગ્રહોની દૃષ્ટિનું મહત્વ જોવા મળે છે. ગુરુ શુક્ર, બુધ અને પૂર્ણ ચંદ્રને ( બળવાન ચંદ્રને) સર્ગિક શુભ ગ્રહ માનવામાં આવે છે. મહાતિસાર રોગમાં જાયફળ અને દાડમને ઉપચાર વૈદકીય ઉપચારમાં જાણીતા છે. અહીં ગાdીન અને દિમાગ એમ પાઠભેદ જોવા મળે છે તેમાં તીખા, પાઠ સ્વીકાર્ય જણાય છે તેમ છતાં મહાતિસારમાં દાડમને ઉપચાર પણ જાણીતું છે તેથી આ પાઠભેદ ધૂસી ગયે હેય તેમ લાગે છે. જાયફળને ઉપચાર ઉપર્યુક્ત રોગમાં વિશેષ લાભપ્રદ હોય તેમ લાગે છે. ૪ ઉન્માદ રેગના નાશ માટે કલ્યાણદ્યુત : સાતમા લેકમાં ઉન્માદ (પાગલપણું)ના રોગના નાશ માટે કલ્યાણધૃતના પ્રયોગની ચર્ચા જોવા મળે છે. જેમ કલ્યાણતના પ્રયોગથી ઉન્માદરેગને નાશ થાય છે તેમ જે જન્મના ચંદ્રથી ૭, ૮, ૬ ભાવમાં પાપગ્રહોથી રહિત શુભગ્રહે હેય તે અરિષ્ટને નાશ છે. અહીં જ્યોતિષવિષયક અધોગનું મહત્વ જોવા મળે છે. આ યોગથી ચંદ્રને બળ મળે છે જ્યારે ચંદ્રથી ૬, ૭ અને ૮મા ભાવમાં શુભ ગ્રહ હોય એટલે કે છે શુભ ગ્રહ, સાતમે શુભ ગ્રહ અને આઠમે શુભ ગ્રહ હોય ત્યારે ચંદ્રાધિયોગ બને છે. આ યોગ જેમ અરિષ્ટને નાશ કરે છે તેમ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં પણ વૃદ્ધિ કરે છે. શનિ, મંગળ, રાહુ-કેતુ અને સૂર્યને પાપગ્રહ માનવામાં આવે છે.. ૫ નેત્રરંગ ( પીડા) ના નાશ માટે લવણયુક્ત તને પ્રગ – જેમ લવણયુક્ત વૃતના પ્રયોગથી નેત્રરોગ આંખની પીડા શમે છે કે તે રોગને નાશ કરે છે.. તેમ ચંદ્ર શુભ ફળ આપનાર શુભગ્રહથી યુક્ત હોય અને શુભગ્રહોના દ્રષકાણમાં હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં નેત્રપીડાના શમનનું કે નેત્રરોગના નાશનું નિરૂપણ આ આઠમા લેકમાં જોવા મળે છે. અહીં દ્રષકાણનું મહત્વ પણ સૂચવાયું છે. ૬ કણભૂલ કે કાનના રોગને દૂર કરવા માટે મીઠાવાળા પાણીને પ્રગ ઉપર્યુક્ત આઠમા શ્લોકમાં નેત્રરંગના નાશ માટે લવણયુક્ત ધૂતને પ્રયોગ દર્શાવ્યો છે. આજ લોકમાં પૂરનારોજની જગ્યાએ તૃતિપૂરવઠ્ઠvજૂને એવો પાઠભેદ જોવા મળે છે તેથી રાગ અને ઉપચાર ઉદાહરણમાં બદલાય છે. ઉપર મુજબ દ્રષકાણુમાં રહેલ ચંદ્ર જેમ અરિષ્ટને નાશ કરે છે તેમ મીઠાવાળું પાણી કાનમાં નાખવાથી કર્ણશલ કે કાનની પીડા-કાનને રોગ નાશ પામે છે. અહીં પાઠભેદને કારણે જ્યોતિષવિષયક બાબત એક જ છે, પરંતુ વૈદકીય ઉદાહરણ બદલાય છે, For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy