SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેનવાસને એક ખૂણે’–સંકુલ અાંતરમનની તર૦ અભિવ્યક્તિ ૨૫પિપાસુ વરુ બહાર આવવા માંડયું. તેણે કરીને સમજાવી દીધા, ધવલને જુહો જી પ્યાર કરી બાનમાં ફસાવી દીધો અને તેની પત્ની મેહિની પર મોહજાળ પાથરી, તેને કામાંધ બનાવી દીધી. આ બધાના પુરાવારૂપે માર, ઈ-પેકટરને પતે નિદ્રાધીન થવાને ઢાંગ કરી, ચિત્તાની જેમ સાવધ રહી સાંભળેલી મોહિની અને મહેતા વચ્ચેની વાતચીત ટાંકે છે. મુળે ઈન્સ્પેકટર આગળ મારુ દ્વારા વર્ણવાયેલી આ ઘટના પ્રેક્ષકોના લાભાર્થે દૃશ્યરૂપે નાટ્યકારે ગૂંથી છે પણ તે Objective સત્ય નથી કારણ કે એ ઘટના મારુ દ્વારા કહેવાયેલી છે જે કદાચ તેણે સ્વબચાવ માટે ઉપજાવી પણ કાઢી હોય. પોતે જેને સમગ્ર અસ્તિત્વથી ચાહતે હવે તે પોતાની પત્ની તેની દષ્ટિએ કુલટા નીકળી અને તેથી તેનું રોમેરોમ ઈર્ષ્યા, વેર અને ખુન્નસથી ઉભરાવા લાગ્યું અને તેથી તેણે હિનીની હત્યા કરવાને પ્લાન ઘડ્યો અને પછી ઈ-સ્પેકટરના મતે તેણે દૂધમાં કાતિલ ઝેર ભેળવી દીધું પણ મોહિનીની જગ્યાએ ધવલ એ દૂધ પી ગયા અને મોહિનીને બદલે ધવલની હત્યા થઈ. પરંતુ મારુના કહેવા પ્રમાણે મોહિનીને મારવા આવો જ પ્લાન બનાવ્યું હતું પણ આ તેની તરંગલીલા હતી. પોતે ખુબ નિર્બળ મનને હોવાથી મિત્રને કે પત્નીને કશું કહી શકતે નહિ તેથી તેણે હત્યા કરવા માટેની ખયું પ્રિન્ટ રચી તેનાં અનેક રિહર્સલ કર્યા. તેણે અનેકવાર મોહિનીને મારી નાંખી પણ પિતાના મનેજગતમાં. આમ મારુએ મોહિનીને મારી નાંખવાની યોજના ઘડેલી પણ તેને નક્કર રૂપ આપી શકો નહિ એટલે દૂધમાં ઝેર ભેળવવું, મોહિનીની જગ્યાએ ધવલનું દૂધ પી જવું અને મૃત્યુ પામવું એ ઘટના ઘટી જ નથી, તેના દ્વારા ધવલની હત્યા થઈ જ નથી. એ તે ઈન્સ્પેકટરે લગાવેલો તર્ક માત્ર છે જેના થકી મારુના આંતરમનમાં ધરબાઈને પડેલી મોહિની પ્રત્યેની અસલ લાગણી પ્રગટ થાય છે. મારુનું આંતરમન છતું થાય છે ને ત્યાં પહેલે તબક્કો પૂરો થાય છે. અહીં હત્યા થઈ છે પણ મનેજગતમાં. બીજા તબક્કામાં અનંગ મહેતા સાથેની પૂછપરછ આરંભાય છે. હવે આ ધટના અનંગની દૃષ્ટિથી નિરૂપાય છે. વ્યવસાયે બ્રોકર, મકાન લે-વેચને ધંધો કરનાર અને માર પરિવારના ઘનિષ્ટ મિત્ર, સંવેદનાના અદષ્ટ તાંતણે ગૂંથાયેલા અનંગે પિતાના અંગત સુખ માટે મારુને પતાવી નાંખવાની યોજના વિચારી હતી તેમ તે કબૂલે છે. મારુની હત્યા કરવા માટે માસ્ટર પ્લાન ઘડ્યો હતે. પીળી ઝાંયવાળા ગ્લાસની આસપાસ સફેદ દોરી બાંધી હતી પણ તેમાં ઝેર નહોતું નાંખ્યું. અહીં પણ અનંગ, મારુ મને મન મારી નાંખે છે. વાસ્તવમાં નહિ. પોલિસ ઈ-સ્પેકટર દ્વારા થતી ધવલના મૃત્યુની ઊલટતપાસથી મારુ અને મહેતાનાં મનોજગત ઉધાડાં પડે છે. મારું પિતાની પત્ની મોહિનીની હત્યા કરવા તત્પર હતો જયારે મહેતા, માની. ઊલટતપાસ તેમના અવચેતન મનનાં પડળે ખુલ્લાં કરી આપે છે. અહીં કેન્દ્રમાં ધવલની હત્યા નથી પણ એ કહેવાતી હત્યા નિમિત્ત વ્યક્ત થતા પાત્રોના મનોવ્યાપાર છે. એ પાત્રોનાં મનને ખુલ્લાં પાડવા માટે હત્યા, પો. ઈ. દ્વારા ઊલટતપાસ વિગેરે રહસ્યનાટકનું માળખું લેખકે ખપમાં લીધું છે. અસલ ખૂનીની શોધ કરતાં અહીં પાત્રના મનમાં એકબીજા પરત્વેની પ્રચ્છન્ન પણ સાચી લાગણી પ્રગટ કરવાનું વધુ મહત્વનું છે. મોહિની સાથેની ઊલટતપાસમાં, પિતાને પતિ જ્યારે હયાત નહિ હોય ત્યારે મહેતા, પિતાની, પોતાના પરિવારની પડખે ઉભો રહેશે એવા વિચારની નાજુક ક્ષણે પિતે મહેતા પરત્વે કુણી લાગણી અનુભવી હતી તેવું મોહિની કબુલે છે પણ પછી તે સ્વસ્થ થઈ આ લાગણી ખંખેરી નાંખી હતી અને મૌન સેવ્યું હતું. ઈ-પેકટર આ મૌનને મારુની હત્યામાં મોન સંમતિરૂપ ગણાવે છે ત્યારે મોહિની ધરાર તેને વિરોધ કરે છે અને ધવલને યાદ કરી પિક For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy