________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યવિરુદ્ધના આરે છે અને તેમનું ખંડન
વચન સહજ ભાવે સ્વીકારાતાં હોવાથી અસત્ય કે અસંભવ ન ગણાય. આથી રાજ શેખર કહે છે કે ખરેખર તે કાવ્યમાં કશું જ અસત્ય કે અસંભવ નથી. જે અનુભૂતિને અસત્ય કે અસંભવ લાગતું નથી તે તેવું ન જ ગણાય.
રાજશેખરના આ જવાબને સવિશેષ સ્પષ્ટ કરવા માટે આપણે કાલિદાસના “ વિક્રમ – વંશીય ” માંથી એક ઉદાહરણ લઈએ. ઉર્વશીના અનુપમ સૌન્દર્યથી પ્રસન્નમુગ્ધ પુરુરવા કહે
अस्याः सर्गविधौ प्रजापतिरभूच्चन्द्रोनुकान्तिप्रदः शृङ्गारकरसः कथं नु मदनो मासो नु पुष्पाकरः। वेदाभ्यासजडः कथं नु विषयव्यावृत्तकौतूहलो निर्मातुं प्र भवेन्मनोहरमिदं रूपं पुराणो मुनिः।
આ શ્લોકમાં, ઉર્વશીનું સૌન્દર્ય સર્જનાર ચન્દ્ર, મદન કે વસન્તમાસ હશે એ વિધાન તેમ જ વેદાભ્યાસજડ નારાયણ ન સર્જી શકે એ વિધાન અસંભવ છે જ, છતાં વાંચતાં મુગ્ધ કરે છે, ઉર્વશીના અનુપમ સૌન્દર્યનાં ચિત્રોની પરંપરા વાચકની દષ્ટિ સમક્ષ ખડાં કરે છે. આ જ તે આ લેકની ખૂબી, સાર્થકતા છે. આથી કાવ્યમાં ખરેખર કશું જ અસત્ય હેતું નથી તે વાત સાચી અને સહદયને તે અનુભવસિદ્ધ છે. આથી કાવ્યજગતના રસિકજનને જે અસત્ય, અથવા અસંભવ ન લાગે, અતિશયોક્તિપૂર્ણ હોવા છતાંય પ્રસન્નકર બને તેને કારણે કાવ્યને અસત્ય ન જ કહી શકાય.
૨ કાવ્ય અસત એટલે કે અનુચિત માર્ગ ઉપદેશના અને અનૈતિક હેવાથી અમાન્ય અર્થને ઉપદેશ આપે છે તેથી વર્ષ છે.
મમટાચાર્ય કાવ્યલિંગ અલંકારની વ્યાખ્યા આપતાં કહે છે કે “કોઈપણ વસ્તુને કારણ વાક્યમાં જ અન્તર્ગત હય, તેનાં પદોના અર્થરૂપે અન્વિત હોય તેને કાવ્યલિંગ અલંકાર કહે છે.” આ અલંકારમાં કારણ કિવા હેતુ વાસ્તવિક નહીં, પરંતુ કવિક૯િપત, કાવ્યજગતને હોય છે. તેથી તે નૈતિક દૃષ્ટિએ કે સાંસારિક દૃષ્ટિએ અનુચિત હોય એમ પણ બને. આથી આપણે કહીએ છીએ કે કાવ્યલિંગમાં હતુ અને તેની વાકયપદાર્થતા કાવ્યજગતનાં હોય છે. વાસ્તવિક જગતનાં નહીં. આથી એમ બની શકે કે જગતની દષ્ટિએ જે અસત હોવાને આભાસ થાય તે ખરેખર અસત ન હોય, અને કાવ્યજગતમાં તે નહીં જ. ઘણીવાર એવું બને છે કે કાવ્યજગતમાં તે નહીં જ. ઘણીવાર એવું બને છે ૬ કાવ્યજગતની આવી વાસ્તવિક્તા આપણા જગતની વાસ્તવિકતા કરતાં સવિશેષ વાસ્તવિક અને સહદય રસિકજનને ઉત્કટ સત્યને અનુભવ કરાવનાર હોય.
આ આરોપને પ્રત્યુતર રાજશેખર આ રીતે આપે છે.
(૧) આ અસત જણાતે ઉપદેશ કેટલીક વખત વિધેયને મિષે નિષિદ્ધ હોય છે. એક ગણુકા પિતાની પુત્રીને પતિવ્રતા બનવાનું, કલંક ન ગ્રહણ કરવાનું કહે છે એ ઉદાહરણના અનુસંધાને રાજશેખર આ દલીલ કરે છે.
૪ “વિક્રમોર્વશીયમ્ -૧. ૮
For Private and Personal Use Only