SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી કૃષ- તીસંવાદ” રાજયનાની દૃષ્ટિએ N સંવાદમાંની સંમધટના જે સંદેશની બનેલી છે તે કચ્છ-કુન્તી જેવાં પાત્રોથી થાય છે ને એમની વાણી વગેરેને વિરામ “ સ્વ” અન્ય પાત્ર તેમ પ્રેક્ષકે છે. બભિત વ્યાકરણુને આધારે રચાયેલી આ સંવાદ-કતિ પિતે તે એક સંરચનાબત ઉક્તિ માત્ર છે પણ એ ભાવનને દોરે છે અને ભાવનના અસ્તિત્વમાં જ એની ઘટનાઓને કતિમાં કશું અસ્તિત્વ છે. સંરચનાવાદીઓ ભાવકને કેન્દ્રમાં લાવે છે. તે દરત અને બાથે તે એ વાતને ખૂબ વિસ્તારી પણ છે. થિયેટરની સંકત પરિભાષામાં, વાણીલેખન તેમ તેના વિધાયકો, ન્યાત્મક સંજક તથા આહાર્ય વગેરે અન્ય માધ્યમો વગેરેમાં તે મૂર્ત થાય છે. સારું શું ખોટું શું ? ધર્મ શું? અધર્મ શું ? વગેરે સંદર્ભને એના વડે નિર્દેશ મળે છે, અને અર્થ સમમ ક્રિયાને પરિણામે મળે છે. સંવાદ-તત્ત્વનું સંપટનસુત્ર વસ્તુગૂંફનમાં પાત્રો જે ભાગ ભજવે છે, તેની તપાસમાંથી જડે છે, અને એમાં રહેલી સંરચના સમગ્ર સંવાદરૂપને ધારણ કરતું નોંધપાત્ર તત્ત્વ છે. એ પારખી શકાય તેવી અને પુનરાવર્તનશીલ છે. પાત્રોનાં કાર્યોના યિાક્ષેત્રની દષ્ટિએ દુર્યોધનને ખલનાયકના યિાક્ષેત્રમાં જુઓ તે કૃષ્ણ દાતા, મદદકર્તા, નાયક વગેરે રૂપે દેખાય છે. યુનિટ વગેરેની જે વાત કરી તેમાં પુનરાવર્તન જેવાં દેવનિસામેની જે વાત કરી તેને તથા યથાસ્થાને લય તેમ લયસંવાદની જે વાત કરી છે તેને લેત્મનની દૃષ્ટિએ તપાસે. સ્પેસઅવકાશમાં સાહિત્યને બોધ થવો એમ જે તે કહે છે તેને કારણે સામાન્ય ભાષા કરતાં ઉપેન્દ્રા- : ચાર્યની ભાષા કઈ રીતે જુદી પડે છે તે સમજાશે. એમનું ગદ્ય-પદ્ય માત્ર માહિતી જ ઝડપથી પહોંચાડે છે એમ નહિ પણ પ્રેક્ષકોની સયિતાને પણ એ ઉશ્કરી મૂકે છે. પ્રેક્ષકો પાસેથી જે કંઈ તે માગે છે. તે ભાવનવ્યાપારમાં નવા જ અર્થ સંભારનું આકલન થતું આપણે જોઈ શકીએ છીએ. લેત્મન પ્રમાણે એમની કૃતિની એ દેણ છે એમ કહી શકાય. એ અર્થમાં એ ભાવન-વ્યાપાર સાહિત્યને સાર્વત્રિક સંરચના વ્યાપાર છે. ' સ્ટ્રકચર ”માં લેમને કલાપક સંતવિજ્ઞાનનું જે નિરૂપણ કર્યું છે, તેમાં એ તે કલાને એક ભાષા તરીકે જ આલેખે છે. એ અર્થમાં આ સંવાદકતામાં બીજાં સંમોથી જુદી જ રીતે એવું સંક્રમનું પાયાનું કાર્ય જે થાય છે, જે પણ કલાને કારણે થાય છે, જે પોતે જ એક ભાષા છે. એમના સંવાદસ્વરૂપે અનેક જગ્યાએ નાટકનાં તો અપનાવ્યાં છે. શ્રીકૃષ્ણના પ્રવેશથી માંડી સંકોચ, વાતનું પલટવું, આશીર્વાદમુદ્રા કરી રહેવું વગેરે એ સંદર્ભે સૂચિત કરી શકાય. તેથી આ સંવાદ પણ એમના-નાટ્ય-સંવાદેનું સ્વરૂપ ધારતા સંવાદની હરોળમાં બેસે છે. શાંત રસ એમાં મુખ્ય રસ છે. સંગીત જેવા વિભાગો પણ એને ટોચ પર પહોંચાડવાની ક્રિયાના ઉદ્દીપકો છે. હવે આપણે એ જોઈએ કે એ બધા વડે સંસ્કૃતિને વ્યાપાર કઈ રીતે થયો છે. મૂળ મહાભારતમાં કૃષ્ણને હેતુ સમગ્ર કચ્છમાંથી બહાર નીકળી શાંતિની સ્થાપના કરવી તે તરફ સ્વો છે. એ જ હેતુ. સત્ય તરફની ગતિ આ નાટકની પણ છે. પ્રારંભે જ ક ધર્મથી વિપરિત એવી કરુણ ગતિને કઈ રીતે ડામી. તે વર્ણવે છે અને તેમાંથી બહાર નીકળી શાંત રસ તરફ ગતિ કરે છે. આમ હેતુલક્ષી નાટકઃ હવા. નાં હેતુ સીધા પ્રયાસરૂપે એસ્ટે કે For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy