SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परमेन निविभागेन गतः स नामः? પોરાણિક સંદર્ભો અનુસાર પરરવા અને કુશીનું કથાનક આ પ્રમાણે છે-એક અપ્સરા તરીકે તે અદના કાળથી પ્રસિદ્ધ છે. તે અનુસાર રાજા નગ્ન અવસ્થામાં દેખાવાના કારણે. ઉર્વશી તેને છોડીને જાય છે તે ન જાય તે માટે રાજા પાગલની જેમ ભટકતો ભટકતો એક સરોવર પાસે આવ્યો ત્યાં તે સખીઓ સાથે કીડા કરી રહી હતી. તે સ્થાન પર રાજા અને ઉર્વશીને સંવાદ થયો. ઉર્વશી ગર્ભવતી હતી એટલા માટે રાજાને પાસે આવવાને અસ્વીકાર કર્યો. પ્રાણત્યાગ કરવા પ્રવૃત્ત રાજાને પ્રાણ ત્યજતો અટકાવી ઉર્વશીએ રાજાને સ્વર્ગમાં આવવાનો ઉપાય બતાવ્યો તેથી મૃત્યુ પછી પુરુરવા સ્વર્ગમાં આવ્યો અને તેને સહવાસ પ્રાપ્ત થયું. આમ આ દૃષ્ટિએ જોતાં ક્યાંય દેશી દાન અપહરણ કર્યાને નિર્દેશ મળતો નથી. તેથી દેશી દાનવ અપહરણ કરીને ઈશાન દિશામાં ગયે હોઈ શકે નહીં એમ ફલિત થાય છે. હિટલા મોટાપોન બિમહિના માન અને મન : ( વિક્રમરાંડ ! આ બંને સંદર્ભે વિકમે.ર્વશીયમાં પ્રયોજાયેલા છે. વિદ્વાને તેમના દ્વારા ઉજજયિની ઉપર થયેલા આક્રમણની ઐતિહાસિક ઘટનાને નિર્દેશ થયું હોવાનું માને છે. આ આક્રમણ ઈશાનમાંથી થયું હોવાનું આ ઉલેખ ઉપરથી માનવું રહ્યું. શાક વગેરે પરદેશી પ્રજાઓ ભારતમાં વાયવ્યમાં આવેલા ખેબરઘાટ અને બોલનઘાટના માર્ગે પ્રવેશી ઉત્તરભારતમાં ફેલાઈ અને સમય જતાં તેમણે આગળ વધીને ઉજજયિની ઉપર ઈશાન ખૂણાના કોઈ માર્ગે આક્રમણ કર્યું હશે એ આ સંદર્ભ ઉપરથી માની શકાય અન્યથા સામે વિમાન ઉક્તિને સંદર્ભ નિરર્થક નીવડે. આ પરાક્રમને કારણે પુરવાને “વિક્રમાદિત્ય'ની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. જો કે આ વિક્રમાદિત્ય કોણ એ વિશે મતભેદ પ્રવર્તે છે. કેટલાકના કથન અનુસાર વિક્રમ સંવત સ્થાપનાર ઈ. સ. પૂર્વે પદમાં થયેલે આ વિક્રમ છે જ્યારે કાલિદાસને ગુપ્તસમયમાં મૂકનાર કીથ જેવા વિદ્વાને અનુસાર જેણે • વિક્રમાદિત્ય ' એવી ઉપાધિ ધારણ કરી હતી તે ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત દ્વિતીય ઉલેખ છે. આમ ઉજજયિની ઉપર થયેલ આક્રમણ એટલે ઉર્વશીનું કેશી દાન કરેલું અપહરણ અને વિક્રમાદિત્ય એટલે પુરવા. આ પ્રથમ અર્થધટન છે. આમ પુરુરવા-ઉર્વશીને પ્રથમ નિટશ વદિક-કથામાં છે. ઉર્વશી એટલે વીજળી એ પ્રકારને બીજે નિર્દેશ શતપથ બ્રાહ્મણમાં મળે છે. ઈશાનમાં દૂર જતાં વાદળને પાછાં વાળી પુરવાએ વાયવ્યાસ્ત્રથી વરસાદ પ્રાપ્ત કર્યો હતો. ઉર્વશી એટલે નાયિકા આ અર્થ પૌરાણિક કથાના સંદર્ભમાં દેશી દાનવે ઉર્વશી નામની અસરાનું અપહરણ કર્યું એમ સ્થૂળ અર્થમાં માનવું રહ્યું પરંતુ તે બાબતમાં ઉપર જોયું તેમ તેનું અપહરણ કશી દાનવ દ્વારા થયેલું માનીએ તો પણું દેશી દાનવ ઈશાન દિશામાં ગયે ન હોય તેમ ઈશાન ખૂણામાં દાનવોના પરાજયના કારણે માનવું વધારે ગ્ય જણાય છે. કાલિદાસની ઉતિ માત્ર કોઈ શત્રુ હારે જયિની ઉપર થયેલા આક્રમણના સંદર્ભમાં જ વધારે ઉચિત જણાય છે. સંદર્ભગ્રંથ - શતપથ બ્રાહ્મણ-“ તેની મહત્તા અને તેમાં રહેલું વિજ્ઞાન ” લેખક અને પ્રકાશકપિપટલાલ દયારામ રાવળ-૧૯૪૯, For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy