SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક િખબહારના ભાગેલી ૨ તરજુમિયા શૈલી તેમને ગદ્યમાં કયારેક તરજામિયા શૈલીના નમૂના મળી આવે છે. વિદેશી સાહિત્યમાંથી પ્રેરણુ લેવાથી ગુજરાતના ધણું સાક્ષરોની ભાષા તરજમિયા બની ગઈ હોવાની ફરિયાદ “ સાહિત્ય” માસિકે એક વાર કરી હતી. એ જ પ્રમાણે ખબરદારની ગદ્યશૈલીમાં પણ આવા નમૂના પ્રાપ્ત થાય છે. એમના આ દોષ તરફ શ્રી વિશ્વનાથ ભટ્ટે પણ ધ્યાન ખેંચ્યું છે. ૧ ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના પ્રમુખપદેથી આપેલા એમના ભાષણમાં આવેલાં નીચેના વાકયે તેમની તરજમિયા શૈલીની ક્ષતિ દર્શાવી જાય છે. એના પર અંગ્રેજીની અસર જણાઈ આવે છે. ૧ એ એવો તે કેવક પારસમણિ હશે કે જે પિતાના સંપર્શથી વાણીના લેહને સાહિત્યના કાંચનમાં ફેરવી નાખે? ૨ પરમેશ્વરે પોતાની ઉત્તમમાં ઉત્તમ કૃતિને સર્પની દયા પર ફેંકી દીધી હતી. ૩ જ્ઞાન એ તે વસ્તુઓ અને વસ્તુઓના સંબંધોને લગતી સમજ શકિત પ્રદશિત કરે છે ત્યારે પ્રજ્ઞા-અલૌકિક ડહાપણ-એ તે સત્યને યાચિત સાધનોની તેમ જ સત્યને યથેચત પરિણામોની ચૂંટણી કરી મન અને આત્માને સંગ કરાવે છે. ૨ ૩ અશુદ્ધ પ્રયોગ ખબરદાર એકધારી જોડીને અને શુદ્ધ ભાષાને આગ્રહ રાખે છે, પણ તેમની જ ભાષામાં જોડણી અને વ્યાકરણના અશુદ્ધ પ્રાગે જોવા મળે છે. સાતમી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખપદેથી કરેલા ભાષણમાં સતત, નિરોગી, શુદ્રો, રિષિ વા૯િમકી, સ્થલ, સત્વ, પ્રદિપ્ત, પ્રસંસા, તેને સુવાસ, હરિફાઈ, ઉલટી, વચ્ચેનું અંતર અને વ્યક્તિત્વ ” “ કનકોત્સવ” પ્રસંગે કરેલા આભારદર્શનના ભાષણમાં “ નદીને પાટ”, વિકાસતી, ભરછક, તળબદી, જ્ઞાનગોષ્ઠિ, “ સંપાદિત ' ને બદલે “ તંત્રિત” શબ્દનો પ્રયોગ, અને “ ગુજરાતી ભાષા અને પારસીઓ ના લેખમાં વળણ, વહેવારૂ, રાજ્યકર્તા અને " નામાંકિત ”ના અર્થમાં “નામચીન ” શને ગયેગ; “ પારસીઓની ગુજરાતી ભાષા” નામના લેખમાં શઢ, “ ચંચળ મગજ ” શબ્દોમાં “ચતુર”ના અર્થમાં વાપરે ચંચળ શબ્દ, “ અર્થ પ્રમાણે યથાર્થ ” તથા “ માન અને આદર” જેવા શબ્દોના પ્રગોમાં આવતે પુનરુક્તિ દોષ, “કૌમુદીકારની શિરજોરી” . ના ચર્ચાલેખમાં “એમણે જાણવું જ છે તે હું બતાવીશ”માં “ એમને ”ને બદલે “એમ”ને થયેલ પ્રગ; “ મલબારીનાં કાવ્યરત્ન ની પ્રસ્તાવનામાં આવતા સહાય (“ ચાહે ”ના અર્થમાં), કડવાશ ઊભો થતા, નામ અમર કીધું, પુરુષને લાગવગ આખરે વિજયી નિવડ, ૨૧ એજન, પૃ. ૩૫ ૨૨ પાદટીપ ૩ મુજબ, પુ. ૧, ૨૮, ૩૪, ૪૪, For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy