SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુત પ્રીતમલાલ કરછીનું ઉન્નતિશતક-એક મનોવિલેષણ ૩૪૯ આવા કવિ મૃત્યુ વિષે કાંઈક વાત કર્યા વિના કેમ રહી શકે ? મૃત્યુને પ્રતિકાર કરી શકાતો નથી. તેની સામે નીચેની સામગ્રી નકામી છે એ નિર્દેશ કરતાં કવિ જણાવે છે: न भोगा न रागा न कामा न रामाः . . प्रकर्ष गता रक्षिता नापि लक्ष्मीः । न पुत्रा न वा बांधवा नापि भृत्याः सहाया भविष्यन्ति मृत्योः समीपे ॥ ९४ આપત્તિનું કારણ ષ છે એમ કવિ માને છે. આ રોગને દિવ્ય ઉપાય પ્રેમ છે. આ પ્રેમ માનવને માટે પ્રતિક છે એમ કવિ માને છે. દેશને કવિ કાનવતુચ કહે છે. ઠેષને લીધે ક્રોધ ઉતપન્ન થાય છે, ક્રોધ બુદ્ધિને પરાભવ કરે છે અને માનવને પશતુલ્ય બનાવી દે છે એ કવિને સ્પષ્ટ અભિપ્રાય છે. ૧૦૫માં પદ્યમાં કવિ સંસ્કૃત ભાષાને દિવ્યા, મયથા અને સદન સુમrfષતોવતીના કહે છે. કવિ માને છે કે આ ભાષા સુત્રો વન્દિતા છે. ૧૦૯ થી ૧૧૧ પદ્યોમાં કવિ ઇન્દોરના હેલકર વંશના રાજારાણુઓ-તુકાળ, અહિલ્યાબાઈ, શિવાજ વગેરેને ઉલ્લેખ કરીને પિતાનો પરિચય આપતાં કહે છે કે હું તેમની કીર્તિનું ગાન કરનારે ગુજરાતી દિજ છું. છેલે ૧૧૨ થી ૧૧૪ કોમાં કવિ હૈદ્ભરવંશને માટે આરોગ્ય, માંગલ્ય, ચિરાયું, વિપુલ ધનાદિની કામના ભગવાન સૂર્ય પાસે પ્રકટ કરે છે. આ શતકના પરિશિષ્ટ ભાગમાં પાંચ લેકો મહાનિક વિષે આપ્યા છે અને ૬ લોકોમાં રાષ્ટ્રીય એકતા વિષે વાત કરી છે. મદ્યપાનથી ઉદ્દભવતાં દૂષણો બતાવતાં કવિ બુદ્ધિની મઢતા, વિષયેચ્છાની પ્રબળતા, સદસવિવેકને લેપ, મૂર્ખાઇભર્યા આચરણે, વિસંગત વાણી બાલવી, મતિ-વૃતિ-શક્તિ-બ્રશ, નીતિનાશ, લજજાનાશ, વિરહાનિ વગેરેને નિર્દેશ કરે છે અને તેને ત્યાગ કરવાની હાકલ કરે છે : अतो गर्हणीयं निषिद्ध सुशास्त्रैः सुरां मा पिबेतीदृशक्प्रियोगैः । जनैर्बुद्धियुक्तः सुकार्यप्रवृत्तः परित्याज्यमेतत् प्रयत्नैः समस्तै: ॥ ५ રાષ્ટ્રીય એકતા માટે “હું ભારતીય છું ' એ ભાવ જરૂરી છે, તેને નિર્દેશ કરતાં કવિ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy