SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાયક પર વિસા કરે છે. આથી દિવ્ય શબ્દને અભિપ્રેત અર્થ-દિવ્ય તત્વની પ્રધાનતા દર્શાવતા મત્ય નાયકએવો લેવાનું રહે છે. નાટકને સંપૂર્ણ જીવનનું વિવેચન કરનાર અને નીતિ સંબંધી ઉપદેશ આપનારું માનવાથી દિવ્ય ચરિતનું આલેખને આવકારી શકાય નહિ. - ભરતનું નાયક-વિધાન એક અન્ય વિસંવાદનું પણ કારણ બને છે. તેમણે નાટકને નાયક ઉદાત્ત હેવાનું નોંધ્યું છે. વાસ્તવમાં ભરત વડે પરિણિત ચાર પ્રકૃતિ પ્રમાણે રાજર્ષિનું ઉદાત્ત કોટિમાં ગ્રહગુ થઈ શકે નહિ. તેઓ નાયકનું પ્રકતિ પ્રમાણે વર્ગીકરણ કરતી વખતે સ્પષ્ટ નાધે છે કે દેવ ધીરેહત્ત, રાજા ધીરલાલત, સેનાપતિ અને અમાત્ય ધીરાદાત્ત તથા બ્રાહ્મણું. અને વણિક ધીરશાંત હોય છે. આ વર્ગીકરણ રાજાને ધીરલલિત કોટિમાં સ્થાપી આપે છે. પરંતુ ભારતે નાટકમાં તેના ઉદાત્ત હવામાં વિશ્વાસ મૂકયો છે, જે તેમની ગણના પ્રમાણે સેનાપતિ અને અમાત્યની પ્રકૃતિ મનાયેલ છે. ખરેખર તે નાટકના નાયકને રાજર્ષિ કહ્યા પછી ઉદાત્ત ગણવા અંગે તેમને શું અભિપ્રેત હશે એ વિચારણીય છે. મોટા ભાગના પરવતી આચાર્યો પણ ભરતને અભિપ્રેત અર્થ ગ્રહણ કરવામાં નિષ્ફળ રહે છે. નાટ્યશાસ્ત્રમાં પ્રયુત ઉદાત્ત શબ્દના આધારે ધનંજય નાટકને નાયક ધીરેદાર કોટિને હોવાનું માને છે.૮ ધનંજ્ય દ્વારા પ્રસ્થાપિત આ માન્યતાને શારદાતનય, વિશ્વનાથ અને શિંગભૂપાલ અનુસરી નાયકને ધીરાદાત્ત કોટિની અંતર્ગત મૂકે છે. સંભવતઃ ભરતે નાયકને અપેક્ષિત ગુણ ઓદાત્ય માન્ય હોઈ, જેને ५ तेन ये दिव्यमपि नेतारं मन्यन्ते न ते सम्यगमंसतेति । पृ २०. રામચંદ્ર-ગુણચંદ્ર-નાટયર્વા:– સં. ડૉ. નગેન્દ્ર વગેરે, પ્ર. દિલ્હી વિશ્વવિદ્યાલય, દિલહી. પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧. વાડી1, tat, ૬ ભરત-નાટયશાસ્ત્રમ્-સં શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ, પ્ર. ચીખમ્બા સંસ્કૃત સંસ્થાય, વારાણસી, દ્વિતીય આવૃત્તિ, ૧૯૮૦, પૃ. ૨૨૭, ૨૦. 1. છે તેવા વીરોકત્તા જેવા નિતાનું નr: HTT: !. सेनापतिरमात्यश्च धीरोदात्तौ प्रकीर्तिती ॥ ધીકાન્તા વિયt TiT rગતથi | ૩૪. ૧૮-૧૯ એજન. પૃ. ૪૫૮. ( ધનંજય-જાણTH-સં. વ્યાસ (ડો.) ભાલાશંકર, પ્ર. ચૌખમ્મા વિદ્યાભવન, વારાણસી, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, પૃ. ૧૬૩, ૩. ૨૩. ૯ શારદાતન-માવવાપાનદૂ-સં. યદુગિરિ યતિરાજ સ્વામી તથા કે. એસ. રામસ્વામી શાસ્ત્રી, પ્ર. ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ, બરડા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૮, પૃ. ૨૨ : લીટી ) તથા વિશ્વનાથ-સચિનઃ --- સં. સિંહ (ડો) સત્યવ્રત, પ્ર. ચૌખંબા વિદ્યાભવન, વારાણસી, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, પૃ. ૩૬૩, ૬. ૯. તથા શિગભૂપાલ-સાસુઘાર:– સ. ટી. કટાચાર્ય, પ્ર. અડયાર લાયબ્રેરી, મદ્રાસ, ૧૯૭૯, પૃ. ૩૯૦, ૩, ૧૩૨. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy