SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ લાગણીને કથાની ધાનિક અને છતાં કળાત્મક ભૂમિકાએ ઉજાગર કરી શકે તેવું સર્જનકર્મ થઈ શકર્યું નથી. માણસના જીવિતવ્યને સ્પર્શતી આયી દાર્શનિક સમસ્યાને ક્ષમતાપૂર્ણ કેન્દ્રધટનામાં સંકોરી, તેને યોગ્ય objective corelativesની સહાયથી તેને ઉપચય સાધી રસકીય રૂપમાં સાકાર કરવાનું અહીં બની શકયું નથી. એટલે આ રચનામાંય આગલી રચનાની જેમ આત્મઅભિજ્ઞાનનું વિષયવસ્તુ વેડફાઈ ગયું છે. - બે લઘુનવલોમાં આત્મસાક્ષાત્કારનું વિષયવસ્તુ અલગ અલગ ઢંગથી ખપમાં લેવાયું છે. માણસ સમાજ વચ્ચે અને સ્વજને સાથે હોય છે ત્યારે અનેકની સાથે હળીભળી શકે છે પણ પિતાને ખુદને કદાચ મળી શકતો નથી. પિતાની જાતને મળવાનું તે કદાચ ત્યારે શક્ય બને છે જ્યારે માણસ સ્વજન-સમાજથી દૂર સાવ એકાંત સ્થળે જાય, એકાકી બને, માણસ પોતાની નજર સમાજથી જાત તરફ વાળે, સ્વસમુખ થાય ત્યારે શું થાય ? મોહભંગ પામે ? નિર્ધાન્ત થાય ? જીવનમાં કોઈ અર્થ કે સત્યને પામે ? " આ એક એવી દાર્શનિક અને મને વૈજ્ઞાનિક સમસ્યા છે કે તેમાં કોઈપણ નિષ્ઠાવાન સર્જકને રસ પડે. તેમાંય જ્યારે એ વ્યક્તિ પુરુષ નહીં પણ સ્ત્રી હોય ત્યારે એ સમસ્યાની જટિલતા અને રસપ્રદતા ઓર વધી જાય છે. વીનેશ અંતાણીને આ સમસ્યામાં રસ પડયો છે. “ સૂરજની પાર દરિયે' એ રચનામાં આ સમસ્યાને તાગી જેવાને અને કળાની ભૂમિકાએ મૂર્ત કરવાને એમણે પ્રયત્ન કર્યો છે. એકધારા રૂટિન જીવનથી કંટાળીને કોશાએ અનુકૂળતા જોતાં જ હઠ કરીને પતિ સાથે ગેવાના પ્રવાસે ગઈ. પણ પિતાની ફેકટરીમાં ચાલતો લેબરપ્રોબ્લેમ ઉગ્ર બનતાં પતિને બીજે જ દિવસે કેશાને પણજીમાં એકલી મૂકીને તરત મુંબઈ પાછા જવું પડયું. પતિ પાસે જીદ કરીને પંદર વર્ષે એ ફરવા નીકળી ત્યારે તેના મનમાં ખરેખર તો હનીમુન માણવાનો ભાવ હતો, પરંતુ આકસ્મિક સંજોગોએ તેને એકલી પાડી દીધી. એ હતી ટુરિસ્ટ પણ પતિ પાછો આવે ત્યાં સુધી પ્રતીક્ષાને શાપ જીવવાનું હતું. બહાર પ્રવાસ થઈ શકતો નથી એ સ્થિતિમાં એનો એના મનમાં પ્રવાસ ચાલતો થાય છે. એ અંતર્મુખ થાય છે. આત્મનિરીક્ષણ અને પૃથક્કરણ કરે છે. પોતાની સ્થિતિ, સંવેદના, ભાષા-બધાંને ચકાસતી રહે છે. આંતરદમાં સપડાય છે. એ આખી પ્રક્રિયાથી અને પિતાની અવસ્થાથી કંટાળી થાકે છે ત્યાં કચ્છના રણપ્રદેશમાં પૃથ્વીના પેટાળમાંથી તેલ શોધવાનું કામ કરતા એન્જિનીયર નંદના પરિચયમાં આવે છે. નંદ જેવા જીવંત પુરુષના પરિચયમાં આવ્યા પછી એનું મન નંદ સાથે પતિની તુલના કરી બેસે છે. નંદ અજાણતાં જ એના અંતરમાં શારકામ કરી બેસે છે. એ ખુદ ઓળખી નહેતી શકતી એવો એને ત્રણ એ કારણે ખુલે થઈ જાય છે. મુંબઈ અને પછી વચ્ચેનું અંતર અગાઉ એણે પોતાના પલંગ પર પણ અનુભવેલું છે. ત્રણ દૂઝવા લાગે છે. એને ખોતરતાં પારાવાર વેદના થતી હોવા છતાં એને ખેતરવાનું એ ચાલુ રાખે છે. ત્યારે એને સમજાય છે કે આ પંદર વર્ષો દરમ્યાન પતિ અને પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં, ઘરગૃહસ્થી ચલાવવામાં પોતાની ઈચ્છાઓ, લાગણીઓ, આનંદા, સંવેદનાઓ તેને હેમી દેવાં પડયાં હતાં. એનું સભર સ્વત્વ લોપાયું હતું. સમાજ જેને સ્ત્રી માટે સુખ સૌભાગ્યની બાબત ગણે એવું બધું એની પાસે હતું. પૈસાદાર પતિ, સુંદર પુત્રી, ઘરસગવડ બધું જ. પણ બહારથી સુખી જણાતા પરિવારમાં એનું સ્થાન, કુટુંબીઓ ગર્વથી વાત કરી શકે એવી ફલેટ, ફર્નિચર, For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy