SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શક્ય-ચિકિસાની પ્રાચીનતા ૨ મસ્તક જેવાં અતિ સંવેદનશીલ મર્મસ્થાનનાં ઓપરેશનના પણ સ્પષ્ટ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અથર્વણના પુત્ર દAડુ ઋષિ પાસેથી મધુવિદ્યા શીખવા અશ્વિનકુમારોએ તેમનું મસ્તક કાપીને ઘડાનું મસ્તક લગાડયું હતું અને વિદ્યા શીખી લીધા પછી પાછું એમનું મસ્તક પુનઃ બેસાડેલું.’ સાયણાચાર્ય મુજબ દધ્યઋષિએ મધુવિદ્યા તથા પ્રવÁવિદ્યા–એમ બે વિદ્યાનું રહસ્ય અશ્વિનિકુમારોને કહ્યું હતું. આ બંને વિદ્યાનું જ્ઞાન ત્વષ્ટા પાસેથી ઈન્દ્ર અને ઈન્દ્ર પાસેથી દધ્ય એ પ્રાપ્ત કર્યું હતું. વળી પ્રવર્ગવિદ્યાને અર્થ સાયણાચાર્યો–' ભગ્ન કે છિન્ન થયેલા મસ્તકને કક્ષપ્રદેશ સાથે પુનઃ સાંધનારી વિદ્યા ”-એ કર્યો છે. પ્રસ્તુત મંત્ર દ્વારા શસ્ત્રક્રિયાની પ્રાચીનતા અંગેને ખ્યાલ આવે છે. આવો જ એક પૌરાણિક ઉલલેખ, શિવજીએ ગણેશનું માથું કાપી નાખ્યા પછી હાથીનું મસ્તક બેસાડી આપ્યાને પણ છે.૧૦ આ બંનેને શલ્યકર્મ (Surgical operation)ના અદ્ભુત ચમત્કારરૂપ લેખી શકાય. વળી સ્થાવ નામના મુનિના અસુરોએ ત્રણ ટુકડા કર્યા હતા ત્યારે અશ્વિનોએ એ ટૂકડા ફરીથી જોડીને એમને જીવન આપ્યું હતું, એ સાયણાચાર્યને ઉલ્લેખ તે એક અદ્ભુત જોખમી શલ્યકમ (dangerous operation)ને જ દ્યોતક છે. ઋચામાં આ પ્રમાણે દર્શાવ્યું છે.“ હે ઉદાર અશ્વિ! હે શર! તમે વધિમતિને હિરણ્યહસ્ત નામે પુત્ર આપ્યું અને હું અશ્વિ! ચીરીને ત્રણ કટકા કરેલા સ્થાને તમે પુનઃ જીવિત કર્યો.૧૧ આ અતિ ગંભીર શસ્ત્રક્રિયા આજની ટાંકા-ટેભા લેવાની રીત અને ત્વચા પણ (Plastic surgery)ના પ્રકારની હેવાને સંભવ નથી! અશ્વિને ઉપરાંત ભુઓએ પણ આવા અદ્ભુત શયકર્મના ચમત્કારો કર્યાનું વેદિક સાહિત્ય સૂચવે છે. અહીં સ્પષ્ટ જણાવ્યું છે કે “હે ઋભુ તમે ગાયનું માંસ ચામડીથી છૂટું પાડતા થયા અને ફરીથી માતાને વાછરડા સાથે મેળવતા થયા.૧૨ ८ आथर्वणायाश्विना दधीचेऽश्यं शिरः प्रत्यैरयतम् । सवा मधु प्र वोचतयान्त्वाष्टं यहनावपिकल्यं वाम् ॥ ऋ. १११५२२ ९ अपिकक्ष्यं छिन्नस्य यशशिरसः कक्षप्रदेशेन पुनः संधानभूतं प्रवर्दीविद्याख्यं रहस्य...... કવોરિયર્થઃ . ૧૧૨૨ નું સાયણભાષ્ય જુઓ. ૧૦ શિવપુEા-કુમાર#lov–ાધ્યાય ૧૬ જુઓ. ११ हिरण्यहस्तमश्विना रराणा पुत्रं नरा वधिमत्या अदत्तम् । त्रिधा हश्यावमश्विना विकस्तमुज्जीवस एरयतं सुदानू ॥ ऋ. १११४२४ ૧૨ નિર્બળ જમવો જાઉંરાત હું વણેનારંગતા માતર પુના. ૧૧.૮ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy