________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
જયન્ત પ્રે, ઠાકર
' વિદ્યા” કે “જ્ઞાન” અર્થાત “ઉત્કૃષ્ટ કોટિનું આધ્યાત્મિક જ્ઞાન”. આ અનુમતિઓમાં જાણે અગમ્ય ગેબી અવાજ દ્વારા આ ઋષિઓએ એ સાંભળ્યું અને તે સાંભળેલું ઉત્કૃષ્ટ જ્ઞાન “વેદ”માં રજૂ કર્યું. આથી જ વેદને “કૃતિ' કે “થત” પણ કહે છે-જે બનને શબ્દો છે શું
સાંભળવું 'માંથી ઊતરી આવ્યા છે, એક ભાવવાચક નામ છે અને બીજ' કમણિ ભૂતકૃદન્ત છે. આમ, વેદ એ કોઈ લેખકની કતિ નથી પણ પ્રાચીન ઋષિઓની કસાયેલી પ્રતિભા દ્વારા તેમને થયેલી સાક્ષાત્ અતુમતિન્દર્શન-જ છે, કૃતિ છે, ગહનમાં ગહન જ્ઞાન છે-મહર્ષિઓનાં પ્રજ્ઞાચક્ષુ દ્વારા અનુભવાયેલાં તને સમૂહ છે.
૬ દર્શનની ભૂમિકાઓ :
આવી ઉચ્ચ કક્ષાએ પહોંચવા માટે ત્રણ ભૂમિકાઓ છે: “શ્રવણ', “મનન ', અને નિદિધ્યાસન '. “શ્રવણ' એટલે બીજા પાસેથી સાંભળેલી વાતગુર પાસેથી મેળવેલ ઉપદેશ અને વેદમાંથી મેળવેલ જ્ઞાન. આ પ્રથમ બાહ્ય ભૂમિકા થઈ. આ વાત ઉપર સતત ચિન્તન કરવું તે છે “ મનન '. આ મનમાં થતી આન્તરિક ભૂમિકા છે. આવું અવિરત ચિન્તન થતાં કેટલીયે શંકાઓ અને પૃચ્છાઓ ઊભી થાય, અને એ ચિન્તનમાં જ તેમનાં નિરાકરણ પણ થઈ જતાં પેલું જ્ઞાન દઢ થાય. આ પછીની અતિમ ભૂમિકા છે “નિદિધ્યાસન 'ની. નિદિધ્યાસન' એટલે નિરન્તર ધ્યાન-જે વસ્તુ ઉપર મનન થયું અને તે દ્વારા દઢતા સધાઈ તેની સાથે એકરૂપ બની જવું, તન્મય થઈ જવું, કહે કે જાણે આપણું અસ્તિત્વ તેનાથી પૂરેપૂરું ભરી દેવું, દૂધ અને સાકર એકરૂપ થઈ જાય છે તેમ તેની સાથે એકાકાર બની જવું. આમ થતાં તે ગૂઢ પદાર્થની સાક્ષાત અનુભૂતિ થાય.
દર્શન’ની આવી ઉત્કૃષ્ટ કક્ષા લેવાથી સહેજે સમજાય છે કે દર્શને એ કોઈ બુદ્ધિની રમત કે કેવળ તાર્કિક કે બૌદ્ધિક પ્રક્રિયાઓ નથી, પણ તે આચાર પણ છે–સિહા તેને આચારમાં ઉતારવાની, જીવનવ્યવહારમાં પ્રકટાવવાની પદ્ધતિ પણ તે આપે છે. તે તે સર્વ પ્રકારના દુઃખમાંથી, જન્મમરણના ફેરામાંથી મુક્તિ મેળવવા માટેના ઋષિઓએ શોધેલા માર્ગો છે. અવિવા-અજ્ઞાન અને વિપરીત જ્ઞાનથી જ આ દુખમય સંસારનું બંધન હોઈ તે નિવારી સાચી વિદ્યા-સાચા જ્ઞાનની પ્રાપ્તિને પ્રયત્ન તે જ છે “ દર્શન'. તેમાં તેમણે વિશ્વનાં પરિબળોની પાછળ કામ કરતી શક્તિઓના પ્રબળ સમન્વયને વાચા આપી છે. પિતાની આસપાસનાં પરિબળોને સુન્દર પૃથક્કરણ કરવાની માનવમનની અદભુત શક્તિનાં દર્શન તેમાં આપણને થાય છે, જેને પરિણામે વૈવિધ્યમાં એકતા અનુભવાય છે.
૭ સૂક્ષ્મ ભેદ :
“ દર્શન' વિષે આટલે વિચાર કર્યા પછી “દર્શન ', “તત્વજ્ઞાન' અને અંગ્રેજી શબ્દ philosophy ' (ફિલેફી ) એ ત્રણે વરચેને સૂક્ષ્મ ભેદ સમજી લે જરૂરી છે. આ ત્રણ સંજ્ઞાઓ ઘણી વાર એક બીજાના પર્યાય તરીકે પ્રયે જાય છે, તેથી તાત્વિક ભેદ જાણ આવશ્યક છે, :
For Private and Personal Use Only