________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્યાણવર્ષાકૃત સારાવલીના ચન્દ્રારિષ્ટમનાધ્યાયમાં વૈદકીય વિચાર–
નરેન્દ્રકુમાર પી. મહેતા
સૌંસ્કૃત જ્યોતિષશાસ્ત્રના ઇતિહાસનું અવલેાકન કરતાં જણુાય છે કે દૈવજ્ઞશિરામણુ આચાર્ય વરાહમિહિર (ઈ. સ. ૫૦૫)ની પછી અને પ્રસિદ્ધ ટીકાકાર ભટ્ટોત્પલ (ઈ. સ. ૯૬૬)ની પહેલાં થઇ ગયેલ વટેશ્વર--કલ્યાણવર્મા ( ઇ. સ. ૧૭૮) જ્યોતિષશાસ્ત્રના ઇતિહાસમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ત્રિક'ધ જ્યાતિષશાસ્ત્રના જાતક ગ્રંથોમાં પરાશર મુનિનું ‘બૃહત્પારાશરહેારા શાસ્ત્ર' અપૌરુષ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે અને આચાર્ય વરાહમિહિરનું ‘બૃહજાતક' પૌરુષગ્ર'થામાં સૌથી પ્રાચીન છે. આ બે પ્રસિદ્ધ જાતક મથેા પછી (ગુર્જર પ્રદેશના વ્યાઘ્રપદનરેશ ) કલ્યાણુવર્માએ પરાશર, વરાહમિહિર, યવનનરેન્દ્ર વગેરેના પ્રથામાંથી સાર લઇ તે ‘ સારાવલી ' નામના જાતક ગ્રંથની રચના કરી.
કલ્યાણવર્માએ પોતાના આ જાતક ગ્રંથમાં સત્ય, બાદરાયણ, ચાણકય, હઉ, ચૂડામણિ, માણિકય, બ્રહ્માદિ જ્યોતિષકારીના પ્રચલિત મતેના ઉલ્લેખ કર્યો છે. સારાવલી નામના આ પ્રસિદ્ધ ગ્રંથમાં કલ્યાણવર્માએ પોતાના સમયના જ્યાતિષશાસ્ત્રના જ્ઞાનની સાથે સાથે પ્રચલિત વૈદક (આયુર્વે ૬) શાસ્ત્ર, યાગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર તેમજ સામાજિક પરિસ્થિતિનું સુંદર નિર્દે'ન કરાવ્યું છે અને તે દ્વારા લેખકે પોતાની બહુમુખી પ્રતિભાના પરિચય પણુ કરાવી દીધા
જેમ કાલિદાસમાં કેમેસ્ટ્રી એઈ શકાય છે, કવિ ભટ્ટિમાં વ્યાકરણ દષ્ટ થાય છે અને શ્રી હર્ષોંમાં દાર્શનિકતા પ્રદર્શિત થાય છે તેમ ભારતીય શાસ્ત્રકારામાં પણ વિશિષ્ટ બહુમુખી પ્રતિભા જોવા મળે છે. કાવ્યપ્રકાશકાર મમ્મટ, સાહિત્યદર્પણુકાર વિશ્વનાથ, પંડિત જગન્નાથ વગેરે કાવ્યશાસ્ત્રીઓએ પણ પોતાનું વિવિધ શાસ્ત્રઓનું જ્ઞાન તેમ જ પાંડિત્ય દર્શાવ્યું છે. તત્ત્વજ્ઞાનની શાળામાં આદ્યગુરુ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચા` વગેરે આચાર્યોએ પશુ પોતાની તર્કશક્તિને તેમ જ બહુશ્રુતતાને પરિચય કરાવ્યા છે. આયુર્વે શાસ્ત્રમાં શાર`ગધરસ`હિતકાર શાર’ગધર, વૈદ્યજીવનકાર લાલ'બિરાજ વગેરેની કવિત્વશક્તિ તેમ જ બહુશ્રુતતા જાણીતી છે. લાલબીરાજના વૈદ્યજીવનમાં શ્રૃંગારરસનું નિરૂપણુ કાલિદાસની યાદ અપાવે છે. જ્યાતિષાચાર્ય વરાહમિહિરમાં તે કાલિદાસ, ભવભૂતિ કે બાણુનાં પણ દર્શીન કરી શકાય છે.
‘સ્વાધ્યાય’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી 'ક, એપ્રિલ-૧૯૯૦-ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૨૧-૨૩૦,
*હુ*સા શેરી, કડી (એન. જી. ૩૮૨૭૧૫. ).
૧ દીક્ષિત શર બાલકૃષ્ણ, અનુ. હરિહર પ્રા. શŁ, ભારતીય જયાતિષશાસ્ત્ર, દ્વિતીય ખંડ, યુનિ. ગ્રંથ નિર્માણ બા-ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨, ૫. ૨૪૫,
For Private and Personal Use Only