SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦૦ www.kobatirth.org અરુણા કે. પટેલ અર્થાત્ “ જયાં નિશ્ચય કરવામાં વિરોધ જણાતા હોય, ત્યાં ઈચ્છાપૂર્વક પ્રયોજવામાં આવેલું જ્ઞાન, તે આવા જ્ઞાન કહેવાય. જેમકે, નટ એ રામથી ભિન્ન છે, તેવું જાણુવા છતાં નટને વિશે ‘આ રામ છે' એમ કહેવું, તે ઇચ્છાજન્ય જ્ઞાન છે. તેવું જ્ઞાન તે આહાર્યું જ્ઞાન કહેવાય છે. ” ‘ સ’ક્રેન ’ ટીકામાં સેામેશ્વરે પણ ચિત્રનુગપ્રતીતિને આહા પ્રીતિ તરીકે ઓળખાવી છે. ' (૪) ‘કાવ્યપ્રકાશદણુ ’ના રચયિતા વિશ્વનાથ કહે છે— થા Acharya Shri Kailassagarsuri Gyanmandir बालानां चित्रतुरगे वस्तुपरिच्छेदशून्या तुरगोऽयमिति बुद्धिर्भवति, तथा રામોડયમિતિ પ્રતિસ્ત્યા જ્ઞાનેન પ્રાયે નટે, અમિનેતરિ કૃતિ । "૧૨ અર્થાત, જેમકે વસ્તુના ભેદ ન સમજનાર બાળકોને ચિત્રમાં તુરગ જોઇને ‘ આ તુરગ છે’ એવી બુદ્ધિ થાય છે, તે જ પ્રમાણે પ્રેક્ષકોને નટમાં, ‘ આ રામ છે ' એવા જ્ઞાનની પ્રતીતિ થાય છે.’ શ્રી વિશ્વનાથે આપેલી સ્પષ્ટતા પરથી કેટલાક હિન્દી વિવેચકો એમ કહેવા પ્રેરાયા છે કે ચિત્રતુરગની કલ્પના હાસ્યાસ્પદ છે અને તે બાળકોને સમજાવી શકાય, જ્ઞાની સહૃદય ભાવકને નહિ. આધુનિક વિવેચક : ( ૧ ) શ્રી નગીનદાસ પારેખ જણાવે છે કે, શંકુ' એક વાત કડી નાખી કે નાટયપ્રતી ત બીજી લૌકિક પ્રતીતિ કરતાં જુદી છે, એ પ્રતીતિ ચિત્રતુરગની પ્રતીતિ જેવી છે. એમાં એક પ્રકારની સ્નેહાકૃત આત્મવયના અને willing Suspension of disbelief છે.૧૩ શ્રી રસિકલાલ પરીખ આ મંતવ્યનું પરીક્ષણ કરતાં જણાવે છે , “ આ ચિત્રતુરંગન્યાયને આત્મવચના ભલેને સ્વેચ્છાએ કરેલી-કહેવી ઠીક છે? જ્યાં Disbelief ને સ્થાન જ નથી, ત્યાં Suspension કેવું ? કલાનુભવને કહેવા માટે આ ચિત્રતુરગન્યાય શ કુકે વાપર્યા છે. ૧૪ આપણે ઉમેરી શકીએ, કે શ્રી નગીનદાસ પારેખે કાલિરજના નાટયના આનંદને વવતા શબ્દો Willing Suspension of disbelief શ`કુકના સંદર્ભીમાં ટાંકયા છે, તે ચિત્રતુરંગ-ન્યાય સાથે વિસંવાદી છે. કારણ કે અહીં થતી પ્રતીતિ એ મિથ્યા પ્રતીતિ નથી, તે પૂર્વે જોઈ ગયા. શ્રી નગીનદાસ જેવા સાક્ષર ચિત્રતુરગની વિલક્ષણતાનેા સ્વીકાર કર્યા પછીયે Disbelief જેવા શબ્દપ્રયાગ સૂચવે, તે નવાઇ પ્રેરક છે. (12) Viśwanātha - Kāvyaprakāśadarpana - Raju Goparanjan, Manju prakashan-Allahabad, 1979, p. 25. ( ૧૬ ) પારેખ નગીનદ્રાસ-અભિનવનો રસવિચાર, બી. એસ. શાહની કંપની, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૨૩ ( ૧૪ ) પરીખ રસિકલાલ-એજન-ઉપોદ્ઘાત-પૃ. ૨૩ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy