________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચપાવલન
શેરા” શબ્દના અર્ધમાગધી રૂ૫ વિષેની સરસ ચર્ચાને એક આખે અધ્યાય કાળ છે. વિવિધ આવૃત્તિઓમાં આવતાં આ સંસ્કૃત શબ્દનાં કુલ નવ પ્રાકૃત રૂપનું. મુદ્દાસર વિવેચન અહીં કર્યું છે. પ્રખ્યાત પ્રાકત શબ્દકોષ “ ત્ર-સ-મgvorોમાં આ નવમાંથી “ પણ ' શબ્દનું સંસ્કૃત રૂ૫ “હેશ ' એવું આપ્યું છે અને બાકીનાં આઠ રૂ૫ એ શબ્દકોષમાં છે જ નહિ તે હકીકત પણ અધ્યયનશીલ લેખકના ધ્યાન બહાર રહી નથી. ટીકાકાર શીલાંકાચાર્ય આ વા ’ને અર્થ " પ્રાણીઓના દુઃખને છેદનાર' એવો આપે છે, જે અર્થ દર્શાવનાર શબ્દ તે દન' હોઈ શકે ! “ક્ષેત્ર' શબ્દનાં વનિવિષયક 'ઝાકત રૂપાંતર “તેરશ્મ', “ હેતન', ત', “ જેવક' અને “લેઇન'નું ઐતિહાસિક દષ્ટિએ સુંદર વિલેષણ અહીં કરેલું છે. આ સઘળી ચર્ચામાંથી એ સ્પષ્ટ થાય છે કે મૂળ અર્ધમાગધી રૂ૫ “જિ” જ હતું અને આગમોના નવા સંસ્કરણમાં તે જ રૂ૫ સ્વીકારવું જોઈએ.
પછીના અધ્યાયમાં “આચારાંગસૂત્ર'ના ઉપધાતના વાક્ય “ ને તેનું (પાઠાંતર તેજ ) માયા માલાય...'ની શબ્દજનાની વિશદ છણ્વટ કરી છે, જેને અંતે એવું પ્રતીત થાય છે કે તે વાકય ખરેખર આ પ્રમાણે હેવું જોઈએ ?
__'सतं मे आउसंतेण भगवता एवमक्खातं'.
અંતિમ અધ્યાયમાંના સંક્ષિપ્ત વિવેચન પરથી સમજાય છે કે જુદા જુદા સંપાદકેએ, ઐતિહાસિક વિકાસ, સમય, ક્ષેત્ર અને ઉપદેશકની વાણીના સ્વરૂપને ધ્યાનમાં લીધા વિના જ, પોતપોતાની ભાષાકીય સિદ્ધાન્તોની માન્યતા મુજબ જ તથા, જે સમયની દૃષ્ટિએ એતિહાસિક છે જ નહિ અને અર્ધમાગધી ભાષાની વિશેષતાઓને સ્પષ્ટ કરતા જ નથી, તેવા, પ્રાકૃત વ્યાકરણકારના નિયમોના પ્રભાવમાં આવીને, જુદા જુદા પાઠ સ્વીકાર્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણને કોઈ વાંકણુ પાસેથી અર્ધમાગધી ભાષાનું વ્યાકરણ ૫છતયા પ્રાપ્ત થયું જ નથી ! ૫રિણામે પ્રાચીનતમ આગમ “ આચારાંગસૂત્ર 'માં યે ભાષાની ખીચડી થઈ ગઈ છે ! જે પ્રાચીન રૂપે ઉપલબ્ધ થાય છે તે અર્ધમાગધીને પાલિ તેમ જ માગધીની નજીક લઈ જાય છે, મહારાષ્ટ્ર તરફ બિલકુલ નહિ. જ્યારે હાલ પ્રાપ્ત સંસ્કરણોમાં મહારાષ્ટ્ર પ્રાકૃતના અગેની જ પ્રચુરતા જણાય છે !
અંતે દરેક અધ્યાયના નિરૂપ્યમાણુ વિષયને સ્પષ્ટ ખ્યાલ આપતી “વિષય સૂચી” સાડા ત્રણ પૃ૪માં આપી છે, જે વિષયની કમબદ્ધતા રજૂ કરતી હેઈ ઉપયોગી બની રહે તેમ છે. -
આ રીતે આ લધુપુસ્તક અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયું છે. ભાષા સરળ અને ચોટદાર છે. લી પણ નિરાબર રહી છે. લખાણ બિલકુલ મુદાસર છે. શઝિંગ આદિ લબ્ધપ્રતિક વિનોની બેદરકારી સામે અવાજ ઉઠાવનાર ડૉ. ચંદ્ર આદર્શ સંશોધક તરીકે ઉપસી આવે છે અને સર્વથા પ્રોત્સાહનના અધિકારી બને છે. તેમણે અહીં રજૂ કરેલ અધ્યયન-સંશોધન આગમોની હસ્તપ્રતોને આધારે અર્ધમાગધી ભાષાનું અસલ સ્વરૂપ પુના પ્રસ્થાપિત કરીને તનસાર વેતાંબર જૈન આગમનું નવું સંસ્કરણ પ્રકટ કરવાની આવશ્યક્તા પ્રતિપાદિત કરે છે
For Private and Personal Use Only