SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ કપના ફન બારોટ એક વ્યક્તિ તરીકે ઉપેન્દ્રાચાર્ય જેવા છે તેવા જ એક પતિ તરીકે ઉપસી આવે છે. દા. ત. તેઓને નવું નવું જાણવા-શીખવાની જે ધગશ તે તેઓના પત્રોમાં પણ જણાઈ આવે છે. તેઓ જ્યન્તીદેવીને શરીરસ્વાથ્ય જાળવવા વારંવાર જણાવે છે અને તે માટે કસરત કરવાની, પ્રાણાયામ કરવાની ભલામણ પણ કરે છે. તે બીજી બાજ તેઓ લખે છે કે અંગ્રેજી લખવા-વાંચવાનો મહાવરે ચાલુ જ હશે. એક પત્રમાં લખે છે કે સંસ્કૃતને અભ્યાસ બંધ તો નથી કરી દીધો ને ? તે વળી બીજી કેટલાય પત્રોમાં સૂચન કરે છે કે ભજનો લખવાં, પદો લખવાં, ગૂંથણકળા અને રસોઈકળાનાં પુસ્તક વાંચવા અને નવી વાતો નોંધી લેવી–આ બધી વાત આપણી સમક્ષ તેઓને એક અભ્યાસુ વ્યક્તિ તરીકે તે રજુ કરે જ છે પરંતુ તે ઉપરાંત એક પતિ તરીકે પિતાની પ્રિય પત્નીના અંગત જીવનના વિકાસ માટે તેઓ કેટલા આતુર છે એ વાત પણ બતાવે છે. મને તો એમ લાગે છે કે જે આપણા સૌના દામ્પત્યમાં આ પાસું આવી મળે તો પછી આપણે સ્ત્રી-ઉત્કર્ષ કે સ્ત્રી-ઉન્નતિની વાત કે કાયદાઓ કરવાની જરૂર નહિ રહે. ઉપેન્દ્રાચાર્યજીના જીવનપ્રદીપનાં આ ઓજસ સમાજમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે જોવાનું બળ પૂરું પાડે છે. તે સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ અંગે, તેઓના ઉત્થાન અંગે ઉપેન્દ્રાચાર્યજીની ચિંતા પણ આ પત્રોમાં વ્યક્ત થઈ છે. તેઓ જણાવે છે (પત્ર ૪૮, પાનું ૨૨) કે, “ત્રીજાતિ બહુ પછાત છે તેમાં થેડા પ્રયાસથી તારા જેવી આગળ પડી શકે.” તેઓએ પોતાનાં સહધર્મચારિણીને કયારેય પોતાના કરતાં નીચાં કે ઓછાં નહિ સમજ્યાં હોય એમ “ પત્રસુધા’ના પત્રો પરથી લાગે છે. તેમ છતાં તેઓના હૃદયમાં જયન્તીદેવીનું સ્થાન એટલું અનન્ય છે કે લગભગ દરેક પત્રમાં એક ચિંતિત પતિની છબી ઉપસે છે. યંતીદેવીના સ્વાસ્થ માટે, તેઓના વૈચારિક, આધ્યાત્મિક વિકાસ માટે એમાં એટલાં બધાં સૂચને-માર્ગદર્શને છે કે વ્યક્તિવિકાસ માટે ઈચ્છુક વાચક એમાંથી અદ્દભુત ભાથું પ્રાપ્ત કરે છે. ઉપેન્દ્રાચાર્યજીએ જયન્તીદેવીને કરેલાં સંબોધને એવાં તે અર્થપૂર્ણ, અલંકાયુકત અને આકર્ષક છે કે પત્રો વાંચી લીધા પછી પણ સંબંધનોને વાગોળવાનું મન થાય. ગુજરાતી પત્રસાહિત્યમાં આટલાં પ્રેમસભર, કવિતાસભર અને અર્થસભર સંબોધને બહુ જ ઓછા લેખકેએ પ્રજ્યાં હશે. સાચે જ સંબંધનેની સુંદરતા હૃદયને સ્પર્શી ગયા વિના રહેતી નથી. ડાં ઉદાહરણો જોઈ એ. ઉપેન્દ્રાચાર્યજી લખે છે જયતીદેવી માટે-સ્નેહમયી, સુભાગ્યવતી, વિશુદ્ધહદયા, પ્રીતિપાત્ર, સવિકિની, સદ્દગુણાલંકૃતા, શુભસંપત્તિવિભૂષિતા, સર્વ શુભગુણસંપન્ન, પરમાત્મપ્રીતિપાત્ર, પ્રસન્નહૃદયા. જેમ પત્રનાં સંબોધન મન હરી લે તેવાં છે તે જ રીતે પત્રના અંતે ઉપેન્દ્રાચાર્યે પોતાના માટે પ્રોજેલાં વિશેષણે પણ તેઓના દામ્પત્યની એક મધુર ગરિમા પ્રગટ કરે છે. દા. ત. તેઓ લખે છે-લ. અભિન્ન, અનુરાગી, કલ્યાણેચ્છક, શુદ્ધસ્નેહબદ્ધ, હિતચિંતક, શુભચિંતક, નિત્યહિતચિંતક. ખરેખર પત્રોનું આ પાસું આત્માને આહલાદ આપે તેવું છે. તે પત્રોની શૈલી પણ વિશિષ્ટ છે. કવિત્વમય ભાષા અને ભાવનું માધુર્ય એ આ પત્રોનું ધ્યાન ખેંચે તેવું પાસું છે. પિતાની પ્રિય પત્ની, જેને તેઓ પિતાનું અભિન્ન અંગ માને છે, જેના તરફ તેઓને અનહદ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy